Chandrayaan 3: જ્યાં સુધી રોવર બહાર ન આવ્યું ત્યાં સુધી હું…’ ચંદ્રયાન-3ની સફળતા પર સિવને કહ્યું – મોડી રાત્રે ઘરે પહોંચ્યો

Chandrayaan 3 mission success story : કે સિવને કહ્યું, 'આખરે અમારી પ્રાર્થના સાચી પડી. લેન્ડિંગ પછી અમે પાછા ન આવ્યા, જ્યાં સુધી રોવર લેન્ડરમાંથી બહાર ન આવ્યું ત્યાં સુધી હું કંટ્રોલ રૂમમાં બેઠો રહ્યો. રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું અને ચંદ્રની સપાટી પર ગયું, આ જોઈને જ હું મોડી રાત્રે ઘરે પાછો ફર્યો.

Written by Kiran Mehta
August 24, 2023 18:01 IST
Chandrayaan 3: જ્યાં સુધી રોવર બહાર ન આવ્યું ત્યાં સુધી હું…’ ચંદ્રયાન-3ની સફળતા પર સિવને કહ્યું – મોડી રાત્રે ઘરે પહોંચ્યો
ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે સિવને કહ્યું કે જો હું ચંદ્રયાન-2ના ઉતરાણ દિવસ અને ગઈકાલની સરખામણી કરું તો ચોક્કસપણે ચંદ્ર પર જવાનું અને દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું મારું સપનું સાકાર થયું

Chandrayaan 3 Success : ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ઈસરો (ISRO) ના પૂર્વ અધ્યક્ષ કે સિવને કહ્યું કે જો હું ચંદ્રયાન-2ના ઉતરાણ દિવસ અને ગઈકાલની સરખામણી કરું તો ચોક્કસપણે ચંદ્ર પર જવાનું અને દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું મારું સપનું સાકાર થયું. ગઈકાલે, તેથી હું ખૂબ જ ખુશ છું કે, ગઈકાલે આ સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું હતું.

કે સિવને કહ્યું, ‘આખરે અમારી પ્રાર્થના સાચી પડી. લેન્ડિંગ પછી પણ અમે પાછા ન આવ્યા, જ્યાં સુધી રોવર લેન્ડરમાંથી બહાર ન આવ્યું ત્યાં સુધી હું કંટ્રોલ રૂમમાં બેઠો રહ્યો. રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું અને ચંદ્રની સપાટી પર ગયું, આ જોઈને જ હું મોડી રાત્રે ઘરે પાછો ફર્યો.

2019 માં નક્કી કર્યું, ગઈકાલે સક્સેસ થવાની ક્ષણ જોઈ : કે સિવાન

ઈસરોના પૂર્વ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ચંદ્રયાન-2માં એક નાની ભૂલને કારણે અમે સફળતા મેળવી શક્યા નથી. નહિતર આપણે આ બધું ચાર વર્ષ પહેલા જ હાંસલ કરી શક્યા હોત. હવે અમે ખૂબ જ ખુશ છીએ કે, અમે તે ભૂલમાંથી શીખ્યા અને તેને સુધારી લીધી. 2019માં જ અમે ચંદ્રયાન ને ગોઠવ્યું અને શું સુધારવું તે પણ 2019માં જ નક્કી કરવામાં આવ્યું. ગઈ કાલે આપણે એ પ્રયત્નનું ફળ જોયું.

ચંદ્રયાન-3 માટે બધુ જ ફરીથી કરવાનું હતું: ISRO ચીફ

ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું, ‘ચંદ્રયાન 2 નું હાર્ડ લેન્ડિંગ થયું, તેથી તેઓ કંઈપણ પુનઃપ્રાપ્ત કરી શક્યા નહીં. ચંદ્રયાન 3 માટે બધું જ નવેસરથી તૈયાર કરવું પડશે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એસ. સોમનાથે કહ્યું, ‘ચંદ્રયાન-3 માટે બધુ નવેસરથી તૈયાર કરવું પડશે. અમે ચંદ્રની સપાટી પરથી ચંદ્રયાન 2 ના કોઈપણ ભાગને પુનઃપ્રાપ્ત કરી શક્યા નથી.

Chandrayaan 3 Success VIDEO

તેમણે કહ્યું કે ચંદ્રયાન 2 ની નિષ્ફળતા પછી, અમારું પ્રથમ વર્ષ ચંદ્રયાન 2 માં શું ખોટું થયું તે શોધવામાં પસાર થયું. પછીના વર્ષે અમે બધું સુધાર્યું. છેલ્લા બે વર્ષ અમે પરીક્ષણમાં વિતાવ્યા. સોમનાથે એમ પણ કહ્યું કે કોવિડ-19 રોગચાળાને કારણે અવકાશ સંશોધન સંસ્થા ઈસરોને ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે કોવિડ-19એ અમારા કેટલાક કાર્યક્રમોમાં વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ અમે તેમ છતાં કેટલાક રોકેટ લોન્ચ કરવાનું ચાલુ રાખ્યું હતું. કોવિડ-19 પછી, અમે પાછા ટ્રેક પર આવ્યા છીએ.

એસ. સોમનાથે કહ્યું, ‘ચંદ્રયાન-3ની સમગ્ર ગણતરી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અથવા દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાની હતી, અને દક્ષિણ ધ્રુવ પર મોટી સંખ્યામાં વૈજ્ઞાનિક શક્યતાઓ છે, જે પાણીની હાજરી સાથે સંબંધિત છે. ચંદ્ર પર ખનીજ છે.

આ પણ વાંચોChandrayaan 3 : ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, ઈસરોએ રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું થયું સફળ લેન્ડિંગ

ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3 એ બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું, દેશ વિશ્વના વિશિષ્ટ સ્પેસ ક્લબમાં સામેલ થયો. આ લેન્ડિંગ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાન લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે, કારણ કે ચંદ્રને સ્પર્શવા માટેનું રશિયાનું મિશન લુના-25 એ જ ક્ષેત્રમાં એન્જિનની નિષ્ફળતાને કારણે ક્રેશ થયું હતું. ચંદ્રની સપાટી પર અવકાશયાન ઉતારવાનો ભારતનો આ ત્રીજો પ્રયાસ હતો. અગાઉ, ચંદ્રયાન 2 ને સપ્ટેમ્બર 2019 માં ચંદ્ર પર લેન્ડર ક્રેશ થયા પછી આંશિક નિષ્ફળતા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ