Chandrayaan 3 update : 5 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રના ઓર્બિટમાં પહોંચશે, જો સ્પીડ ઓછી ના થઇ તો શું થશે?

Chandrayaan 3 Update : ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 3 શનિવારે એટલે 5 ઓગસ્ટે સાંજે 7 થી 7.30 કલાકે ચંદ્રના બહારના ઓર્બિટમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પાંચ વખત આગળ વધીને ચંદ્રની સપાટીની નજીક જવાનો પ્રયાસ કરશે

Written by Ashish Goyal
August 01, 2023 18:14 IST
Chandrayaan 3 update : 5 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્રના ઓર્બિટમાં પહોંચશે, જો સ્પીડ ઓછી ના થઇ તો શું થશે?
ઇસરોએ ચંદ્રયાન 3 નું લોકેશન શેર કર્યું (તસવીર - ઇસરો)

ISRO Chandrayaan 3 Update : ચંદ્રયાન 3 મિશને એક પડાવ પાર કરી લીધો છે. 1 ઓગસ્ટે રાત્રે 12.23 કલાકે ચંદ્રયાન 3 પૃથ્વીના ઓર્બિટને છોડીને ચાંદ તરફ ચાલ્યું ગયું છે. આ માટે ચંદ્રયાન 3 ને 20 મિનિટ માટે પ્રોપલ્શન મોડલ ચાલુ કરવામાં આવ્યું છે. પ્રોપલ્શનની મદદથી ચંદ્રયાન 3ને ટ્રાસ લૂનર ટ્રોજેક્ટરી પર મોકલવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં કુલ 179 કિલો ઇંધણનો ઉપયોગ થયો છે. ઇસરોએ આશા વ્યક્ત કરી છે કે 5 ઓગસ્ટે ચદ્રયાન 3 ચાંદના ઓર્બિટમાં સગી સલામત પહોંચી જશે. ચંદ્રયાન 3 એ અત્યાર સુધી પૃથ્વીના પાંચ ઓર્બિટ મેન્યૂવરમાં 500-600 કિલો ઇંધણનો ઉપયોગ કર્યો છે. હાલ ચંદ્રયાન 3 પાસે 1100-1200 કિલો ઇંધણ બચ્યું છે.

ચાંદની કક્ષામાં ક્યારે પ્રવેશ કરશે?

ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 3 શનિવારે એટલે 5 ઓગસ્ટે સાંજે 7 થી 7.30 કલાકે ચંદ્રના બહારના ઓર્બિટમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પાંચ વખત આગળ વધીને ચંદ્રની સપાટીની નજીક જવાનો પ્રયાસ કરશે. ધીરે ધીરે ચંદ્રયાન-3 ઓર્બિટ મેન્યૂવર કરીને 100 કિમીના ઓર્બિટમાં આવવાનો પ્રયાસ કરશે.

17 ઓગસ્ટ ખાસ દિવસ

17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની 100 કિલોમીટરના ઓર્બિટમાં આવશે. આ જ દિવસે પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલને એકબીજાથી અલગ કરી દેવામાં આવશે. આ પછી 18 થી 20 ઓગસ્ટ સુધી લેન્ડર મોડલ પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને ડી ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીના ઓર્બિટમાં પહોંચી જશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો – ઇસરો પાસે સેટેલાઇટ લોન્ચ કરાવવા માત્ર સિંગાપુર જ નહીં દુનિયાભરના દેશો ઉત્સુક, જાણો કેમ

ચંદ્રયાન-3 ચંદ્રની ગુરૂત્વાકર્ષણમાં નહીં રોકાય તો પરત આવશે

હાલ ચંદ્રયાન-3 પૃથ્વીના ચંદ્રની કક્ષામાં જવાના રસ્તે 38,520 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના ઓર્બિટ સુધી પહોંચવા માટે પોતાની ગતિ 3,600 કિમી પ્રતિ કલાક કરવી પડશે. જો આમ નહીં થાય તો ચંદ્રયાન-3 આગામી 10 દિવસ સુધી પ્રવાસ કરીને ફરી પૃથ્વીના ઓર્બિટમાં આવી જશે. ચંદ્રયાન-3ની સ્પીડ ઓછી કરવા માટે તેનું એન્જિન વિરુદ્ધ દિશામાં ચલાવવામાં આવશે. જેનાથી ચંદ્રયાન-3ની સ્પીડ ઓછી થશે. આ પ્રક્રિયાને ડિબુસ્ટિંગ કહેવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ