/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/rahul-gandhi-bharat-jodo-nyay-yatra-1.jpg)
ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે (Pics : @INCUttarPradesh)
Bharat Jodo Nyay Yatra : 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. તેમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જવાની ના પાડી દીધી હતી. આ અંગે કોંગ્રેસ પાર્ટી પર પહેલા જ સવાલો ઉઠી ચૂક્યા છે, પરંતુ હવે રાહુલ ગાંધીએ આ મુદ્દાને ઓબીસી વિવાદ સાથે જોડી દીધો છે. ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે અને પ્રયાગરાજમાં આ સમય દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કોઇ ઓબીસી જોવા મળ્યો નથી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ન્યાય યાત્રા દરમિયાન એક જનસભામાં રાહુલ ગાંધીએ ઉપસ્થિત જનતાને સવાલ કર્યો કે શું તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જોયો હતો, શું તમે ત્યાં કોઈ ઓબીસી કે એસસી/એસટીનો ચહેરો જોયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જેમાં 73 ટકા જનસંખ્યાનો કોઈ વ્યક્તિ પ્રતિનિધિ ન હતો. તેમણે તેને વિવાદાસ્પદ ગણાવ્યું છે.
રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં ખુલ્લી જીપ પર ન્યાય યાત્રા કાઢી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ કેવું હિન્દુ રાષ્ટ્ર છે, જેમાં 73 ટકા લોકો છે જ નહીં. આ લોકો (ભાજપ) ઈચ્છે છે કે તમે લોકો આ દેશને ક્યારેય કંટ્રોલ ના કરી શકો. તમે તમારા અધિકાર માગો. ઉત્તર પ્રદેશના યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં ખુલ્લી જીપ પર ન્યાય યાત્રા કાઢી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય અને પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી પ્રયાગરાજ એરપોર્ટથી સીધા સ્વરાજ ભવન આવ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને પછી પોતાની યાત્રા શરૂ કરી હતી.
VIDEO | Here's what Congress leader Rahul Gandhi said while addressing a gathering in Prayagraj during his Bharat Jodo Nyay Yatra.
"Did you see the 'Ram Mandir Pran Pratishtha'? Did you see any OBC or ST/SC faces? It was attended by Amitabh Bachchan, Aishwarya Bachchan, and PM… pic.twitter.com/9wqyPziV3z— Press Trust of India (@PTI_News) February 18, 2024
આ પણ વાંચો - 3 રાજ્યો, 161 બેઠકો અને 370નો ટાર્ગેટ, ભાજપ કેમ માની રહ્યું છે તેને પોતાની અચૂક રણનીતિ
પ્રિયંકા ગાંધી ન્યાય યાત્રામાં જોડાશે
જ્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા યુપીમાં પ્રવેશવાની હતી, પરંતુ તે પહેલા જ તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેમણે દુ:ખી મને કહ્યું હતું કે તે સ્વસ્થ થતાંની સાથે જ રાહુલની ન્યાય યાત્રામાં જોડાશે. હવે રાહુલની ન્યાય યાત્રા સોમવારે અમેઠીમાં પ્રવેશ કરવા જઈ રહી છે. અમેઠી 2004થી 2019 સુધી રાહુલ ગાંધીનું સંસદીય ક્ષેત્ર રહ્યું છે, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. આવી સ્થિતિમાં અમેઠીમાં ન્યાય યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે અને એવું માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલની અમેઠીની મુલાકાતમાં જોડાશે.
કાશી વિશ્વનાથ મંદિરમાં પણ થયો હતો વિવાદ
આ પહેલા શનિવારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાંથી પસાર થઈ હતી અને ત્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા ભોલેનાથના દર્શન સાથે પૂજા અર્ચના પણ કરી હતી. જોકે પૂજા અર્ચનાની તસવીરોને લઈને કોંગ્રેસ પાર્ટી અને મંદિર પ્રશાસન વચ્ચે વિવાદ પણ ઉભો થયો હતો અને કોંગ્રેસે રાહુલનો ફોટો જાહેર ન કરવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us