/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cm-kejriwal.jpg)
અરવિંદ કેજરીવાલ ભાવુક થયા (photo_ ANI video grabs)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારની કેબિનેટમાં પોતાના સાથી રહેલા મનિષ સિસોદિયાને યાદ કરતા ભાવુક થયા હતા. કેજરીવાલ દિલ્હીના એક શિક્ષણ સંસ્થાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે તેઓ મનિષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા હતા. દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયા કથિત દારુ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં આ સમયે જેલમાં બંધ છે.
કાર્યક્રમમાં બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોક ઇચ્છે છે કે દિલ્હીના શિક્ષણ પર જે કામ થઇ રહ્યું છે. તે ન થાય. આપણે તેને ખમત થવા દેવાનું નથી. મનિષ સિસોદિયાએ દિલ્હીની શિક્ષા પર કામ કરવાનું શરુ કર્યું હતું. તેમનું સપનું હતું કે દિલ્હીમાં દરેક બાળકો સારામા સારું શિક્ષણ મળવું જોઈએ. તેમને ખોટા આરોપ લગાવીને નકલી કેસમાં જેલમાં નાંખી દીધા છે.
#WATCH | Delhi CM Arvind Kejriwal gets emotional, as he remembers former education minister Manish Sisodia and his work in the area of education, at the inauguration of an educational institution pic.twitter.com/BDGSSbmpbq
— ANI (@ANI) June 7, 2023
દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં મોટા મોટા ડાકૂઓ ફરી રહ્યા છે. તેમને પકડતા નથી અને મનિષ સિસોદિયાને જેલમાં એટલા માટે નાખી દીધા કારણે કે તેઓ સારી સ્કૂલો બનાવી રહ્યા છે. સારું ભણતર આપી રહ્યા છે. જો તેઓ સારું કામ ન કરતા તો કોઈપણ હાલતમાં તેમને જેલમાં ન નાંખત. તેમને તકલિફ થઈ રહી છે કે એક તરફ સારી સ્કૂલો બની રહી છે અને આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "જ્યાં પણ જઉં છું ત્યારે દિલ્હીમાં દરેક બાજુ એક જ વાત હોય છે દિલ્હીની સ્કૂલ ખુબ જ સારી બની રહી છે. પરિણામ સારા આવી રહ્યા છે. ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું છે. એટલા માટે આમને તકલીફ થઈ રહી છે. જો મનીષ સિસોદિયા આ કા ન કરતા તો તેમને તકલીફ ન પડતી. આપણે મનિષ સિસોદિયાના કામને અટકવા દેવાનું નથી. મને વિશ્વાસ છે કે તેઓ ઝડપથી બહાર આવશે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us