/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ (તસવીર - એએનઆઈ)
Bharat Or India : ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવેલા જી-20 ડિનર આમંત્રણ પર વિપક્ષની પ્રતિક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજેપીએ પૂછ્યું કે કોંગ્રેસને ભારત શબ્દથી કોઈ સમસ્યા છે? આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ એક્સ પર રિપબ્લિક ઓફ ભારત લખ્યું છે અને કહ્યું છે કે આપણી સભ્યતા પૂરી મજબૂતીથી સાથે અમૃત કાલ તરફ આગળ વધી રહી છે.
વર્ષ 2015માં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે દેશને ઇન્ડિયાના બદલે ભારત ના કહેવું જોઇએ. આ જવાબ એક જાહેર હિતની અરજીના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર અને બિનસત્તાવાર હેતુઓ માટે ગણતંત્રને ભારત કહેવાની માંગ કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી સરકારે દાવો કર્યો હતો કે આર્ટિકલ 1 માં કોઈપણ ફેરફાર પર વિચાર કરવા માટે પરિસ્થિતિઓમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતનું સંવિધાન આર્ટિકલ 1.1 સત્તાવાર અને બિનસત્તાવાર ઉદ્દેશ્યો માટે દેશનું નામ કેવી રીતે રાખવું તે અંગેની બંધારણની એકમાત્ર જોગવાઈ કહે છે ઇન્ડિયા જે કે ભારત છે, રાજ્યોનો એક સંઘ હશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને કલમ 1ની કલમો સર્વાનુમતે સ્વીકારવામાં આવી ત્યારે બંધારણ સભા દ્વારા દેશના નામ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. તેમાં એમ પણ પણ બતાવવામાં આવ્યું હતું કે બંધારણના મૂળ મુસદ્દામાં ભારતનો ઉલ્લેખ ન હતો અને ચર્ચા દરમિયાન બંધારણ સભાએ ભારત, ભારત ભૂમિ, ભારત વર્ષ, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત અને ભારત ધેટ ઇઝ ઇન્ડિયા જેવા નામો અને ફોર્મ્યુલેશન્સ પર વિચાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ સભાએ સમીક્ષાની જરૂરિયાતના મુદ્દા પર ચર્ચા કરી ત્યારથી સંજોગોમાં કોઈ ફેરફાર થયો નથી.
આ પણ વાંચો - શું ઈન્ડિયા બનશે ભારત? મોદી સરકાર સંસદના વિશેષ સત્રમાં દેશનું નામ બદલવાનો લાવી શકે છે પ્રસ્તાવ
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પીઆઈએલ દાખલ કરનારા સામાજિક કાર્યકર નિરંજન ભટવાલના વકીલ અજય જી મજીઠીયાના એક પ્રતિનિધિત્વની તપાસ કરવામાં આવી હતી અને તેને બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી હતી. મજીઠીયાએ એવી દલીલ કરી હતી કે દેશને ભારત નામ આપવા માગતી બંધારણ સભાના ઇરાદાને ધ્યાનમાં રાખીને કલમ 1.1નું અર્થઘટન કરવું જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયા નામ ઔપનિવેશિક કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું અને દેશને ઐતિહાસિક અને શાસ્ત્રોમાં ભારત કહેવામાં આવે છે. અરજદારે દલીલ કરી હતી કે ભારત સરકાર આર્ટિકલ 1935 અને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ને નિરસ્ત કરવા માટે સંદર્ભ માટે ભારતમો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2020માં આવી જ એક અન્ય પીઆઈએલ કોર્ટ સમક્ષ આવી હતી, પરંતુ ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ આવું ન કરી શકે અને અરજદારને સરકાર સમક્ષ પોતાની વાત રજુ કરવા જણાવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us