OBC સર્વે બાદ નીતીશ કુમારે આ યોજના બનાવી! ભાજપના ‘હિંદુત્વ’ નો આ રીતે કરશે મુકાબલો, 20 દિવસ પછી યોજાશે આગામી કાર્યક્રમ

Bihar Politics : અશોક ચૌધરીએ કહ્યું કે તેઓ લોકોને જણાવશે કે કેવી રીતે સીએમ નીતિશ કુમારે 2007માં સમાજ કલ્યાણ વિભાગમાંથી અલગ SC/ST કલ્યાણ વિભાગ બનાવ્યો હતો

Written by Ashish Goyal
October 16, 2023 18:50 IST
OBC સર્વે બાદ નીતીશ કુમારે આ યોજના બનાવી! ભાજપના ‘હિંદુત્વ’ નો આ રીતે કરશે મુકાબલો, 20 દિવસ પછી યોજાશે આગામી કાર્યક્રમ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર

Bihar Politics : સરકારે થોડા દિવસો પહેલા બિહારમાં જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકસભા ચૂંટણી 2024માં ભાજપને રોકવા માટે વધુ એક પ્લાન તૈયાર કર્યો છે. શાસક જેડીયુ 5 નવેમ્બરના રોજ પટનામાં અનુસૂચિત જાતિઓની મેગા બેઠક “ભીમ સંસદ” પર કામ કરી રહી છે. આ અંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 10 ઓક્ટોબરે પટનામાં ઘણા ભીમ સંસદ રથને લીલી ઝંડી બતાવી હતી, જે નવેમ્બરની સભા માટે ભીડ એકઠી કરવા બિહારના વિવિધ ભાગોમાં જશે.

રસ્તા પર ઉતરેલા અગ્રણી નેતાઓમાં મંત્રીઓ અને મહત્વના દલિત નેતાઓ સામેલ છે. જેમાં અશોક કુમાર ચૌધરી, સુનીલ કુમાર અને રત્નેશ સદાનો સમાવેશ થાય છે. બિહાર જાતિ સર્વેક્ષણના અહેવાલ મુજબ રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી 19.65% છે. અશોક ચૌધરીએ (ભવન નિર્માણ મિનિસ્ટર) કહ્યું કે ભીમ સંસદ પાછળનો વિચાર સમાજમાં સમાનતા તરફ કામ કરવાનો છે, જે અમારી સરકાર તેના ‘ન્યાય સાથે વિકાસ’ ના નારા સાથે કરી રહી છે. અમે રાજ્યભરના લોકોને મળી રહ્યા છીએ અને અમારી સાથે હાથ મિલાવવા માટે કહી રહ્યા છીએ. અમે અમારી નવેમ્બરની મીટિંગને જોરદાર સફળ બનાવવા માંગીએ છીએ.

અશોક ચૌધરીએ કહ્યું કે તેઓ લોકોને જણાવશે કે કેવી રીતે સીએમ તરીકે નીતિશ કુમારે 2007માં સમાજ કલ્યાણ વિભાગથી અલગ SC/ST કલ્યાણ વિભાગ બનાવ્યો હતો. તેમણે કહ્યું કે 2005-06માં સમાજ કલ્યાણ વિભાગનું બજેટ 40.48 કરોડ રૂપિયા હતું જ્યારે 2022-23માં એકલા ST કલ્યાણ વિભાગનું બજેટ 2,215.30 કરોડ રૂપિયા હતું. SC/ST લોકોને આપવામાં આવેલા લાભોમાં બિહાર લોક સેવા પરીક્ષાની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થનારને 50,000 રૂપિયા અને યુનિયન પબ્લિક સર્વિસ પરીક્ષાની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થનારાઓને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર ધોરણ 1 થી 10 સુધીના SC/ST વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપે છે.

આ પણ વાંચો – પંજાબમાં કોંગ્રેસને મોટી સફળતા, અન્ય પાર્ટીઓમાં સામેલ થયેલા ઘણા મોટા નેતાઓની ઘર વાપસી

નશાબંધી અને આબકારી મંત્રી સુનિલ કુમાર અને SC/ST કલ્યાણ મંત્રી રત્નેશ સદાને ભીમ સંસદ માટે ભીડ એકત્ર કરવા માટે સિવાન/ગોપાલગંજ અને કોસી/સીમાંચલ (સહરસા, મધેપુરા, પૂર્ણિયા અને કટિહાર) વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

જેડી(યુ)ના એક વરિષ્ઠ નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે એસસી અને ઈબીસી હંમેશા અમારા ફોકસના ક્ષેત્રો રહ્યા છે. હવે જ્યારે જાતિ સર્વેક્ષણ રિપોર્ટ તેમને મોટા સામાજિક જૂથો તરીકે દર્શાવે છે, અમે પહેલા અનુસૂચિત જાતિઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે. EBC માટે સમર્પિત મીટિંગનું પણ આયોજન કરી શકાય છે. સર્વેક્ષણમાંથી ઘણા તારણો છે. ભાજપ કોઈપણ કાઉન્ટર વ્યૂહરચના સાથે આવે તે પહેલાં, આપણે તેનો લાભ લેવાનું શરૂ કરવાની જરૂર છે.

નવેમ્બર 2005માં નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા પછી, તેમણે 21 અનુસૂચિત જાતિઓને ‘મહાદલિત’ તરીકે એકસાથે જોડી દીધી હતી. જોકે તેમાં પાસવાન (દલિત નેતા રામવિલાસ પાસવાનની જાતિ) જાતિનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. 2014માં જીતનરામ માંઝીને સીએમ બનાવવા (જ્યારે તેમણે થોડા સમય માટે પદ છોડી દીધું હતું) દલિત કલ્યાણ માટે પોતાનું સમર્થન દર્શાવવાની નીતિશની વ્યૂહરચનાનો એક ભાગ હતો.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુ પ્રકાશ પાસવાને નીતિશ કુમારની વ્યૂહરચના પર કહ્યું કે ભીમ સંસદ એ રાજકીય પ્રતીકવાદ સિવાય બીજું કંઈ નથી. જેડીયુ અને નીતીશ કુમારે આ પ્રતીકોમાં નિપુણતા મેળવી છે. કોઈને હજુ પણ યાદ છે કે કેવી રીતે માંઝીને જ તેમને મુખ્યમંત્રી બનાવ્યા અને પછીથી તેમને કોઇ સમારોહ વગર હટાવી દીધા હતા. આવ્યા હતા. નીતિશે મહાદલિત કેટેગરી બનાવીને અનુસૂચિત જાતિઓમાં પણ વિભાજન કર્યું છે, પરંતુ JD(U) પાસે કોઈ SC નેતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ