Bihar Election 2025 : બિહારની આ બેઠક પર NDA એ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું, તેમની નથી કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ

Bihar Marhaura Assembly Constituency : બિહાર વિધાનસભ ચૂંટણી માટે મઢોરા બેઠક પર એનડીએ એ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે. તાજેતરમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ઉમેદવાર સીમા સિંહની ઉમેદવારી ટેકનિકલ કારણોસર ફગાવી દેવામાં આવી હતી.

Bihar Marhaura Assembly Constituency : બિહાર વિધાનસભ ચૂંટણી માટે મઢોરા બેઠક પર એનડીએ એ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે. તાજેતરમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ઉમેદવાર સીમા સિંહની ઉમેદવારી ટેકનિકલ કારણોસર ફગાવી દેવામાં આવી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
NDA

NDA : બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ એ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું છે, જેની કોઇ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. (Photo : Jansatta)

Bihar Marhaura Assembly Constituency : બિહારમાં એનડીએએ મઢોરા વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારનું ઉમેદવારી રદ કર્યા બાદ અપક્ષ ઉમેદવારને સમર્થનની જાહેરાત કરી હતી. મઢોરા વિધાનસભા બેઠક સરન જિલ્લામાં આવે છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના ઉમેદવાર સીમા સિંહની ઉમેદવારી ટેકનિકલ કારણોસર ફગાવી દેવામાં આવી હતી.

Advertisment

એલજેપી (રામવિલાસ)ના ચીફ વ્હીપ અરુણ ભારતીએ પટનામાં મીડિયાને જણાવ્યું હતું કે, અમારા ઉમેદવારનું નામાંકન રદ થયા બાદ અમે અંકિત કુમારની પસંદગી કરી છે, જે એક ખેડૂતનો પુત્ર છે અને સૌથી પછાત વર્ગ (ઇબીસી)નો છે. અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું. ”

જનતા દળ (યુનાઇટેડ)ના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, અમે 'ઇન્ડિયા' ગઠબંધન વિરુદ્ધ ઇબીસીના ઉમેદવારને સમર્થન આપી રહ્યા છીએ, તે ખૂબ જ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. વિપક્ષ ફક્ત 'ટાઇટલ ચોરી' કરવાનું કામ જાણે છે. ”

તેમણે કહ્યું કે, એનડીએ જનનાયક કર્પૂરી ઠાકુરના સિદ્ધાંતો પર કામ કરે છે. એનડીએ સરકાર દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. ”

Advertisment

મઢોરામાં અમે આવા ઇબીસી ઉમેદવારને ટેકો આપી રહ્યા છીએ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિન્હાએ કહ્યું કે, મઢોરામાં અમે એક જ પરિવારના ઉમેદવારો પાંચ વખત ચૂંટણી જીત્યા હોવા છતાં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ઇબીસીના ઉમેદવારનું સમર્થન કરી રહ્યા છીએ. ”

આ વખતે બિહારમાં એનડીએની સરકાર બનશે અને મઢોરા વંશવાદની પરંપરા તોડશે

આ બેઠક લાંબા સમયથી રાય પરિવારના કબજામાં છે. હાલમાં આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના જીતેન્દ્ર કુમાર રાય ધારાસભ્ય છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ લોકોમાં સ્પષ્ટતા વધી રહી છે અને તેઓ નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના નેતૃત્વમાં વિકાસની ભાવના સાથે આગળ વધી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી એનડીએ bihar politics ભાજપ