100 ટકા મુસલમાન, પાકિસ્તાનનો પ્રભાવ, માલદીવ્સ્સ વિવાદ વચ્ચે શશિ થરુરે મોદી સરકારને કરી સાવધાન

India Maldives row, Modi Government : શશિ થરૂરે માલદીવ્સને ભારત દ્વારા આપવામાં આવેલી મદદની પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેમની પાસે પીવા માટે પાણી નહોતું ત્યારે અમે તેમને પાણી પૂરું પાડ્યું હતું.

India Maldives row, Modi Government : શશિ થરૂરે માલદીવ્સને ભારત દ્વારા આપવામાં આવેલી મદદની પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેમની પાસે પીવા માટે પાણી નહોતું ત્યારે અમે તેમને પાણી પૂરું પાડ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
shashi tharoor, congress leader, maldives issue

શશી થરુરની તસવીર (Express photo)

India Maldives row, Modi Government : ભારત-માલદીવ્સ વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે માલદીવ્સ હંમેશા ભારત વિરોધી નથી રહ્યું, તેમના ઘણા નેતાઓ અમારા સમર્થક છે. શશિ થરૂરે કહ્યું કે માલદીવ્સમાં સરકાર સતત બદલાતી રહે છે, આવી સ્થિતિમાં તેઓ નીતિઓ પર પુનર્વિચાર કરી શકે છે.

Advertisment

શશિ થરૂરે માલદીવ્સને આપી સલાહ

શશિ થરૂરે માલદીવ્સને ભારત દ્વારા આપવામાં આવેલી મદદની પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે તેમની પાસે પીવા માટે પાણી નહોતું ત્યારે અમે તેમને પાણી પૂરું પાડ્યું હતું અને આ તે સમયે હતું જ્યારે ત્યાં સત્તામાં રહેલી પાર્ટી અમારી વિરુદ્ધ ઈન્ડિયા આઉટ અભિયાન ચલાવી રહી હતી. શશિ થરૂરે કહ્યું કે માલદીવ્સમાં 100 ટકા મુસ્લિમો રહે છે પરંતુ પાકિસ્તાનનો પણ ત્યાં બહુ પ્રભાવ નથી. તેમણે કહ્યું કે નાના પડોશીઓને હંમેશા મોટા પડોશીઓ સાથે સમસ્યા હોય છે પરંતુ આપણે આપણી નીતિઓ ખૂબ પરિપક્વતા સાથે ચલાવવી જોઈએ.

શશિ થરૂરે પણ ચીનને લઈને સાવધાન રહેવાની સલાહ આપી હતી. શશિ થરૂરે કહ્યું કે માલદીવ્સની સરકાર ચીન સાથે નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં આપણે તેમના પર નજર રાખવી પડશે. શશિ થરૂરે કહ્યું કે માલદીવ્સ ભારતના પડોશી દેશોની નજીક આવી રહ્યું છે અને આપણે આ અંગે સાવચેત રહેવું પડશે.

માલદિવ્સ india શશી થરૂર congress PM Narendra Modi