Live

Chandrayaan 3 Landing Live : ચંદ્રયાન-3 : લેન્ડરમાંથી રોવર બહાર આવ્યું, ચંદ્ર પર છોડશે ભારતની છાપ

Chandrayaan-3 Landing Live Status Tracker Updates : ચંદ્રયાન 3 લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ ઈસરોની યુ ટ્યૂબ ચેનલ પર કરવામાં આવશે. આ ઉપરાંત દૂરદર્શન ટીવી પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો આવતી કાલ એટલે કે બુધવાર ભારતના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે.

Written by Ankit Patel
Updated : February 14, 2024 19:09 IST
Chandrayaan 3 Landing Live : ચંદ્રયાન-3 : લેન્ડરમાંથી રોવર બહાર આવ્યું, ચંદ્ર પર છોડશે ભારતની છાપ
ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ - Photo - ISRO

ISRO Chandrayaan 3, Moon Landing Live Updates : ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવીને ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત આવી સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, સોવિયત યુનિયન (રશિયા) અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ભારતે દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાનના લેન્ડરે ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી રોવર બહાર આવ્યું છે.

રોવર છ પૈડાવાળો રોબટ છે. આ ચાંદની સપાટી પર ચાલશે. તેના પૈડા પર અશોક સ્તંભની છાપ છે. જેમ-જેમ તે ચાંદની સપાટી પર ચાલશે તેમ-તેમ અશોક સ્તંભની છાપ પડશે. રોવરનું મિશન લાઇફ 1 લૂનર ડે છે. ચાંદ પર પૃથ્વીના 14 દિવસ બરાબર એક દિવસ થાય છે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે.

Live Updates

ચંદ્રયાન-3 : લેન્ડરમાંથી રોવર બહાર આવ્યું, ચંદ્ર પર છોડશે ભારતની છાપ

ભારતનું ચંદ્રયાન 3 મિશન સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાનના લેન્ડરે ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી રોવર બહાર આવ્યું છે. રોવર છ પૈડાવાળો રોબટ છે. આ ચાંદની સપાટી પર ચાલશે. તેના પૈડા પર અશોક સ્તંભની છાપ છે. જેમ-જેમ તે ચાંદની સપાટી પર ચાલશે તેમ-તેમ અશોક સ્તંભની છાપ પડશે. રોવરનું મિશન લાઇફ 1 લૂનર ડે છે. ચાંદ પર પૃથ્વીના 14 દિવસ બરાબર એક દિવસ થાય છે.

ચંદ્રયાન-3: ભારતની સફળતા પર શું કહી રહી છે દુનિયા? વિદેશી મીડિયામાં ભારતનો જયજયકાર

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Landing : ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચર્ચાનો વિષય છે. વધુ વાંચો

ચંદ્રયાન 3 : લેન્ડિંગ પછી લેન્ડર વિક્રમે મોકલી પ્રથમ તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ

Lazy Load Placeholder Image

Chandrayaan 3 sent first picture : લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી લેવામાં આવી છે. આ તસવીર લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે. વધુ વાંચો

પીએમ મોદીએ ઇસરોના ચેરમેન એસ સોમનાથને ફોન કરી અભિનંદન પાઠવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ચંદ્રયાનની સફળતા લાઇવ નીહાળી હતી

ભારતીય ક્રિકેટ ટીમે ચંદ્રયાન 3 ની સફળતાને લાઇવ નિહાળી

ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન- સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે આજે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. આઝાદીના અમૃતકાળની આ સિદ્ધિ ભારતને વિકસિત દેશોની હરોળમાં મોખરાના સ્થાને બિરાજમાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ

પીએમ મોદીએ કહ્યું - આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદનો

પીએમ મોદીએ કહ્યું – આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદનો છે. આ સફળ મિશન પર ભારત જીતની ઉજવણીમાં ડુબેલો છે.

ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી પીએમ નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં તિરંગો ફરકાવ્યો

ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવીને ભારતે ઇતિહાસ રચ્યો

ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવીને ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારત આવી સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, સોવિયત યુનિયન (રશિયા) અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ભારતે દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો છે.

ચંદ્રયાન 3 મિશનની લેન્ડિંગ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી જોડાયા

ચંદ્રયાન 3 મિશનની લેન્ડિંગ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી જોડાઇ ગયા છે.

Lazy Load Placeholder Image

લેન્ડિંગની 20 ટકા પ્રક્રિયા પુરી

ચંદ્રયાન લેન્ડિંગની પ્રક્રિયા સાંજે 6.04 કલાકે થશે. લેન્ડિંગ પ્રક્રિયાનું 20 ટકા કામ પુરું થઇ ગયું છે. પ્રથમ ચરણની પ્રક્રિયા 11 મિનિટની છે.

Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 મિશનમાં આ વૈજ્ઞાનિકોનું મહત્ત્વનું યોગદાન, આ ટીમ છે જે ઈતિહાસ રચવા જઈ રહી

Lazy Load Placeholder Image

Chandrayaan-3 Vikram Lander Soft Landing Update : ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરવા તૈયાર છે, ત્યારે એ પણ જાણવું જોઈએ કે, આ મિશનને આટલે સુધી સફળતાપૂર્વક પાર કરાવનાર ઈસરો (ISRO) વૈજ્ઞાનિકો (scientists) કોણ છે? તો જોઈએ તેમના નામ. વધુ વાંચો

બ્રિક્સ સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ ભારતને અભિનંદન પાઠવ્યા

બ્રિક્સ સમિટમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ કહ્યું કે હું ભારતને અભિનંદન પાઠવું છું, ખાસ કરીને જ્યારે તમે અંતરિક્ષમાં સહયોગની આવશ્યકતા વિશે બોલો છો. થોડાક કલાકોમાં ભારતનું અંતરિક્ષ યાન ચંદ્રયાન 3 ચંદ્રમા પર ઉતરશે. બ્રિક્સ પરિવાર માટે એક મહત્વપૂર્ણ અવસર છે અને અમે તમારી સાથે ખુશ છીએ. અમે આ મહાન ઉપલબ્ધિની ખુશીમાં તમારી સાથે સામેલ છીએ.

Chandrayaan 3 Landing Live : ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર કરશે લેન્ડિંગ, અહીં જુઓ Live

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Landing Live Status Tracker Updates : 40 દિવસની સફર પુરી કર્યા પછી ચંદ્રયાન 3 સાંજે 6 કલાકને 4 મિનિટ પર ચન્દ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરશે. ચંદ્રયાન 3 ને ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવવા માટે ઇસરોએ વિક્રમ લેન્ડરમાં જરૂરી કમાન્ડ આપી દીધા. વધુ વાંચો

ગુરુદ્વારા રકબગંજ સાહિબમાં કરવામાં આવી વિશેષ અરદાસ

દિલ્હીમાં આવેલા ગુરુદ્વારા રકબગંજ સાહિબમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે અરદાસ કરી.

Chandrayaan-3 Landing, ચંદ્રયાન 3 : રંભા, ચાસ્ટે અને ઇલ્સા ખોલશે ચંદ્રના રહસ્યો, જાણો ચંદ્રયાન 3 માં લાગેલા પેલોડ્સ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Landing Live Status Tracker Updates : ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી લગભગ 4 કલાક પછી વિક્રમ લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે . વધુ વાંચો

15 વર્ષમાં ત્રીજું ચંદ્ર અભયાન

ISROએ 15 વર્ષમાં ત્રણ ચંદ્ર અભિયાન મોકલ્યા છે. એવું પ્રતીત થાય છે કે ચંદ્ર ઇસરોને વારંવાર આમંત્રણ કરે છે. વૈજ્ઞાનિકોએ 2009માં ચંદ્રયાન 1થી મળેલા ડેટાને પહેલીવાર ઉપયોગમાં લઈને ચંદ્ના ધ્રુવીય ક્ષેત્રોમાં અંધકાર વાળા અને સૌથી વધારે ઠંડા ભાગમાં બરફના અંશની જાણ થઈ હતી. ચંદ્રયાન 1 ભારતનો પહેલું ચંદ્ર અભિયાન હતું. ત્યારબાદ એક દશક બાદ ચંદ્રયાન 2 ને 22 જુલાઈ 2019ની સફળાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે.

Chandrayaan 3 : ચંદ્રયાન 3 ઇતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે ચંદ્ર વિષે આ ખાસ બાબતો જાણવા જેવી

Lazy Load Placeholder Image

Chandrayaan 3 : જો તમે ચંદ્ર પર ઊભા રહીને પૃથ્વી તરફ જોશો તો તમને પૃથ્વી તેની ધરી પર ફરતી સ્પષ્ટ દેખાશે, પરંતુ આકાશમાં તેની સ્થિતિ હંમેશા સ્થિર રહે છે.વધુમાં અહીં વાંચો. વધુ વાંચો

ઇતિહાસ રચવા માટે તૈયાર ચંદ્રયાન 3

ભારત ઇતિહાસ રચવાની નજીક છે કારણ કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્રયાન અભિયાન ત્રમ લેન્ડર મોડ્યુલ એલએમ બુધવારે સાંજે ચંદ્રની સપાટીને ઉતરવા માટે તૈયાર છે. આવું થયા બાદ ભારત આ ઉપલબ્ધિ હાસલ કરનાર ચોથો દેશ અને ધરતીનો એક માત્ર પ્રાકૃતિક ઉપગ્રહને દક્ષિણી ધ્રૂવ પર પહોંચનાર પહેલો દેશ બનશે.

chandrayaan 3 live : ભારતે અવકાશ ભેત્રમાં મોટી છલાંગ લગાવી : અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતે અવકાશ ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે. આપણે બધા આ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ કે ચંદ્રયાન 3 મિશન સફળ થશે. આ ભારત દુનિયા એ દેશોમાં સામેલ થશે જેમણે અંતરિક્ષ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

30.5 KM ની ઉંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરશે ચંદ્રયાન 3, ઇસરોએ વિક્રમ લેન્ડરમાં લોડ કર્યા કમાંડ

ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક થવા જઇ રહ્યો છે. સાંજે 6.4 વાગ્યે પર ચંદ્રયાન 3ને દક્ષિણી ધ્રૂવની સપાટ પર લેન્ડ કરવાની કોશિશ કરશે. આખા વિશ્વની નજર આજે ચંદ્રયાન 3 પર ટકેલી છે. દેશને લોકો ચંદ્રયાનની સફળતા માટે પૂજા અર્ચના કરી રહ્યા છે. આ વચ્ચે ઈસરોએ ભારત માટે મોટા સમાચાર આપ્યા છે. વિક્રમ લેન્ડરના બધા પેરામીટર ઉપર સતત તપાસ ચાલું છે. ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 3 ના વિક્રમ લેન્ડરમાં લેન્ડિંગના કમાન્ડ લોડ કરી દીધા છે. બપોરે આ કમાન્ડને લોક કરી દેવામાં આવશે. અત્યારે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટીથી 30.5 કીમી દૂર પર ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે.

chandrayaan 3 live : ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગ માટે અજમેર શરીફ દરગાહમાં પ્રાર્થના

ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે માતા વૈષ્ણો દેવી ગુફા યોગ મંદિર ટપકેશ્વર મહાદેવ દહેરાદુ દ્વારા આજે હરિદ્વારમાં વિશેષ ગંગા પૂજા કરવામાં આવી હતી ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ માટે રાજસ્થાનના અજમેર શરીફની દરગાહમાં પ્રાર્થના કરવામાં આવી હતી.

chandrayaan 3 live : ઉત્તર પ્રેદશના ઉપ મુખ્યમંત્રી ચંદ્રયાન મિશનની સફળતા માટે શુભકામનાઓ આપી

ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે ચંદ્રયાન મિશન ઉપર શુભકામાઓ આપતા કહ્યું કે હું શુભકામાઓ આપવા માંગુ છુ અને પ્રાર્થના કરું છું કે ચંદ્રયાન 3 ચંદ્રમા ઉપર સોફ્ટ લેન્ડિંગ કરે. આખો દેશ રાહ જોઈને બેઠો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે. વૈજ્ઞાનિકોને પ્રણામ કરું છું.

chandrayaan 3 live : યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ચંદ્રયાન 3 લેન્ડિંગનું સીધુ પ્રસારણ

કેન્દ્ર સરકારે બધી યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ચંદ્રયાન 3 લેન્ડિંગનું સીધું પ્રસારણ દેખાડવા માટે વિશેષ આયોજન કરવા માટે કહ્યું છે. ઉચ્ચ શિક્ષા સચિવના સંજય મૂર્તિએ દરેક શિક્ષણ સંસ્થાનોના પ્રમુખ માટે એક પત્રમાં કહ્યું છે. ભારતના ચંદ્રયાન 3ની લેન્ડિંગ એક યાદગાર અવસર છે. જે માત્ર જિજ્ઞાસાને પ્રોત્સાહનઆપશે. પરંતુ આપણા યુવાનોના મનમાં અન્વેષણ માટે જનૂન પણ જગાવશે. આનાથી ગર્વ અને એક્તા ઊંડી ભાવના પેદા થશે. આપણે સામૂહિક રૂપથી ભારતીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીની તાકતનો જન્શ મનાવશું.

Chandrayaan 3 landing : Luna 25 ની જેમ સીધું ચંદ્ર પર કેમ ન પહોંચ્યું ચંદ્રયાન 3, ISROએ આ ટેકનિકથી બચાવ્યા દેશના કરોડો રૂપિયા

Lazy Load Placeholder Image

Chandrayaan-3 Landing Live Status Tracker Updates : 14 જુલાઈએ ચંદ્રયાન 3 લોન્ચ થયા બાદ ચંદ્રની સપાટી ઉપર ઉતરવા પર 41 દિવસનો સમય લાગ્યો છે. આ પહેલા ચીન, અમેરિકા અને રશિયા માત્ર 4 દિવસોમાં જ પોતાનું મિશન પુરુ કરી ચૂક્યા છે. વધુ વાંચો

કેમ કરવામાં આવ્યો આ ટેક્નિકનો ઉપયોગ

ભારતે પોતાના મીન મિશનને ઠીક એવી ટેક્નિકનો ઉપયોગ કર્યો જેવો મંગળ મિશન દરમિયા કર્યો હતો. જોકે, બીજા દેશ અત્યાર સુધી ચંદ્ર પર સીધા પહોંચ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ ચંદ્ર પર સીધા જવાથી વધારે ઇંધણ ખર્ચ થાય છે. આનાથી મિશનનો ખર્ચ પણ વધી જાય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે ચીન, અમેરિકા અને રશિયા ભારતની તુલનાએ એડવાન્સ છે. તેમના રોકેટ ઇસરો કરતા વધારે પાવરફૂલ છે. કોઈપણ રોકેટમાં ફ્યૂલની ક્ષમતા જેટલી વધારે હોય છે તે એટલું વધારે પાવરફૂલ હોય છે.

ચંદ્રયાન 3 એ બચાવ્યા દેશના કરોડો રૂપિયા

ઈસરોએ આ ટેકનિકનો ઉપયોગ કરીને દેશના કરોડો રૂપિયા પણ બચાવ્યા છે. જો સામાન્ય ભાષામાં સમજીએ તો ચંદ્રયાન 3 જ્યારે પૃથ્વીની કક્ષામાં પહોંચે છે તો તેની સાથે જ ચારે બાજુ ફરવા લાગે છે. ધીરે ધીરે આની કક્ષા વધારવામાં આવી. આમાં ઓછું ઇંધણ ખર્ચ થાય છે. પૃથ્વીની કક્ષાથી બહાર નિકળ્યા બાદ આ ચંદ્રની કક્ષામાં પહોંચી ગઈ છે. ધીર ધીરે આ ચંદ્રની કક્ષામાં નીચે લાવવામાં આવ્યું છે. હવે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર માત્ર 25 કિમી ઉપર ફરી રહ્યું છે. ઈસરો ધીરે ધીરે આની સ્પીડ ઓછી કરીને સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી રહી છે.

2019માં ચંદ્રયાન 2 માં પણ આ ટેકનિકનો થયો હતો ઉપયોગ

2019માં ભારતના ચંદ્રયાન 2માં પણ આ ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ ન થઇ શક્યું. ચંદ્રયાન લેન્ડિંગ સમય જ ક્રેશ થયું હતું. આ વખતે ચંદ્રયાન 3 મિશનને બનાવતા સમયે વધારે ફોકસ આના સોફ્ટ લેન્ડિંગ પર કરવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડિગમાં સફળતા પૂર્વક લેન્ડ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર લેન્ડરની અંદરની કાઢશે અને ચંદ્રની સપાટી પર હાજર મહત્વની જાણકારી એકત્ર કરશે. રોવરની ચંદ્રની સપાટી પરની માહિતી ધરતી પર મોકલશે.

ચંદ્રયાન 3 એ બચાવ્યા દેશના કરોડો રૂપિયા

ઈસરોએ આ ટેકનિકનો ઉપયોગ કરીને દેશના કરોડો રૂપિયા પણ બચાવ્યા છે. જો સામાન્ય ભાષામાં સમજીએ તો ચંદ્રયાન 3 જ્યારે પૃથ્વીની કક્ષામાં પહોંચે છે તો તેની સાથે જ ચારે બાજુ ફરવા લાગે છે. ધીરે ધીરે આની કક્ષા વધારવામાં આવી. આમાં ઓછું ઇંધણ ખર્ચ થાય છે. પૃથ્વીની કક્ષાથી બહાર નિકળ્યા બાદ આ ચંદ્રની કક્ષામાં પહોંચી ગઈ છે. ધીર ધીરે આ ચંદ્રની કક્ષામાં નીચે લાવવામાં આવ્યું છે. હવે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર માત્ર 25 કિમી ઉપર ફરી રહ્યું છે. ઈસરો ધીરે ધીરે આની સ્પીડ ઓછી કરીને સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી રહી છે.

chandrayaan 3 live : ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે વારાણસીમાં હવન

ઈસરોના મહત્વપૂર્ણ મૂન મિનશન ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે વારાણસીમાં હવન કરવામાં આવ્યા છે.

chandrayaan 3 live : આપણે સારું કરીશું : ઈસરો પૂર્વ નિદેશક

ઈસરોના પૂર્વ નિદેશક ડો. સુરેન્દ્ર પાલે કહ્યું કે મને ઇસરોના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે કે અમે સારું કરીશું. કારણ કે ચંદ્રયાન 2 ની તુલનાએ ખુબ જ સારો ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે અનેક અલ્ગોરિધમ બદલ્યા છે. પૂર્વ અંશાંકન કરવામાં અવ્યું છે. લેન્ડરમાં ફરવાની ક્ષમતા છે. લેન્ડિંગ ક્ષેત્રને 2.5 કિમી વધારીને 4 કિલોમીટર કરવામાં આવી છે.

chandrayaan 3 live : દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન 3 લેન્ડિંગ કાર્યક્રમ નિહાળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન 3 ના લેન્ડિંગને જોવા માટે દક્ષિણ આફ્રિકામાં શરુ થનારા બ્રિક્સ સમિટ વચ્ચે જ જોડાશે. માનવામાં આવી રહ્યું છે કે વીડિયો કોન્ફેન્સિંગ થકી વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ જોશે. અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરશે. આ પહેલા ચંદ્રયાન 2ના લેન્ડિંગ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરો કાર્યાલય પહોંચ્યા હતા.

ઇસરોનું ટેલીમેટ્રીક ટ્રેકિંગ અને કમાંડ સેન્ટર કમાંડ ચાલુ કરશે તો અંતરિક્ષ યાનને નીચે ઉતારવાનું શરુ કરવાનો સંકેદ આપશે

બેંગ્લુરુમાં ઈસરોના ટેલીમેટ્રીક ટ્રેકિંગ અને કમાંડ સેન્ટર 5.47 વાગ્યે એક કમાંડ રજૂ કરશે જે અંતરિક્ષ યાનને નીચે ઉતારવાનું શરુ કરવાનો સંકેત આપશે. કક્ષામાં લગભગ 6000 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે ટચડાઉન કરતા સમયે યાનને શૂન્યની નજીક ધીમું કરવું પડશે. જેમાં 10 કિમી પ્રતિ કલાક ગતિથી સુરક્ષિત રુપથી ઉતરવા માટે ડિઝાઈન કર્યું છે.

chandrayaan 3 live : ચંદ્રયાનની સફળ લેન્ડિંગ માટે અમેરિકામાં પ્રાર્થના

ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ માટે અમેરિકાના ન્યૂ જર્સીના મોનરોમાં ઓમ શ્રી સાઈ બાલાજી મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પ્રાર્થના કરવામાં આવી છે. ચંદ્રાયન 3ના સફળ લેન્ડિંગ માટે અમેરિકાના વર્જીનિયાના એક મંદિરમાં હવન કરવામાં આવ્યા.

chandrayaan 3 live : ચંદ્રયાન ગાન પર ભરતનાટ્યમ

નાગપુરમાં ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યાંગના પૂજા હિરવાડેએ નમો નમો ભારતામ્બે અને ચંદ્રયાન ગાન પર ભરતનાટ્યમ પ્રસ્તુત કર્યું હતું.

Chandrayaan-3 Landing Live : આજે ચંદ્ર પર ભારતની સૌથી મોટી ચઢાઈ, ચંદ્રયાનને દક્ષિણી ધ્રૂવ પર કરવાનું છે લેન્ડિંગ, લૂના 23 મળેલી સીખ ઇતિહાસ રચવા માટે મહત્વની

Lazy Load Placeholder Image

Chandrayaan-3 Landing Live Status Tracker Updates: ચંદ્રયાન પહેલીવાર ચંદના દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરનારું છે. આ ચંદ્રનો હિસ્સો છે જે દુનિયાના અનેક દેશ એક્સપ્લોર કરવા માંગે છે. રશિયાનું લૂના 25 તો આ કરતા કરતા ફેઇલ થઈ ચૂક્યું છે. હવે ભારતની પાસે એક વર્ષની ક્રાંતિ લખવાનો સૂવર્ણ તક છે. વધુ વાંચો

લૂના 25થી ઈસરોએ શું સીખ લીધી?

હવે રશિયાના લૂના 25થી ઇસરોએ સીખ લીધી છે. રશિયાને એ વાત ઉપર વધારે ગર્વ હતું કે તેનું લુના 25 ભારતના ઈસરો પહેલા ચંદ્ર પર પહોંચી જશે. પરંતુ તેમનો આવો અહંકાર તેને નિષ્ફળ બનાવ્યો અને ઓવર સ્પીડિંગના કારણે જ તેનું લૂના ખોટા ઓર્બિટમાં દાખલ થયું અને ચંદ્રની જમીન પર ક્રેશ થયું હતું. ચંદ્રયાન 2 પણ સમય રહેતા જ પોતાની ગતિ ધીમી ન કરી શક્યું હતું અને તેનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું હતું. હવે ચંદ્રયાન 3 માટે ઇસરોએ જૂની બધી ભૂલોએ સીખ લીધી હતી. આ કારણે એકવાર ફરીથી ભારતનું મૂન મિશન ઉતાવળમાં નહીં પરંતુ દરેક પડાવને પાર કરવા ચાલ્યું છે.

કાચબાની ચાલે ચંદ્રયાન 3નું થશે લેન્ડિંગ

ઇસરોએ થોડા કલાક પહેલા જ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બધુ બિલકુલ ઠીક છે. વિક્રમ લેન્ડિંગ કરવા માટે સંપૂર્ણ પણ તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતનું ચંદ્રયાન 3 આજે સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. હવે એ સમજવું જરૂરી છે કે ચંદ્રયાન કોઈ એક ઝટકામાં લેન્ડિંગ નહીં કરે. તે કાચબાની ચાલથી લેન્ડિંગ કરશે. ચંદ્રયાન જેટલું નજીક આવે એટલી તેની ગતિ ઓછી થતી જશે.

લૂના 23 મળેલી સીખ ઇતિહાસ રચવા માટે મહત્વની

ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 આજે ઇતિહાસ રચવા માટે ખૂબ જ મહત્વનું છે. આ ક્ષણની દેશવાસીઓ સહિત દુનિયા પણ રાહ જોઈને બેઠી છે. ચંદ્રયાન પહેલીવાર ચંદના દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરનારું છે. આ ચંદ્રનો હિસ્સો છે જે દુનિયાના અનેક દેશ એક્સપ્લોર કરવા માંગે છે. રશિયાનું લૂના 25 તો આ કરતા કરતા ફેઇલ થઈ ચૂક્યું છે. હવે ભારતની પાસે એક વર્ષની ક્રાંતિ લખવાનો સૂવર્ણ તક છે.

ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર સાંજે લેન્ડ કરશે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ કેમ ઉતારવામાં આવી રહ્યું છે? તમારા દરેક સવાલોના જવાબ જાણો

Lazy Load Placeholder Image

Chandrayaan 3 : ચંદ્રયાન 3 બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. નિષ્ણાંત ડો.વી.ટી. વેંકટેશ્વરને ચંદ્રની રહસ્યમય દુનિયા વિશે કેટલીક વાતો કહી છે. એટલે કે ચંદ્રયાન 3 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ તમે અહીં જાણી શકો છો.. વધુ વાંચો

ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને ચંદ્રના ઉત્ક્રાંતિની વિભાવના શું છે? બીજા શબ્દોમાં કહીએ તો, તે કેટલું જૂનું છે અને ક્યારે અને કેવી રીતે તેનું નિર્માણ થયું?

ચંદ્રની ઉંમર લગભગ 4.5 અબજ વર્ષ છે. એટલે કે તેની ઉંમર લગભગ પૃથ્વી જેટલી જ છે. ચંદ્રની રચનાનો એક મુખ્ય સિદ્ધાંત છે. આ થિયરી અનુસાર મંગળ ગ્રહના આકારનો એક ખગોળીય પીંડ યુવાન પૃથ્વી સાથે ટકરાયો હતો અને આ ટક્કરથી નીકળેલા કાટમાળમાંથી ચંદ્રની રચના થઈ હતી. જોકે ચંદ્રથી મળેલા ભુર્ગર્ભીય પુરાવા સંકેત આપે છે કે તે પૃથ્વી કરતા માત્ર 6 કરોડ વર્ષ યુવા હોઈ શકે છે.

પૃથ્વીની સરખામણીએ ચંદ્ર પરની વસ્તુનું વજન કેટલું હશે અને શા માટે?

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ઘણું નીચું છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં છઠ્ઠા ભાગનું છે. જેના કારણે ચંદ્ર પર કોઈ વસ્તુનું વજન પૃથ્વી કરતા ઓછું હશે. આ ચંદ્રના નાના કદ અને સમૂહ વજનને કારણે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનું વજન પૃથ્વી પર 68 કિલો છે તો ચંદ્રની સપાટી પર તેનું વજન માત્ર 11 કિલો હશે.

ભારતીય વૈજ્ઞાનિકો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર કેમ ઉતારવા માંગે છે?

ચંદ્રનો દક્ષિણ ધ્રુવ તેની વિશેષતા અને વૈજ્ઞાનિક મૂલ્યને કારણે વૈજ્ઞાનિક શોધના કેન્દ્રમાં રહે છે. માનવામાં આવે છે કે દક્ષિણ ધ્રુવમાં પાણી અને બરફનો મોટો ભંડાર છે જે કાયમી ધોરણે અંધકારમાં રહે છે. પાણીની હાજરી ભવિષ્યના અવકાશ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેને પીવાના પાણી, ઓક્સિજન અને રોકેટ બળતણ તરીકે હાઇડ્રોજન જેવા સંસાધનોમાં રૂપાંતરિત કરી શકાય છે. આ વિસ્તાર કાયમ માટે સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને તાપમાન માઇનસ 50થી 100 ડિગ્રી રહે છે. આ રોવર અથવા લેન્ડરમાં હાજર ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે આદર્શ રાસાયણિક પરિસ્થિતિઓ પ્રદાન કરે છે જેથી તેઓ વધુ સારી રીતે કાર્ય કરી શકે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શું છે? શું ત્યાંનો ભૂપ્રદેશ બાકીના ચંદ્ર જેવો જ છે કે આપણને તેના વિશે કોઈ ખ્યાલ નથી?

ચંદ્રના દક્ષિણ ધ્રુવનો ભૂભાગ અને ભૌગોલિક રચના તેના અન્ય ભૂપ્રદેશો કરતા અલગ છે. કાયમી ધોરણે અંધારામાં રહેતા ક્રેટર (ઉલ્કાપિંડની અથડામણથી બનેલા ખાડાઓ) ઠંડા રહે છે. જેના કારણે પાણી બરફના સ્વરૂપમાં જમા થવાની સ્થિતિ ઉત્પન થાય છે. દક્ષિણ ધ્રુવની અનોખી ભૌગોલિક સ્થિતિના કારણે સૂર્ય પ્રકાશનો લાંબો સમય રહે છે જેનો ઉપયોગ સૌર ઊર્જા માટે કરી શકાય છે. આ ક્ષેત્ર ઉબડ-ખાબડ બનાવટથી લઇને સપાટ છે જે ઘણા વૈજ્ઞાનિકોને અધ્યયન કરવાની તકો પૂરી પાડે છે.

કેમ ચંદ્રનો દક્ષિણ ધ્રુવ સ્થાયી રુપથી પડછાયામાં રહે છે?

તે ચંદ્રના ભૂસ્તરશાસ્ત્ર પર આધારિત છે. ચંદ્રની ધરી પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષામાં સહેજ નમેલી છે. જેના કારણે દક્ષિણ ધ્રુવના કેટલાક વિસ્તારો હંમેશા પડછાયામાં રહે છે. આ છાંયડો ખૂબ જ ઠંડુ વાતાવરણ સર્જે છે. અહીં તાપમાન ઘણું નીચે જઈ શકે છે. આ ઠંડકની સ્થિતિ અબજો વર્ષો સુધી બરફના રૂપમાં પાણીને જાળવવામાં મદદ કરે છે.

શું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી/બરફની હાજરી છે?

ચંદ્રયાન-1 એ આ વાતનો સંકેત આપ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં બરફ સ્વરૂપે પાણીની હાજરીની પુષ્ટિ થઈ છે. વર્ષ 2008માં મોકલવામાં આવેલા ભારતના ચંદ્રયાન-1 અવકાશયાન સહિત વિવિધ ચંદ્ર મિશનના ડેટાએ એવા વિસ્તારમાં પાણીની હાજરીનો સંકેત આપ્યો છે, જે હંમેશા પડછાયામાં રહે છે. આ શોધથી ચંદ્ર પરની શોધને વેગ મળ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ