chirag paswan interview| ચિરાગ પાસવાન ઈન્ટરવ્યૂ : 'ભાજપે મારો સામાન ઘરની બહાર ફેંકી દીધો, મને અપમાન લાગ્યું, પણ…'

chirag paswan interview : બિહાર રાજકારણ (Bihar Politics) માં એલજેપી યુવા નેતા ચિરાગ પાસવાને ભાજપ-એનડીએ સાથે ગઠબંધનને લઈ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ખુલાને વાત કરી. તેમણે ભાજપ દ્વારા જુના અપમાનને પણ યાદ કર્યું.

chirag paswan interview : બિહાર રાજકારણ (Bihar Politics) માં એલજેપી યુવા નેતા ચિરાગ પાસવાને ભાજપ-એનડીએ સાથે ગઠબંધનને લઈ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ખુલાને વાત કરી. તેમણે ભાજપ દ્વારા જુના અપમાનને પણ યાદ કર્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
chirag paswan interview | Bihar | LJP | BJP | Lok Sabha Election 2024

ચિરાગ પાસવાન ઈન્ટરવ્યૂ - ભાજપ એલજેપી ગઠબંધન - લોકસભા ચૂંટણી 2024

chirag paswan interview : આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી છે. એક તરફ વિરોધ પક્ષોની બેઠકોનો તબક્કો ચાલી રહ્યો છે. બીજી તરફ સત્તારૂઢ એનડીએ પણ ગઠબંધનને મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ગત સોમવારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાનને મળ્યા હતા.

Advertisment

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (18 જુલાઈ) દિલ્હીની અશોક હોટેલમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠક દરમિયાન ચિરાગ પાસવાનને ગળે લગાવ્યા. તાજેતરમાં, ધ ઈન્ડિયન એક્સપ્રેસના આઈડિયા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેતા ચિરાગે કહ્યું કે, તેમણે એનડીએમાં જોડાવાનું કેમ પસંદ કર્યું?

લિઝ મેથ્યુએ ચિરાગ પાસવાનને પૂછ્યું કે, શું તેમણે NDAમાં જોડાવાનું પસંદ કર્યું કારણ કે તે સત્તામાં છે? જવાબમાં જમુઈના સાંસદે કહ્યું, “2013માં મારી પાર્ટી અને મારા નેતા રામવિલાસ પાસવાન યુપીએ સરકાર (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) સાથે ગઠબંધનમાં હતા; તે સમાન જોડાણમાં રહેવા માંગતા હતા. પરંતુ મેં ગઠબંધન બદલવાની સલાહ આપી. કારણ કે શા માટે હું અંગત રીતે નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટી અને વિચારધારાથી પ્રભાવિત છું, અમે ભાજપા સાથે આ ગઠબંધનમાં ત્યારે ગયા જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 2013માં તેમાંથી બહાર થયા.

તેમણે વધુમાં કહ્યું કે, “મારા માટે એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે મારા પિતા (રામવિલાસ પાસવાન) અને નીતિશ કુમાર ક્યારેય સાથે નહોતા. મારા પિતાને હંમેશા તેમની વિચારધારાઓ અને તેમની કાર્યશૈલીથી સમસ્યા રહેતી હતી. નીતિશ કુમાર હંમેશા તેમને નીચે ખેંચવાનો પ્રયાસ કરતા હતા. 2019 સુધીની લોકસભાની ચૂંટણી પછી મુખ્યમંત્રીએ ચૂંટણીમાં જે રીતે વર્તન કર્યું…તેઓ ઈચ્છતા હતા કે, અમારા ઉમેદવારો હારે. પછી પાર્ટીએ નક્કી કર્યું કે, અમે આ ગઠબંધનમાંથી બહાર નીકળીશું… અમે ક્યારેય કોઈ વૈકલ્પિક ગઠબંધનમાં ગયા નથી. મેં બધી પેટાચૂંટણી એકલા હાથે લડી. વર્તમાન વડાપ્રધાનમાં મારો વિશ્વાસ કાયમ રહ્યો. મને ટોણા સાંભળવા મળતા હતા કે, 'અરે તમે તમારી જાતને હનુમાન કહો છો, ઔર ક્યા હુઆ…તેઓએ તમારી પાર્ટી, તમારા પરિવાર, તમારા ઘર સાથે આવું કર્યું છે.' પરંતુ ભૂતકાળમાં વાયરલ થયેલી તસવીરો (એનડીએની બેઠકમાં પીએમને ગળે લગાવતા) ​​એ મારા પીએમ સાથેના સંબંધોની ઝલક છે. મારા મુશ્કેલ સમયમાં તે મારી પડખે ઉભો રહ્યા… મને તેમનામાં વિશ્વાસ છે.

Advertisment

મોદી અને શાહ વચ્ચે શું થઈ વાતચીત?

ઈન્ડિયન એક્સપ્રેસના કન્ટ્રીબ્યૂટિંગ એડિટર નીરજા ચૌધરીએ ચિરાગ પાસવાનને પૂછ્યું કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ સંકેત આપ્યો છે કે, તેઓ તેમને કઈ ભૂમિકામાં જોવા માંગે છે. જવાબમાં, ચિરાગ પાસવાને કહ્યું, “હું તમને ચોક્કસ વિગતો આપી શકીશ નહીં કારણ કે તે બંધ બારણે વાતચીત હતી અને આ યોગ્ય સમય પણ નથી. મારું ભાજપ સાથે ગઠબંધન છે. બીજેપીનું અન્ય ઘણા લોકો સાથે ગઠબંધન છે. તેથી જ્યાં સુધી અમે એક મંચ પર ન આવીએ, ત્યાં સુધી ગૃહમંત્રી કે વડાપ્રધાન સાથેની મારી વાતચીત જાહેર કરવી ખોટું હશે…”

અહીં ચિરાગે ઘરની બહાર સામાન ફેંકી દેવાની ઘટનાને યાદ કરતાં કહ્યું કે, “હા, ભાજપે મારી સાથે જે રીતે અપમાનજનક વર્તન કર્યું હતું, મારા ઘરનો સામાન બહાર ફેંકી દીધો હતો, પણ આ મારી અંગત લડાઈ નથી. હું મારા રાજ્ય, રાષ્ટ્ર અને મારામાં વિશ્વાસ રાખનારા લોકો માટે લડી રહ્યો છું. જો તે મારી અંગત લડાઈ હતી, તો મને લાગે છે કે 2020 શ્રેષ્ઠ સમય હતો… તેઓ મને 15 બેઠકો ઓફર કરી રહ્યા હતા, મારે ફક્ત મારા મુખ્યમંત્રીની ખોટી નીતિઓ સામે શરણે કરવાનું હતું. જો મેં આ કર્યું હોત, તો હું કેન્દ્રમાં હોત અને પરિવાર કે પક્ષમાં કોઈ વિભાજન ન હોત… પરંતુ, મારી મહત્વાકાંક્ષાઓ મોટી છે.

શું ચિરાગ પાસવાન અને ભાજપની વિચારધારા એક જ છે?

લિઝ મેથ્યુનો પ્રશ્ન હતો કે, શું ચિરાગનું આકર્ષણ વ્યક્તિ-કેન્દ્રિત છે, વિચારધારા દ્વારા સંચાલિત નથી? ત્યારે ચિરાગે ભાજપ સાથે વૈચારિક એકતાની પુષ્ટિ કરી, તેમણે કહ્યું, “અમે વૈચારિક સ્તરે પણ સારી રીતે એક છીએ, અમે સ્વાભાવિક સહયોગી છીએ. અમારી પાર્ટી બિહારની છે અને જે વ્યક્તિ મારા રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે, તેની સાથે મારી નથી બનતી. હું તેમના વિઝન પર વિશ્વાસ નથી કરતો. હુ વાસ્તવમાં નથી વિચારતો કે, નલી ગલી (મુખ્યમંત્રીની ગટર અને શેરી યોજના) મારા રાજ્યનો વિકાસ કરી શકશે. આ મૂળભૂત આવશ્યકતાઓ છે, જે તમારી પાસે મૂળભૂત રીતે હોવી જ જોઈએ. પરંતુ સરકાર તરીકે તમારી પાસે મોટી યોજનાઓ હોવી જોઈએ. તમારે IT સેક્ટર, ઔદ્યોગિકીકરણ, ખેડૂતો અને રાજ્યમાં દુષ્કાળ વિશે વાત કરવાની જરૂર છે."

INDIA સત્તામાં આવશે તો પણ ચિરાગ પાસવાન એનડીએ સાથે રહેશે?

વિરોધ પક્ષોએ તેમના ગઠબંધનને INDIA (નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) નામ આપ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર મનોજ સીજી એ ચિરાગ પાસવાનને પૂછ્યું કે, તમારા પિતા યુનાઈટેડ ફ્રન્ટ સરકારનો હિસ્સો હતા, અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએમાં પણ હતા, પછી મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ અને પછી મોદી સરકારનો ભાગ હતા. તેથી, જો 2024 માં વિપક્ષી પાર્ટીઓ સત્તામાં આવે છે, તો તમે એનડીએ સાથે જ રહેશો તેની શું ગેરંટી છે?

જવાબમાં ચિરાગ પાસવાને કહ્યું, “ગેરંટી મારા પિતા તરફથી આવે છે. તેઓએ ક્યારેય ગઠબંધન કરવાનું એટલે પસંદ કર્યું નથી કારણ કે તે પક્ષ સત્તામાં આવી રહ્યો છે. તેમનું ગઠબંધન મતદાન કે પરિણામ પછીનું જોડાણ નહોતું, તે હંમેશા ચૂંટણી પૂર્વેનું જોડાણ હતું. હું તેમને ભાગ્યશાળી ગણીશ કે તે જ્યાં પણ ગયા ત્યાં સરકાર બની. હું તેના નસીબનો થોડો ભાગ પણ મેળવવા માંગુ છું, જેથી હું જે પણ પક્ષમાં હોઉં તેની સરકાર બને.”

રાજકારણમાં ભત્રીજાવાદનું શું?

લિઝ મેથ્યુએ ચિરાગ પાસવાનને પૂછ્યું - ભાજપ, ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી, ભત્રીજાવાદની વિરુદ્ધ વાત કરી રહ્યા છે. આ અંગે તમારી પ્રતિક્રિયા શું છે?

ચિરાગ પાસવાને કહ્યું, “હું આના પર કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી. હું તેનું જ પરિણામ છું. હું રામવિલાસ પાસવાનનો પુત્ર છું એ વાતથી હું પીઠ ફેરવી શકતો નથી… આખરે આ આપણા દેશના જ લોકો છે, જે તમારા ભાગ્યનો નિર્ણય કરે છે. જો તેઓને તમારામાં ક્ષમતા દેખાય છે, તો તેઓ તમને આગળ લઈ જશે, નહીં તો તેઓ તમને બહાર ફેંકી દેશે."

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

લોકસભા ચૂંટણી 2024 bihar politics Express Exclusive દેશ ભાજપ