Cyclone Michaung : આંધ્ર પ્રદેશમાં ચક્રવાત ‘મિચૌંગ’ લેન્ડફોલ , જુઓ લાઇવ ટ્રેકિંગ

ચક્રવાત 'મિચૌંગ' બાપટલા પાસે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાયું. ચક્રવાત 'મિચોંગ'એ ચેન્નાઈમાં ભારે તબાહી મચાવી છે. જેના કારણે ભારે વરસાદ થયો હતો અને અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.

Written by Ankit Patel
Updated : December 05, 2023 16:28 IST
Cyclone Michaung : આંધ્ર પ્રદેશમાં ચક્રવાત ‘મિચૌંગ’ લેન્ડફોલ , જુઓ લાઇવ ટ્રેકિંગ
મિચૌંગ વાવાઝોડાનું લાઇવ ટ્રેકિંગ - photo screen grab - windy.com

Cyclone Michaung latest updates : ચક્રવાત ‘મિચોંગ’ ચેન્નાઈમાં તબાહી મચાવ્યા બાદ આંધ્ર પ્રદેશમાં લેન્ડફોલ થયું છે. આ ચક્રવાત બાપટલા પાસે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાયું છે. ચક્રવાત ‘મિચોંગ’એ ચેન્નાઈમાં ભારે તબાહી મચાવી છે. જેના કારણે ભારે વરસાદ થયો હતો અને અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.

મિચૌંગ લાઇવ ટ્રેકર જુઓ

8 જિલ્લામાં એલર્ટ જારી

આંધ્ર પ્રદેશ સરકારે આઠ જિલ્લાઓ (તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા) માટે એલર્ટ જાહેર કર્યું છે. પુડુચેરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યાં સાંજે 6 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ છે.

મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને કહ્યું કે વાવાઝોડાને એક મોટી આફત ગણો. મિચોંગના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત દરેક જિલ્લાઓને બચાવ અને રાહત કામગીરી માટે રૂ. 2 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમજ ખાસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને રહેવા માટે 300 થી વધુ રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી અને તેમને કેન્દ્ર તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપી. અમિત શાહે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની પર્યાપ્ત તૈનાત પહેલેથી જ કરવામાં આવી છે અને વધારાની ટીમો પણ મદદ માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ- Madhya Pradesh : મધ્ય પ્રદેશની ચૂંટણીમાં હારનો દોષ કમલનાથ પર! અહેવાલોમાં દાવો – પાર્ટીએ પ્રમુખ પદ છોડવાનું કહ્યું

હવામાન વિભાગનું નિવેદન

ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ ચેતવણી આપી છે કે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના શહેરો અને નગરોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30-40 સેમી સુધી વરસાદ પડી શકે છે.

ચેન્નાઈમાં વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે તમિલનાડુ અને પુડુચેરીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચેન્નાઈ એરપોર્ટ આજે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ છે અને સરકારે ખાનગી કંપનીઓને અપીલ કરી છે કે તેઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા દે. ચેન્નાઈ એરપોર્ટના રનવેમાં વરસાદી પાણી ઘુસી જવાને કારણે ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ