BJP Politics : ભાજપે CM પદ માટે નવા નામો કેમ નક્કી કર્યા, લોકસભા ચૂંટણીને લઈને શું છે પ્લાન?

BJP Politics : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે ભાજપની રણનીતિ અને પ્લાન (BJP Plan) શું છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh), રાજસ્થાન (Rajasthan) અને છત્તીસગઢ (Chhatisgarh) માં ચૂંટાયેલા મુખ્યમંત્રી (CM) ઓ રાજકીય અનુભવની દૃષ્ટિએ ખૂબ જ નવા નામ માનવામાં આવે છે.

Written by Kiran Mehta
December 16, 2023 19:41 IST
BJP Politics : ભાજપે CM પદ માટે નવા નામો કેમ નક્કી કર્યા, લોકસભા ચૂંટણીને લઈને શું છે પ્લાન?
લોકસભા ચૂંટણી 2024 - ભાજપ પ્લાન

Lok Sabha Election 2024 : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે તમામ રાજકીય પક્ષોની નજર આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં શાનદાર પ્રદર્શન બાદ ભાજપ પોતાના રાજકીય સમીકરણો ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પરિણામોની લોકસભાની ચૂંટણી પર પણ મોટી અસર હોવાનું માનવામાં આવે છે. આ ત્રણ રાજ્યોમાં કુલ 65 લોકસભા અને 520 વિધાનસભા બેઠકો છે. ભાજપની નજર છે કે, તેઓ લોકસભા ચૂંટણી સુધી આ પરિણામો જાળવી શકે.

મુખ્યમંત્રીઓના નામ પાછળ શું છે ભાજપનો ઈરાદો?

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટાયેલા મુખ્યમંત્રીઓ રાજકીય અનુભવની દૃષ્ટિએ ખૂબ જ નવા નામ માનવામાં આવે છે. શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને રમણ સિંહ જેવા રાજકીય દિગ્ગજ નેતાઓને બદલવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે. એવું જ નાયબ મુખ્ય પ્રધાનોના નામનું છે, જ્યાં દિયા કુમારી અને અરુણ સાઓ સિવાય, બધા નામ તદ્દન નવા છે. હવે ચર્ચા એ છે કે, ભાજપે આવું કેમ કર્યું? આ સવાલનો જવાબ કહે છે કે, આ નામોની પસંદગી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી ચતુરાઈભરી રણનીતિનો એક ભાગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કદને વધુ અસરકારક બનાવવા માટે આ એક સુવિચારીત આયોજન છે. આમાં કાસ્ટ ડાયનેમિક્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકશાહીમાં કાર્યકર પણ આવા પદ સુધી પહોંચી શકે છે તે બતાવવાનો પ્રયાસ છે.

આ સિવાય જો તમે રાજકીય ઈતિહાસને સમજવાની કોશિશ કરશો તો, તમને સમજાશે કે કેન્દ્રની સરકાર પોતાની સરકારોની લગામ પોતાના હાથમાં રાખવા માંગે છે, ભાજપે પણ આવું જ કર્યું છે. ભાજપના આ નિર્ણયે એવો સંદેશ પણ આપ્યો છે કે, પાર્ટીનું સંગઠન કેટલું મજબૂત છે જ્યાં વરિષ્ઠ નેતાઓ પણ હાઈકમાન્ડના આદેશનું પાલન કરે છે, જ્યારે કોંગ્રેસ આ મામલે ક્યાંકને ક્યાંક પાછળ રહી ગઈ છે.

આ પણ વાંચોBJP Politics : હવે શિવરાજ, વસુંધરા રાજે અને રમણ સિંહનું શું થશે? જેપી નડ્ડાએ ભાવિ યોજના સમજાવી

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીતની અપેક્ષા હતી. જો કે, પાંચ વર્તમાન મુખ્યમંત્રીઓ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડતા ભાજપે જંગી જીત મેળવી હતી. ભાજપની ચૂંટણી તંત્રની ગ્રાસરૂટ સંડોવણી અને તેના કાર્યકરો, ધારાસભ્યોથી લઈને બૂથ લેવલના કાર્યકરો સુધીના ખંતના પ્રયાસો આ પરિણામના મુખ્ય કારણ તરીકે ઉભરી આવ્યા છે અને ભાજપ તેને લોકસભાની ચૂંટણી સુધી જાળવી રાખવાનું આયોજન કરી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ