scorecardresearch

ચીન સાથે ભારતના સંબંધો “જટિલ”, LAC પર ચીનની હરકતોએ પહોંચાડ્યું નુકસાન, વિદેશ મંત્રાલયે રજૂ કર્યો વાર્ષીક રિપોર્ટ

india china relations : એપ્રિલ-મે 2020માં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર એક તરફી રીતે યથાસ્થિતિ બદલવાની ચીની પ્રયત્નના કારણે સીમાવર્તી ક્ષેત્રોમાં અમન અને શાંતિ શાંતિને ગંભીર રૂપથી ક્ષતિ પહોંચાડી છે.

india china relations, LAC status, MEA
ભારત ચીન સંબંધ ફાઇલ તસવીર

India China Relations: ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઇને વિદેશ મંત્રાલયે પોતાનો એક રિપોર્ટ સોમવારે રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ચીન સાથે ભારતનો સંબંધ જટિલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ-મે 2020માં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર એક તરફી રીતે યથાસ્થિતિ બદલવાની ચીની પ્રયત્નના કારણે સીમાવર્તી ક્ષેત્રોમાં અમન અને શાંતિ શાંતિને ગંભીર રૂપથી ક્ષતિ પહોંચાડી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રયત્નોથી ભારતીય સશસ્ત્રદળોથી આ અંગેની પ્રતિક્રિયા મળી રહી છે.

ચીની સૈનિકોની ગતિવિધિઓને કારણે બંને દેશો વચ્ચેની શાંતિ પ્રભાવિત થઈ હતી

વિદેશ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ 2022માં કહેવામાં આવ્યું હતું કે, ‘ચીન સાથે ભારતના સંબંધો ‘જટિલ’ છે. બંને પક્ષો એ વાત પર સહમત થયા હતા કે સીમા મુદ્દાના અંતિમ સમાધાન સુધી દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટેનો આવશ્યક આધાર સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવાનો રહેશે.
અહેવાલમાં જણાવાયું છે કે, જોકે, એપ્રિલ-મે 2020માં, ચીની પક્ષ દ્વારા પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની સાથે યથાસ્થિતિને એકપક્ષીય રીતે બદલવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિને ગંભીરપણે નુકસાન પહોંચાડ્યું હતું. અને સંબંધોના વિકાસને અસર થઈ હતી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરના મુદ્દાઓને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલવા અને સંઘર્ષના તમામ મુદ્દાઓથી સંપૂર્ણપણે છૂટકારો મેળવવા અને ભારત-ચીન સરહદ પર વહેલી તકે શાંતિ અને સુલેહ-શાંતિ સ્થાપિત કરવા સંમત થયા છે. આમ કરવા માટે ચીની પક્ષ સાથે વાટાઘાટો ચાલી રહી છે.

“જો કે, ચીનના યથાસ્થિતિને બદલવાના સતત એકપક્ષીય પ્રયાસોએ ત્યારબાદ દ્વિપક્ષીય સંબંધોને અસર કરી છે,” અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરના મુદ્દાઓને ઉકેલવા તરફ બંને પક્ષોએ થોડી પ્રગતિ કરી છે.

ફેબ્રુઆરી 2021 માં પેંગોંગ ત્સો અને ઓગસ્ટ 2021 માં ગોગરા સેક્ટરમાં છૂટા થવા માટે પગલાં લેવામાં આવ્યા હતા, જો કે કેટલાક બાકી મુદ્દાઓ હજુ પણ બાકી છે અને તેને ઉકેલવાની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે ભારતે બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા ચીન સાથે સંપર્ક જાળવવાની વાત કરી છે જેથી સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ જલદી પુનઃસ્થાપિત કરી શકાય.

Web Title: Chinas actions on the lac have caused damage india china relations

Best of Express