ભારત રત્ન : સર્વપલ્લી રાધાકૃષ્ણનથી લઈને ચૌધરી ચરણ સિંહ સુધી, આ હસ્તીઓને મળ્યો ભારત રત્ન, જુઓ સંપૂર્ણ યાદી

Bharat Ratna Award Full List : ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સન્માન છે. વર્ષ 1954થી અત્યાર સુધીમાં 54 વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાણો કોને ક્યારે ભારત રત્ન મળ્યું?

Bharat Ratna Award Full List : ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સન્માન છે. વર્ષ 1954થી અત્યાર સુધીમાં 54 વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાણો કોને ક્યારે ભારત રત્ન મળ્યું?

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bharat ratna | bharat ratna award | Bharat Ratna list | L K Advani Bharat Ratna | Bharat Ratna prize money | Bharat Ratna benefits

Bharat Ratna Award : ભારત રત્ન એ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવતું સર્વોચ્ચ સમ્માન છે. (Photo - wikipedia.org)

harat Ratna Award Full List : ભારત રત્ન દેશનો સર્વોચ્ચ સન્માન છે. આ વખતે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર, એલકે અડવાણી, નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની ઘોષણા કરી છે.

Advertisment

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. આ 10 વર્ષમાં તેમની સરકારમાં 10 હસ્તીઓને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. 2004 થી 2014 સુધી મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર હતી. તેમની સરકારના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને જ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા.

Bharat Ratna Award List, Chaudhary Charan Singh, PV Narasimha Rao, M. S. Swaminathan
ભારત રત્નની જાહેરાત

જનનાયક કર્પૂરી ઠાકુર, એલકે અડવાણી, ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને એમએસ સ્વામીનાથન સહિત કુલ 53 લોકોને અત્યાર સુધીમાં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. જો કે હવે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ કાશીરામને પણ ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ સાથે જ રાજ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેનું સન્માન કરવાની પણ માંગ કરી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે તે હસ્તીઓ જેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે.

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓની યાદી

વર્ષભારત રત્નથી સન્માનિત હસ્તી
1954સી. રાજગોપાલાચારી
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સી.વી. રમન
1955ભગવાન દાસ,
એમ વિશ્વેશ્વરૈયા
જવાહર લાલ નહેરુ
1957ગોવિંદ વલ્લભ પંત
1958ઘોંડો કેશવ કર્વે
1961બિધાન ચંદ્ર રોય
પુરુષોત્તમ દાસ ટંડન
1962રાજેન્દ્ર પ્રધાન, જાકિર હુસૈન
1966લાલ બહાદુર શાસ્ત્રી
1971ઇન્દિરા ગાંધી
1975વીવી ગિરિ
1976કે. કામરાજ
1980મધર ટેરેસા
1983વિનોબા ભાવે
1987ખાન અબ્દુલ ગફ્ફાર ખાન
1988એમજી રામચંદ્રન
1990બી.આર. આંબેડકર
નેલ્સન મંડેલા
1991રાજીવ ગાંધી
વલ્લભભાઇ પટેલ
મોરારજી દેસાઇ
1992મૌલાના અબુલ કલામ આઝાદ
જેઆરડી ટાટા
સત્યજીત રે
1997ગુલજારીલાલ નંદા
અરુણ આસફ અલી
એપીજે અબ્દુલ કલામ
1998એમએસ સુબ્બુલક્ષ્મી
ચિદમ્બરમ્ સુબ્રમણ્યમ
1999જયપ્રકાશ નારાયણ
અમર્ત્ય સેન
ગોપાનાથ બોરદોલોઇ
પંડિત રવિશંકર
2001લતા મંગેશકર
બિસ્મિલ્લાહ ખાન
2009ભીમસેન જોશી
2014સીએનઆર રાવ
સચિન તેંદુલકર
2015મદન મોહન માલવીય
અટલ બિહારી વાજપાયી
2019પ્રણવ મુખરજી
નાનાજી દેશમુખ
ભૂપેન હજારીકા
2024કર્પૂરી ઠાકુર
લાલકૃષ્ણ અડવાણી
પીવી નરસિમ્હા રાવ
ચૌધરી ચરણ સિંહ
એમએમ સ્વામીનાથન
Advertisment

વર્ષ 2024માં 5 વ્યક્તિને ભારત રત્ન આપવાની ઘોષણા

કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે, આ વખતે ત્રણ વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન વીપી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનના નામ સામેલ છે. ચૌધરી ચરણને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ તેમના પુત્ર અને RLD ચીફ જયંત ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. જયંતે X પર લખ્યું, ‘દિલ જીત્યું’.

આ પણ વાંચો |પાંચ ભારત રત્ન, પાંચ દાવ અને મોદી સરકારની ચૂંટણી બ્લૂપ્રિન્ટ તૈયાર

અગાઉ, સરકારે ભાજપના વરિષ્ઠ રાજકારણી લાલ કૃષ્ણ અડવાણી અને સમાજવાદી પ્રતિષ્ઠિત અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકાર ટ્રેન્ડિંગ ન્યૂઝ india politics દેશ PM Narendra Modi