અયોધ્યા : શબરી રસોઈમાં 10 રૂપિયાની ચા અને ટોસ્ટ માટે 120 રૂપિયા વસૂલાયા, વીડિયો વાયરલ થયા બાદ ADAએ ઉઠાવ્યું પગલું

અયોધ્યા રામ મંદિર ખાતે આવતા ભક્તો માટે બજેટમાં ભોજન મળે તે માટે આપેલા શબરી રેસ્ટોરન્ટના કોન્ટ્રાક્ટરે વધારે પૈસા વસૂલ્યાનો વીડિયો વાયરલ, એડીએ નોટીસ પાઠવી.

અયોધ્યા રામ મંદિર ખાતે આવતા ભક્તો માટે બજેટમાં ભોજન મળે તે માટે આપેલા શબરી રેસ્ટોરન્ટના કોન્ટ્રાક્ટરે વધારે પૈસા વસૂલ્યાનો વીડિયો વાયરલ, એડીએ નોટીસ પાઠવી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ayodhya Ram Mandir Budget Bhojan

અયોધ્યા ભક્તો (પ્રતિકાત્મક તસવીર)

અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકનો કાર્યક્રમ પૂરો થયા બાદ ભક્તોની સુવિધા માટે અનેક પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે. દેશના ખૂણે-ખૂણેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા દરરોજ અહીં આવી રહ્યા છે. તેમના રહેવા, ભોજન અને અન્ય જરૂરિયાતો માટે, અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) એ કેટલાક લોકોને કોન્ટ્રાક્ટના આધારે બજેટ રેસ્ટોરન્ટ ચલાવવાની જવાબદારી આપી છે.

Advertisment

શબરી રસોઈ રેસ્ટોરન્ટનો પણ કોન્ટ્રાક્ટ અપાયો છે

આવી જ એક રેસ્ટોરન્ટ શબરી રસોઈ શરૂ કરવામાં આવી છે. અયોધ્યાના ટિહરી બજારમાં બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગના અરુંધતી ભવનમાં ચાલતા આ ભોજનાલયનો કોન્ટ્રાક્ટ કવચ ફેસિલિટી મેનેજમેન્ટને આપવામાં આવ્યો છે. હાલમાં જ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવીને ભક્તો પાસેથી વધારાના પૈસા લેવા માટે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.

રેસ્ટોરન્ટમાં ભોજનની સાથે રહેવાની પણ સુવિધા છે

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રેસ્ટોરન્ટના જંગી બિલના કારણે હંગામો મચી ગયો છે. આ બિલમાં 10 રૂપિયાની ચા અને ટોસ્ટને બદલે 120 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. ઓથોરિટી અનુસાર, 50 સીટની આ રેસ્ટોરન્ટમાં 10 રૂપિયામાં ચા અને બે ટોસ્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભોજન ઉપરાંત રેસ્ટોરન્ટમાં રહેવાની સગવડ પણ છે. હાલમાં તેમાં 100 પથારીની શયનગૃહ ઉપલબ્ધ છે. આમાં રહેવા માટે ભક્તોએ એક રાત માટે 50 રૂપિયા ચૂકવવા પડે છે.

જો કે રસોડાના સંચાલકોનું કહેવું છે કે, કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે આ વીડિયો વાયરલ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક લોકો મફત ભોજન અને નાસ્તો ઇચ્છે છે. તેઓ બદનામ કરવા માટે આ પ્રકારનું કામ કરે છે.

Advertisment

આ પણ વાંચો - ભગવાન રામે નહીં લક્ષ્મણે રાવણનો વધ કર્યો હતો! સૌથી અલગ કથા બનાવે છે જૈન રામાયણ

બીજી તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ બાદ ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. આ માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. મંદિરની સુરક્ષા માટે યુપી પોલીસના વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં જ યુપી પોલીસ અહીં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવા જઈ રહી છે. અયોધ્યાની સાથે અન્ય ઘણી જગ્યાએ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે. મળતી માહિતી મુજબ યુપી પોલીસ ઈઝરાયેલ પાસેથી એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવા જઈ રહી છે. તેની પ્રાપ્તિ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

Ayodhya રામ મંદિર ગુજરાતી ન્યૂઝ દેશ