બાટલા હાઉસ એન્કાઉન્ટરઃ દિલ્હી હાઈકોર્ટે આતંકવાદી આરિઝ ખાનની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી

Batla House Encounter : દિલ્હીના પોલીસ ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા સપ્ટેમ્બર 2008માં દક્ષિણ દિલ્હીના જામિયા નગરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા

Written by Ashish Goyal
October 12, 2023 16:09 IST
બાટલા હાઉસ એન્કાઉન્ટરઃ દિલ્હી હાઈકોર્ટે આતંકવાદી આરિઝ ખાનની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી
દિલ્હી હાઈકોર્ટ. (ANI ઇમેજ)

Batla House Encounter case : દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આતંકવાદી આરિઝ ખાનની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. આતંકવાદી આરિઝ ખાનને માર્ચ 2021માં દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ નિર્ણય દિલ્હી હાઈકોર્ટની બે જજની બેન્ચે (જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ અમિત શર્મા આપ્યો હતો. આ કેસમાં બેન્ચે ઓગસ્ટ મહિનામાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

દિલ્હીના પોલીસ ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા સપ્ટેમ્બર 2008માં દક્ષિણ દિલ્હીના જામિયા નગરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. રાજધાની દિલ્હીમાં પાંચ બોમ્બ વિસ્ફોટના થોડા દિવસો બાદ જામિયા નગરમાં દિલ્હી પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ બોમ્બ વિસ્ફોટોમાં 39 લોકોના મોત થયા હતા જ્યારે 159 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો – ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ઓપરેશન અજય શરૂ

આરિઝ ખાનને માર્ચ 2021માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો

ટ્રાયલ કોર્ટે 8 માર્ચ 2021ના રોજ આરિઝ ખાનને દોષિત ઠેરવ્યો હતો. ટ્રાયલ કોર્ટે રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા કહ્યું કે તે સ્પષ્ટ છે કે આરિઝ ખાન અને તેના સહયોગીઓએ પોલીસ અધિકારીની હત્યા કરી હતી અને ગોળીબાર કર્યો હતો. 15 માર્ચ 2021ના રોજ કોર્ટે આરિઝ ખાનને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મોહન ચંદ શર્માના પરિવારને તાત્કાલિક 10 લાખ રૂપિયા આપવામાં આવે.

ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે આરિઝ ખાને ખતરનાક આતંકવાદીની જેમ કામ કર્યું

ચુકાદા દરમિયાન, ટ્રાયલ કોર્ટે આરિઝ ખાન દ્વારા દિલ્હી પોલીસ પર ઉશ્કેરણી વગરના ગોળીબારને “જઘન્ય અને ક્રૂર” ગણાવ્યો હતો. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે આરિઝ ખાન માત્ર સમાજ માટે જ ખતરો નથી પરંતુ દેશનો દુશ્મન પણ છે. ચુકાદો આપતી વખતે ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે આરિઝ ખાને તેના દ્વેષપૂર્ણ કૃત્યને કારણે જીવનનો અધિકાર ગુમાવ્યો છે. કોર્ટે સ્વીકાર્યું કે આરિઝ ખાન વિરુદ્ધ સાબિત થયેલો ગુનો કોઈ સામાન્ય ગુનો નથી પરંતુ દેશ વિરુદ્ધનો ગુનો હતો. આ ગુનો કરતી વખતે આરિઝ ખાને ભયંકર અને પ્રશિક્ષિત આતંકવાદ જેવું કામ કર્યું હતું. તે કોઈ પણ પ્રકારની હળવાશને પાત્ર નથી. તમને જણાવી દઈએ કે આરિઝ ખાન ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. બાદમાં 14 ફેબ્રુઆરી 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ