લોકસભા ચૂંટણી : 400 દિવસ, 10 કૌભાંડ, દિલ્હી અને દેશમાંથી "AAP"ને ઉખાડી ફેંકવા ભાજપની યોજના

Bharatiya Janata Party plan loksabha election : ભાજપે દિલ્હી અને દેશના સહિત સત્તાધારી રાજ્યોમાંથી રાજકીય દુનિયામાંથી આમ આદમી પાર્ટીને ઉખાડી ફેંકવા માટે 400 દિવસની યોજના બનાવી છે.

Bharatiya Janata Party plan loksabha election : ભાજપે દિલ્હી અને દેશના સહિત સત્તાધારી રાજ્યોમાંથી રાજકીય દુનિયામાંથી આમ આદમી પાર્ટીને ઉખાડી ફેંકવા માટે 400 દિવસની યોજના બનાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Manish Sisodia, AAP news, BJP news, BJP plan 2024 loksabha election

ભાજપ ફાઇલ તસવીર

Jatin Anand : આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીના દિવસો શરૂ થઈ ગયા છે. એક પછી એક મંત્રીઓ જેલ ભેગા થઈ રહ્યા છે. શુક્રવારે આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરતા સમયે પોતાના પોતાના કાર્યાલયની બહાર એક પ્રદર્શન શરુ થયું હતું. બીજી તરફ ભાજપે દિલ્હી અને દેશના સહિત સત્તાધારી રાજ્યોમાંથી રાજકીય દુનિયામાંથી આમ આદમી પાર્ટીને ઉખાડી ફેંકવા માટે 400 દિવસની યોજના બનાવી છે.

Advertisment

400 દિવસનું અભિયાન, 10 મોટા કૌભાંડો

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસાભા ચૂંટણી દરમિયાન સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારના 10 વિશિષ્ટ આરોપોને લઈને આમ આદમી પાર્ટીને ઘેરવાની તૈયારી કરી રહી છે. સૂત્રો પ્રમાણે "અમે આગામી 400 દિવસ, આગામી મે મહિનામાં થનારા લોકસભા ચૂંટણી સુધી મુખ્યમંત્રીને દિલ્હીમાં ભ્રષ્ટાચારના ચહેરાના રૂપમાં રજૂ કરીશું. જે અત્યાર સુધી પોતાના કેબિનેટ સહિયોગીઓ પાછળ સંતાયેલા હતા.આ અભિયાન 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધી ચાલું રહેશે."

આમ આદમી પાર્ટી અંતર્ગત જેટલા પણ સરકારી વિભાગોમાં 10 વિશિષ્ટ કૌભાંડ છે. અમે તમામ માટે અમે અરવિંદ કેજરીવાલને માસ્ટરમાઇન્ડના રૂપમાં જાહેર કરીશું. જેવી રીતે અમે આબકારી કૌંભાડમાં કર્યું હતું એવી જ રીતે સાર્વજનિક રૂપથી ચર્ચા કરવા માટે અમે પડકાર પણ ફેંકીશું. જોકે, અમને શંકા છે કે આવું કંઈ જ નહીં થાય.

દિલ્હી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને વિપક્ષના નેતા રામવીર સિંહ બિધૂડીના નેત-ત્વમાં પાર્ટીએ શુક્રવારે રાઉજ એવન્યૂ કોર્ટથી પત્થર ફેંકીને વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે.

Advertisment

આ પણ વાંચોઃ-આજનો ઇતિહાસ 10 માર્ચ : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની સ્થાપના થઇ, ગબ્બર સિંહ નેગીનો શહીદ દિન

રણનીતિથી અવગત નેતાઓ અનુસાર પાર્ટીની યોજના ભ્રષ્ચટાચારના 10 વિશિષ્ટ આરોપો ઉપર આમ આદમી પાર્ટીને ઘેરવાની છે. જેમાં આબકારી કૌભાંડ, સબસિડી સંબંધમાં વીજળી કંપનીઓને છૂટ આપવી, ક્લાસ કૌભાંડ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય મુદ્દાઓમાં એક સામેલ છે ડીટીસી બસોના વાર્ષીક મેન્ટેનન્સથી સંબંધિત કથિત કૌભાંડ, ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા નકલી નિર્માણ શ્રમિકોનું કથિત રજીસ્ટ્રેશન, ડીજેબીમાં કથિત કૌભાંડ, અસ્થાયી હોસ્પિટલો અને ફીડબેક યુનિટના નિર્માણમાં કૌભાંડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-પ્રવાસીઓ પર હુમલાની કથિત અફવાઓ પર તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ભાજપ પર પ્રહારો કર્યા

સૂત્રના જણાવ્યા પ્રમાણે સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની કેબિનેટમાંથી ધરપકડ અને રાજીનામાને કારણે AAP પહેલેથી જ સંગઠનાત્મક કટોકટીનો સામનો કરી રહી છે. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "તેનું દ્વિતીય સ્તરનું નેતૃત્વ હવે અસ્તિત્વમાં નથી." તેઓ મુખ્યમંત્રીની જવાબદારી બને કે તરત જ તેમને તેમના હોદ્દા પરથી રાજીનામું આપો…”

લોકસભા લોકસભા ચૂંટણી 2024 એક્સપ્રેસ એક્સપ્લેન દેશ આપ ભાજપ