/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Biparjoy-1.jpg)
Biparjoy Cyclone Latest Update: ચક્રવાત બિપરજોયની અસર જોવા મળી રહી છે (Express photo by Nirmal Harindran)
Cyclone Biparjoy landfall on Coastal areas of Jakhu in Gujarat : ચક્રવાત બિપરજોયે ગુજરાતના કચ્છમાં તબાહી મચાવી છે. ચક્રવાત બિપરજોય ગુરવારે સાંજે જખૌમાં ટકરાવાની સાથે જ ભયંકર વંટોળ અને વરસાદથી મોટા પ્રમાણમાં જાન-માલને નુકસાન થવાની આશંકા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત બિપરજોયના લેન્ડફોલની પ્રક્રિયા ગુરુવારે સાંજે રાજ્યના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક શરૂ થઈ હતી અને મધ્યરાત્રિ સુધી ચાલુ રહી હતી.
સાયક્લોન બિપરજોય ગુરુવારે મોડી રાત્રે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને ઓળંગી ગયો હતો .
ગુજરાત સરકારે અત્યાર સુધીમાં આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા 94,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે વહીવટીતંત્ર લોકોને ઘરની બહાર ન નીકળવા, દરિયા કિનારે પ્રવેશ અને જાહેર પરિવહન પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે.
કચ્છના કોટેશ્વર પાસે ક્રીક વિસ્તારનો દરિયો શુક્રવાર બપોર સુધી તોફાની બન્યો હતો. દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. #biparjoycylcone#biparjoylandfall#biparjoycycloneliveupdates#biparjoylivelocation#biparjoyNews#Gujaratcyclone#BiparjoyGujarat#latestupdatespic.twitter.com/acbSY6d4kc
— IEGujarati (@IeGujarati) June 16, 2023
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની બે-બે ટીમો ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે આર્મી અને ભારતીય વાયુસેનાની ટીમોને પણ સ્ટેન્ડબાય છે.
ચક્રવાતનું "લેન્ડફોલ" શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો, લેન્ડફોલ એ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ઘટના છે જે જળસપાટી પર સર્જાયા બાદ તે જમીન પર ટકરાય છે. હવામાન વિભાગ મુજબ, ઉષ્ણકટિબંધીય ચક્રવાત જ્યારે તોફાનનું કેન્દ્ર - અથવા તેની આંખ - દરિયા કિનારા પર આવે છે ત્યારે ચક્રવાતનું લેન્ડફોલ થયું હોવાનું કહેવાય છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ચક્રવાતના લેન્ડફોલને 'ડાયરેક્ટ હિટ' સાથે ભેળસેળ ન કરવી જોઈએ, જે એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જ્યાં ઊંચા પવનનો મુખ્ય ભાગ (અથવા આઈવૉલ) કિનારે આવે છે પરંતુ તોફાનનું કેન્દ્ર દરિયાકિનારે રહી શકે છે. અમેરિકાના નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) મુજબ, આમ થવાનું કારણ ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં સૌથી મજબૂત પવનો ચોક્કસ કેન્દ્રમાં સ્થિત નથી, તે શક્ય છે કે ચક્રવાતના સૌથી મજબૂત પવનો જમીન પર અનુભવાય તો પણ જમીન પર ન આવે તો પણ. .
ચક્રવાતના લેન્ડફોલથી શું નુકસાન થાય છે?
લેન્ડફોલને કારણે કેટલું નુકસાન થશે તે ચક્રવાતની તીવ્રતા અને પવનની સ્પીડ પર નિર્ભર કરે છે. ચક્રવાત બિપરજોયને હવામાન વિભાગ દ્વારા "ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, તેની અસરથી કચ્છમાં મોટી સંખ્યામાં મકાનોને નુકસાન, વીજળી અને સંદેશાવ્યવહાર લાઇનમાં આંશિક વિક્ષેપ, રેલ અને માર્ગ વાહનવ્યવહારમાં નજીવો વિક્ષેપ, માર્ગ કાટમાળ ઉડવા અને પૂરના સંભવિત જોખમોની આગાહી કરી છે.
આ પ્રકારના નુકસાન પાછળના પરિબળોમાં અત્યંત તીવ્ર પવન, ભારે વરસાદ અને તોફાનનો સમાવેશ થાય છે જે દરિયાકાંઠે વિનાશક પૂરનું કારણ બને છે.
ચક્રવાતનું લેન્ડફોલ કેટલો સમય ચાલે છે?
ચક્રવાતનું લેન્ડફોલ અમુક કલાકો સુધી ચાલુ શકે છે, તેનો ચોક્કસ સમય પવનની ગતિ અને સાયક્લોન સિસ્ટમના કદ પર આધારિત છે. ચક્રવાત બિપરજોયની લેન્ડફોલન પ્રક્રિયા લગભગ પાંચથી છ કલાક ચાલવાની ધારણા છે, આ ચક્રવાત લગભગ આગામી 24 કલાકમાં લગભગ સંપૂર્ણપણે વિખેરાઈ જશે.
ભેજના પુરવઠામાં તીવ્ર ઘટાડો અને સપાટીના ઘર્ષણમાં વધારો થવાને કારણે ચક્રવાત એકવાર જમીન પર ટકરાયા બાદ તેની તીવ્રતા ગુમાવે છે. આનો અર્થ એ છે કે લેન્ડફોલ એ ચક્રવાતની સૌથી વિનાશક ક્ષણો હોય છે, ત્યારે તે તેના અંતની શરૂઆતને પણ ચિહ્નિત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us