/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/bus-accident.jpg)
મધ્ય પ્રદેશમાં બસ નદીમાં ખાબકી photo credit - ANI
મધ્ય પ્રદેશના ખરગોનમાં મંગળવારે એક મોટુ દુર્ઘટના ઘટી હતી. જેમાં 15 લોકોના મોત થયા હતા. ઇન્દોર તરફથી આવી રહેલી બસ પુલ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના ગ્રસ્ત બસમાં 50 લોકો સવાર હતા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
Madhya Pradesh | 15 people dead and 25 injured after a bus falls from a bridge in Khargone. Rescue operation underway: Dharam Veer Singh, SP Khargone pic.twitter.com/X66l8Vt7iT
— ANI (@ANI) May 9, 2023
સરકારે મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત
મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરી છે. તદુપરાંત, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ₹50,000 અને નાની ઈજાવાળાને ₹25,000 આપવામાં આવશે.
(સમાચાર અપડેટ થઇ રહ્યા છે)
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us