કોંગ્રેસ સંમેલન: ગાંધી પરિવાર લાપતા, અંતે બધું સ્ક્રિપ્ટ પ્રમાણે થયું

Loksabha Election 2024: કોંગ્રેસનું આ સંમેલન એવા સમયે યોજાયું છે જ્યારે આગામી લોકસભા ચૂંટણીને લગભગ એક વર્ષ બાકી છે અને વિપક્ષી એકતા અંગે સતત ચર્ચા ચાલી રહી છે.

Written by mansi bhuva
Updated : February 25, 2023 12:26 IST
કોંગ્રેસ સંમેલન: ગાંધી પરિવાર લાપતા, અંતે બધું સ્ક્રિપ્ટ પ્રમાણે થયું
કોંગ્રેસનું આ 85મું સંમેલન 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

Manoj C G: કોંગ્રેસનું સંમેલન છત્તીસગઢના રાયપુરમાં શરુ થઇ ગયું છે. જેમાં રાજનીતિ, અર્થવ્યવસ્થા અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની રચના સહિતના અનેક વિષયો પર ઠરાવ પસાર કરવાની સાથે 2024ની લોકસભા ચૂંટણીમાં વ્યાપક વિપક્ષી એકતા પર મંથન કરવામાં આવશે. પાર્ટી પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરશે. કોંગ્રેસનું આ 85મું સંમેલન 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંમેલનના પ્રથમ દિવસે ભાગ લીધો ન હતો.

કોંગ્રેસ CWCની ચૂંટણી યોજવા ઉત્સુક નહીં

કોંગ્રેસ સંમેલનના પ્રથમ દિવસની વાત કરીએ તો સંચાલન સમિતિ એક પછી એક મુસદ્દા સમિતિ દ્વારા નક્કી કરાયેલી દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી અને મંજૂર કરાયા, અંતે બધું સ્ક્રિપ્ટ મુજબ જ થયું. કોંગ્રેસ નેતૃત્વ, જે તેની વિપરીત સાર્વજનિક ઘોષણાઓ છતાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની ચૂંટણીઓ યોજવા માટે ઉત્સુક ન હતી, તેણે સુનિશ્વિત કર્યું કે, CWC ના સ્થાન પર કાર્ય કરનારી ઉચ્ચસ્તરીય સંચાલન સમિતિ પક્ષ પ્રુમુખ મલ્લિકા અર્જન ખડગેને નામાંકિત કરવાનો અધિકાર આપે.

ચૂંટણી યોજવા અંગે અઢી કલાકની ચર્ચા અને વળતી દલીલો બાદ ખડગેને સભ્યોના નામ માટે મંજૂરી આપવામાં આવી હતી. હવે પહેલા કરતા વધુ સશક્ત, ખડગેએ કહ્યું કે, તેઓ સોનિયા અને રાહુલની સલાહ લેશે અને આગામી દિવસોમાં તેને અમલમાં મૂકશે.

CWCની ચૂંટણીઓ યોજવા પર મૌન

G23 નેતાઓ પૈકી એક આનંદ શર્માએ ચૂંટણી માટે જિંજર જૂથની માંગને નકારી કાઢી હતી અને “સહમતિ આધારિત અભિગમ” માટે હાંકલ કરી હતી. જ્યારે પી.ચિદમ્બરમે થોડા દિવસો પહેલા CWCની ચૂંટણીઓ યોજવાના તેમના આહ્વાન પર મૌન રાખ્યું હતું.

અશોક ગેહલોતનો CWCને લઇને મંતવ્ય

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, જેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર નીકળી ગયા હતા, તેમણે પણ CWCની ચૂંટણીઓ સામે પોતાનો મંતવ્ય પ્રગટ કરતા કહ્યું હતું કે, જ્યારે PCC અને AICC પ્રતિનિધિઓ ચૂંટાયા નથી એવામાં તે આદર્શ નથી.

આ પણ વાંચો: દિલ્હી એમસીડી હાઉસમાં ઘમાસાણ, એવું તે શું થયું કે હાઉસમાં મચી ગયો હંગામો?

છેલ્લા દિવસ સુધી ચૂંટણીના પ્રશ્ન પર સસ્પેન્સ

AICC સંમેલનના પહેલા દિવસ સુધી ચૂંટણીના પ્રશ્ન પર સસ્પેન્સ બનાવીને, નેતૃત્વએ પહેલેથી જ ખાતરી કરી લીધી હતી કે સંભવિત ઉમેદવારોને રાયપુરમાં ઉતરતા પહેલા AICCના 1,338 ચૂંટાયેલા પ્રતિનિધિઓ – મતદારો – સાથે લોબિંગ કરવાનો સમય ન મળે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1997માં જ્યારે CWCની છેલ્લી ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે વરિષ્ઠ નેતાઓ અને સંભવિત ઉમેદવારોએ સમર્થન એકત્ર કરવામાં દિવસો ગાળ્યા હતા.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ સીડબ્લ્યુસી ચૂંટણીનો વિરોધ કરનાર સૌપ્રથમ વ્યક્તિ હતા અને કહ્યું હતું કે તેનાથી પાર્ટી નબળી પડી જશે અને આગામી રાજ્ય અને લોકસભાની ચૂંટણીઓ પહેલા તે સારો વિકલ્પ નહીં હોય. તેમણે એવી પણ દલીલ કરી હતી કે ઓછા પ્રતિનિધિઓ ધરાવતા નાના રાજ્યો મતદાનના સંદર્ભમાં CWCમાં પ્રતિનિધિત્વની અપેક્ષા રાખી શકતા નથી.

કોંગ્રેસના સંચાર વડા જયરામ રમેશની પત્રકારો સાથે વાત

પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના સંચાર વડા જયરામ રમેશે જણાવ્યું હતું કે “મુખ્ય અને જબરજસ્ત વિચાર” ખડગેને CWCમાં સભ્યોને નોમિનેટ કરવા માટે સશક્તિકરણ કરવાનો હતો.

તેમણે કહ્યું કે આ નિર્ણય “દેશ, કોંગ્રેસ સામેના રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને અને અમે અમારી પાર્ટીના બંધારણમાં જે દૂરગામી સુધારા લાવવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે”. રમેશે SC, ST, OBC, લઘુમતી, મહિલાઓ અને 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે CWCમાં 50 ટકા અનામત આપવા જેવા સુધારાઓને સૂચિબદ્ધ કર્યા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ