PM CARES Fund: પ્રધાનમંત્રી રાહત કોષ કોઇ પબ્લિક ઓથોરિટી નથી, દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્રએ કહ્યું- RTI તેના પર લાગુ થાય નહીં

PM CARES Fund: પીએમ કેયર્સ ફંડની રચના 1 એપ્રિલ 2020ના રોજ કોવિડ-19 જેવી મહામારીની સ્થિતિઓથી નિપટવા માટે દાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી હતી

PM CARES Fund: પીએમ કેયર્સ ફંડની રચના 1 એપ્રિલ 2020ના રોજ કોવિડ-19 જેવી મહામારીની સ્થિતિઓથી નિપટવા માટે દાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

કેન્દ્રએ કહ્યું કે આ ટ્રસ્ટ વાસ્તવમાં કોઇ સરકાર દ્વારા સ્વામિત્વ નથી (File)

Centre said In Affidavit on PM CARES: નાગરિક સહાયતા અને ઇમરજન્સીની સ્થિતિ સ્થાપિત કરવામાં આવેલી પ્રધાનમંત્રી નિધિ (PM CARES)સાર્વજનિક ઓથોરિટી નથી. આરટીઆઈમાં (RTI)સાર્વજનિક ઓથોરિટીને (Public Authority)પરિભાષિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું કે ટ્રસ્ટ તેના પ્રાવધાનો અંતર્ગત આવતું નથી.

Advertisment

કેન્દ્રએ કહ્યું- આ સંસદ કે વિધાનમંડળ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું નથી

કોર્ટને સોંપવામાં આવેલા એક વિસ્તૃત સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું કે PM CARES ફંડ ભારતના સંવિધાન, સંસદ કે રાજ્ય વિધાનમંડળ દ્વારા બનાવવામાં આવેલા કોઇ કાનૂન અંતર્ગત બનાવવામાં આવ્યું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટ વાસ્તવમાં કોઇ સરકાર દ્વારા સ્વામિત્વ નથી. નિયંત્રિત કે પર્યાપ્ત રુપથી વિત્તપોષિત છે અને ના સરકારનું કોઇ સાધન છે. ટ્રસ્ટના કામમાં કોઇ રીતથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રુપથી કેન્દ્ર સરકાર કે કોઇપણ રાજ્ય સરકારનું કોઇ નિયંત્રણ નથી.

કોર્ટ પોતાના કામકાજમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સંવિધાન અંતર્ગત PM CARES ફંડને રાજ્ય ઘોષિત કરવાની માંગવાળી અરજી પર સુનાવણી કરી રહ્યું હતું. મુખ્ય ન્યાયધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે જુલાઇમાં કેન્દ્ર દ્વારા દાખલ એક પૃષ્ઠના જવાબ પર નારાજગી વ્યક્ત કરી હતી. જે પછી સરકારે આ મામલે વિસ્તૃત પ્રતિક્રિયા પ્રસ્તુત કરી હતી.

આ પણ વાંચો - બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ભાષણ, ‘ભારતમાં હવે નિર્ભય અને નિર્ણાયક સરકાર છે’

Advertisment

ટ્રસ્ટી બોર્ડમાં ગૃહમંત્રી, નાણાં મંત્રી અને પૂર્વ જજ સામેલ છે

સોંગદનામામાં કહેવામાં આવ્યું છે કે હોદ્દેદારોના બનેલા ટ્રસ્ટી મંડળની રચના માત્ર વહીવટી સગવડ અને ટ્રસ્ટીશિપના સરળ ઉત્તરાધિકાર માટે છે. પીએમ કેયર્સના ટ્રસ્ટી બોર્ડમાં કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય વિત્ત મંત્રી સાથે ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને પૂર્વ ડિપ્ટી સ્પીકર કરિયા મુંડા સામેલ છે.

અરજીકર્તા તરફથી હાજર થયેલા વરિષ્ઠ અધિવક્તા શ્યામ દિવાને તર્ક આપ્યો કે ઉપ રાષ્ટ્રપતિ જેવા સરકારના ઉચ્ચ પદાધિકારિયોએ રાજ્યસભા સદસ્યોને દાન કરવાની વિનંતી કરી હતી અને પીએમ કેયર્સ ફંડને સરકારી ફંડના રૂપમાં રજુ કરાઇ છે. સોગંદનામામાં PM CARES ફંડને એક સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ કહેવામાં આવ્યું છે, જે ફક્ત સ્વૈચ્છિક દાન સ્વીકાર કરે છે અને કેન્દ્ર સરકારનું કાર્ય નથી. પીએમ કેયર્સ ફંડને સરકાર તરફથી ધન મળતું નથી.

પીએમ કેયર્સ ફંડની રચના 1 એપ્રિલ 2020ના રોજ કોવિડ-19 જેવી મહામારીની સ્થિતિઓથી નિપટવા માટે દાન પ્રાપ્ત કરવા માટે કરવામાં આવી હતી. કોર્પોરેટ મામલોના મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે પીએમ કેયર્સ ફંડમાં કંપનીઓ દ્વારા યોગદાન અનિવાર્ય કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR)અંતર્ગત ગણવામાં આવશે.

(with inputs from Bar and Bench, Live Law)

કેન્દ્ર સરકાર દેશ