PM મોદીની સભામાં જઈ રહેલા BJP કાર્યકરોની બસનો અકસ્માત, બેના મોત, 6 ઘાયલ

BJP workers Bus accident in chhattisgarh : પીએમ મોદી (PM Modi) રાયપુર (Raypur) ના બેલતરા (Beltara) સભા સંબોધે તે પહેલા ભાજપ કાર્યકર્તાઓની બસને અકસ્માત થયો છે, જેમાં બેના મોત થયા છે, તો 6 ઘાયલ થયા છે, ત્રણની હાલત ગંભીર.

Written by Kiran Mehta
Updated : July 07, 2023 10:59 IST
PM મોદીની સભામાં જઈ રહેલા BJP કાર્યકરોની બસનો અકસ્માત, બેના મોત, 6 ઘાયલ
અકસ્માત પ્રતિકાત્મક તસવીર

BJP workers Bus accident in chhattisgarh : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આજે છત્તીસગઢની રાજધાની રાયપુર જવાના છે. આ પહેલા બેલતરામાં પીએમ મોદીની રેલીમાં ભાગ લેવા જઈ રહેલા બીજેપી કાર્યકર્તાઓને લઈ જતી બસ એક ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. બસમાં ભાજપના કુલ 40 કાર્યકરો સવાર હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ તમામ ભાજપના કાર્યકર્તાઓ અંબિકાપુરથી રાયપુર વડાપ્રધાનની સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસનો મોટાભાગનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. અકસ્માતનું કારણ ડ્રાઈવરનું સૂઈ જવાનું કહેવાય છે.

પીએમ મોદી રાયપુરમાં રૂ. 7,600 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચશે અને લગભગ 7,600 કરોડ રૂપિયાના દસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગુરુવારે એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં સવારે 10:45 વાગ્યે શરૂ થવાનો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30 ના 33 કિમીના રાયપુર-કોડેબોડ વિભાગના ચાર-માર્ગીકરણ અને NH-130 ના 53-કિમીના બિલાસપુર-પથરાપાલી વિભાગના ચાર-માર્ગીકરણનું ઉદ્ઘાટન કરશે. તેમને કહ્યું કે, વડાપ્રધાન મોદી શુક્રવારે વિવિધ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

પીએમ મોદી રાયપુર માટે નવી ટ્રેનને લીલી ઝંડી આપશે

અધિકારીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન 750 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલી 103 કિલોમીટર લાંબી રાયપુર-ખારીર રોડ રેલ લાઇનના ડબલિંગ અને કેઓટી-અંટાગઢને જોડતી 17 કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી કોરબા ખાતે 136 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના એપલજી બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન ‘આયુષ્માન ભારત પ્રોજેક્ટ’ હેઠળ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ પણ શરૂ કરશે અને અંતાગઢ (કાંકેર જિલ્લો) થી રાયપુર સુધી નવી ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ પછી પીએમ મોદી એક સભાને સંબોધિત કરશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ