Chandrayaan 3 Mission Update : વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સોનાની ચાદરથી કેમ ઢાંકવામાં આવ્યા છે? મિશનની સફળતામાં કેટલું મહત્વનું છે, જાણો બધું જ

Chandrayaan 3 Mission latest updates : વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ સોફ્ટ લેન્ડિંગ થયા છે એમાંથી બે પૈકી એક સોફ્ટ લેન્ડિંગ સફળ થયું છે. આ પહેલા ભારતના ચંદ્રયાન 2 નું લેન્ડર ક્રેશ કરી ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ઉતરું મોટી સફળતા છે.

Chandrayaan 3 Mission latest updates : વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ સોફ્ટ લેન્ડિંગ થયા છે એમાંથી બે પૈકી એક સોફ્ટ લેન્ડિંગ સફળ થયું છે. આ પહેલા ભારતના ચંદ્રયાન 2 નું લેન્ડર ક્રેશ કરી ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ઉતરું મોટી સફળતા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Chandrayaan 3 Mission latest updates, Vikram Lander and Pragyan Rover

વિક્રમ લેન્ડર - photo - ISRO

Chandrayaan 3 mission latest updates : ચંદ્રયાન 3 લેન્ડર મોડ્યુલ વિક્રમે બુધવારે સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર લેન્ડિંગ કર્યું. આખી દુનિયા ભારતના ગુણગાન કરી રહી છે. ભારતનું માત્ર ચાંદ પર પહોંચનાર દુનિયાનો સૌથી મોટો દેશ બની ગયો છે. જ્યારે સાઉથ પોલ પર જનાર દુનિયાનો પહેલો દેશ છે. બ્રિક્સ સમ્મેલન અને સપ્ટેમ્બરમાં થનારી જી 20ની મહત્વની બેઠકથી પહેલા ઈસરોની આ ઉપલબ્ધી ભારત માટે ખુબ જ મહત્વની છે. ચંદ્રયાન 3 રોવર પ્રજ્ઞાન પણ હવે લેન્ડરની બહાર આવી ચૂક્યું છે. હવે તે ચંદ્રની તસવીરો મોકલવાનું ચાલું કરશે. વિક્રમ લેન્ડરની અત્યાર સુધીની જે તસવીરો સામે આવી છે જેમાં સોનાની પરત ચઢાવવામાં આવી છે. તો ચાલો જાણીએ કે આ સોનાના પરતનું ચંદ્રયાન 3 મિશનની સફળતા માટે શું યોગદાન છે?

Advertisment

કેમ ચઢાવવામાં આવી છે સોનાની પરત?

ચંદ્રયાન પર સોનાની પરત એક ખાસ કારણે લગાવવામાં આવી છે. આ સોનાનું મુખ્યકામ ચંદ્રયાનના યંત્રોને સૂરજના રેડિએશનથી બચાવવાનું છે. આ સોનેરી પરત ઇન્સુલેશનનું કામ કરે છે. આ બહારની હીટને યંત્રની અંદર આવવાથી રોકે છે. આ પરતને મલ્ટી લેયર ઇન્સુલેશન કહેવાય છે. ઉલ્લેખનીય છે કે અનેક પરતોને મળીને બાવવામાં આવે છે. એટલા માટે મલ્ટી લેયર ઇન્સ્યુલેશન એટલે કે એમએલઆઇ કહેવાય છે.

કેવી રીતે બને છે પરત?

મલ્ટી લેયર ઇન્સુલેશનની મોટાભાગની પરત પોલિસ્ટરની બનેલી હોય છે. આમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરતમાં કેટલા લેયર હોય છે તેની જાડાઈ કેટલી હોય છે તે અનેક બાબતો ઉપર નિર્ભર કરે છે. પરતની જાડાઈ એ વાત પર નક્કી થાય છે કે સ્પેસક્રાફ્ટ અથવા સેટેલાઇટ કયા પ્રકારના ઓર્બિટમાં ચક્કર લગાવશે. સાથે જ સ્પેસક્રાફ્ટ પર સૂર્યની રોશની કેટલી પડે છે અને સ્પેસનું તાપમાન કેટલું વધારે છે અથવા ઓછું છે તેના પર નિર્ભર કરે છે.

ચંદ્રયાન મિશન માટે કેટલું મહત્વ છે આ પરત

વિક્રમ લેન્ડર પર જે સોનેરી પરત લગાવવામાં આવી છે તે એલ્યુમિનિયમ અને પોલિમાઇડની બનેલી છે. આના પર લગાવેલા એલ્યુમિનિયમ વાળો ભાગ અંદરની તરફ છે. મલ્ટી લેયર પરનું મુખ્ય કામ લેન્ડર પર તાપમાનની ખરાબ અસર પડવાથી રોકવાની છે. અંતરીક્ષનું તાપમાન દિવસમાં વદારે અને રાતમાં સૌથી ઓછું હોય છે. કોઈ ઓર્બિટમાં માઇનસ 200 ફેરેનહાઇટ અને ક્યારેક 300 ડિગ્રી ફેરેનહાઈટ સુધી તાપમાન હોય છે. આની સીધી અસર સ્પેસક્રાફ્ટ લેન્ડર અને સેલેટાઇટ પર પડી શકે છે. એટલા માટે આને ખાસ પ્રકારની પરત એટલે કે ઇન્સુલેટરથી ઢાંકવામાં આવે છે. જેથી તાપમાનની અંદર લગાવેલા ડિવાઈસ ખરાબ ન થાય.

Advertisment

ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ચાંદથી દક્ષિણી ધ્રુવ પર ઉતરી ચૂક્યું છે. આની અંદર પ્રજ્ઞાન રોવર પણ બહાર નીકળી ચૂક્યું છે. અહીં સૂરજની કિરણો સીધા વિક્રમ લેન્ડર પર પડશે. જ્યારે કિરણો માટે લેન્ડર અને રોવર એનર્જી પ્રાપ્ત કરશે. ચંદ્રની સપાટી પર અનેક પ્રકારના પ્રયોગ પણ કરશે. આ દરમિયાન સોનેરી પરત સુરજની કિરણોને પાછી રિફ્લેક્ટ કરી દેશે. સૂરજની કિરણોની ખરાબ અસર મશિન પર નહીં પડે. એટલા માટે સોનાની પરત લેન્ડર માટે ખુબ જ મહત્વની છે. એટલું જ નહીં વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરતા દરમિયાન ધૂળની ડરમીઓથી બચાવવા માટે સોનેરી પરતનું મહત્વનું યોગદાન છે.

ISRO Chandrayaan 3 ટેકનોલોજી દેશ