લોકસભા ચૂંટણી પહેલા આપ-કોંગ્રેસે સાથે મળી ભાજપનું ટેન્શન વધાર્યું, આ ચૂંટણીમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ

Chandigarh Mayor Polls : લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) પહેલા ચંદીગઢ મેયરની ચૂંટણી માટે આપ અને કોંગ્રેસે ગઠબંધન (AAP Congress alliance) કરતા ભાજપ (ઝ) ટેન્શનામાં, બંનેએ ભેગા થઈ ભાજપને હરાવવાનું નક્કી કર્યું. સમજો આંકડાનું ગણિત.

Written by Kiran Mehta
January 15, 2024 17:40 IST
લોકસભા ચૂંટણી પહેલા આપ-કોંગ્રેસે સાથે મળી ભાજપનું ટેન્શન વધાર્યું, આ ચૂંટણીમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ
ચંદીગઢ મેયર ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન

Chandigarh Mayor Polls : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું ટેન્શન વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. બંને પક્ષોએ સાથે મળીને ચંદીગઢ મેયરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કરાર મુજબ, AAP મેયરની ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ અન્ય બે સિનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણી લડશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન બંસલે સોમવારે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ વરિષ્ઠ ડેપ્યુટી મેયર પદ માટે તેના ઉમેદવારો ઉભા કરશે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. AAP અને કોંગ્રેસે ગયા મહિને ચંદીગઢમાં મેયરની ચૂંટણી માટે સીટ-વહેંચણીના સમીકરણને પતાવટ કરવામાં નિષ્ફળ ગયા બાદ તેમના સંબંધિત ઉમેદવારોની જાહેરાત કરી હતી.

પવન બંસલે કહ્યું કે, લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે પરંતુ, તે પહેલા કોર્પોરેશનની ચૂંટણી આવી ગઈ છે. અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને એ નક્કી કરવામાં આવ્યું છે કે, મેયર પદ માટે AAP અને કોંગ્રેસ સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, આ સમજૂતીનો અર્થ એ થશે કે ઈન્ડિયા ગઠબંધનમાંથી અમારા ઉમેદવાર સારી બહુમતી સાથે સફળ થશે. તેમણે કહ્યું, “રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમે જાણીએ છીએ કે, કોંગ્રેસ અને AAP વચ્ચે સમજૂતી છે. વિવિધ પક્ષો વચ્ચે બેઠકો યોજાઈ છે જેમાં સર્વસંમતિ સધાઈ છે. આ સમયે લોકશાહીની ભાવનાઓને બચાવવા માટે દરેક એક સાથે આવ્યા છે.

ચંદીગઢ મેયરની ચૂંટણીનું ગણિત – કુલ 35 કાઉન્સિલરો મતદાન કરશે

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કુલ 35 કાઉન્સિલરો પોતાનો મત આપશે. હાલમાં ભાજપ પાસે 14 કાઉન્સિલર અને એક સાંસદનો વોટ છે, જ્યારે આમ આદમી પાર્ટી પાસે 13 અને કોંગ્રેસ પાસે 7 કાઉન્સિલર છે.

શિરોમણી અકાલી દળ પાસે 1 કાઉન્સિલર છે.

બહુમતી માટે 18 મતોની જરૂર છે, જેમાંથી ભાજપ પાસે સૌથી વધુ 15 મત છે. જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે આવે તો તેમની પાસે કુલ 20 વોટ હશે.

આ પહેલા દિલ્હીમાં કેજરીવાલ અને ખડગે વચ્ચે મુલાકાત થઈ હતી

આ ગઠબંધન ત્યારે થયું છે, જ્યારે AAP અને કોંગ્રેસ 2024 ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો –

આ બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. AAP અને કોંગ્રેસ દિલ્હી, પંજાબ તેમજ ગોવા અને હરિયાણામાં સીટો વહેંચી શકે છે.

આ દરમિયાન, દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે રવિવારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના “પ્રમુખ” તરીકે નામ આપવામાં આવ્યું તે બદલ અભિનંદન આપ્યા. દિલ્હીના મંત્રીએ કહ્યું કે, ખડગે એક મોટા નેતા છે અને તમામ ગઠબંધન ભાગીદારો તેમનું સન્માન કરે છે અને તેમની વાત સાંભળે છે. તેમણે કહ્યું કે, તેમને અધ્યક્ષ બનાવવા એ સારો સંકેત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ