અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે! સરકારી બંગલાના રિનોવેશનનું થશે ઓડિટ, કેગ કરશે તપાસ

Delhi CM Residence : એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રિનોવેશન પાછળ 1-2 કરોડ રૂપિયા નહીં પણ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે

Delhi CM Residence : એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રિનોવેશન પાછળ 1-2 કરોડ રૂપિયા નહીં પણ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CAG Audit, arvind kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)

CAG Audit : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલના સંબંધોમાં કડવાશ ઓછી થતી જોવા મળી રહી નથી. પહેલા અધ્યાદેશમાં ઘણા અધિકારો ઓછા થયા અને પછી તેમના સત્તાવાર બંગલાના રિનોવેશન અને સુશોભનમાં નાણાકીય ગેરરીતિઓની તપાસની ભલામણ કરવામાં આવી છે. મંગળવારે એલજીની ભલામણ પર કેન્દ્રએ કેગને તપાસ કરવા માટે કહ્યું છે.

Advertisment

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના રિનોવેશન પર કરોડો રૂપિયાના ખર્ચનું કેગ વિશેષ ઓડિટ કરશે. કેન્દ્ર સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાની 24 મે, 2023ના રોજ કરેલી ભલામણ પર તેની તપાસ કરવાનો કેગને નિર્દેશ આપ્યો હતો. એલજીએ પોતાની ભલામણમાં મુખ્યમંત્રીના નામે સરકારી મકાનના રિનોવેશનમાં ભારે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. એક અહેવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિનોવેશન પાછળ 1-2 કરોડ રૂપિયા નહીં પણ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ઘરના પડદા ઉપર પણ લાખો રૂપિયા ખર્ચાયા છે.

આ અંગે જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યુડી)ને નોટિસ મોકલવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરની અંદરની ડિઝાઇનમાં ફેરફાર અને તેના પર ખર્ચ કરવામાં આવેલી રકમમાં ભારે ગરબડી છે. પીડબ્લ્યુડીએ કોઈ પણ સર્વે અહેવાલ વિના જૂના આવાસને તોડી પાડ્યું હતું. ત્યાં એક નવું ઘર બનાવી દેવામાં આવ્યું છે. આ માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : વિપક્ષી એકતા, ત્રણ રાજ્યો – ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબમાં આવી શકે છે મુશ્કેલી

Advertisment

24 મેના રોજ દિલ્હીના ઉપરાજ્યપાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને તેની તપાસ કરવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આ વિનંતી ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ને મોકલી હતી. હવે કેગ તેની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર તેમને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલનું કહેવું છે કે કેન્દ્રની મોદી સરકાર દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને સામાન્ય કામ કરવા દેતી નથી. સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકાર અને નિયંત્રણ સેવાઓ પર તમામ પ્રતિબંધો લાદવાના કેન્દ્રના અધ્યાદેશ સામે અનેક પક્ષોનો ટેકો માંગ્યો હતો.

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ અરવિંદ કેજરીવાલ દેશ આપ