Delhi Coaching centre fire: દિલ્હીના કોચિંગ સેન્ટરમાં આગ, સુરતના તક્ષશિલા જેવી ઘટના, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા કુદકા માર્યા

કોચિગ સેન્ટરમાં આગ લાગીDelhi Coaching centre fire : દિલ્હીના કોચિંગ સેન્ટરમાં સુરતના તક્ષશિલા કાંડ જેવી ઘટના ઘટી, કોચિંગ સેન્ટરમાં આગ લાગતા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી નીચા કુદકા મારતા વિચલીત કરતા દ્રશ્યો સર્જાયા.

કોચિગ સેન્ટરમાં આગ લાગીDelhi Coaching centre fire : દિલ્હીના કોચિંગ સેન્ટરમાં સુરતના તક્ષશિલા કાંડ જેવી ઘટના ઘટી, કોચિંગ સેન્ટરમાં આગ લાગતા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી નીચા કુદકા મારતા વિચલીત કરતા દ્રશ્યો સર્જાયા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
delhi Coaching centre fire

દિલ્હીના મુખર્જી નગરમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગી.

Coaching centre fire in Delhi : દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની એક ભયંકર ઘટના બની છે, જેના દ્રશ્યો જોઇ સુરતના ગોઝારા તક્ષશિલા કાંડના જખ્મો તાજા થઇ ગયા છે. દિલ્હીની એક બ્લિડિંગમાં ત્રીજા માળે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરાવતા કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હડકંપ મચી ગયો અને જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કુદકો માર્યો તો કેટલાંક દરોડા વડે લટકીને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો છે.

Advertisment

કોચિંગ સેન્ટરમાં બપોરે આગ લાગી

દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ત્રીજા આવેલા સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આજે બપોરે 12 વાગેની આસપાસ આગ લાગી હતી. અહીંયા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરમાં 200 જેટલા વિદ્યાર્થીઓ હોવાનું મનાય છે. આગ લાગતા કોચિંગ સેન્ટરમાં રહેલા વિદ્યાર્થીઓમાં હડકંપ મચી ગયો અને બારીમાંથી દોરડા વડે લટકી જીવ બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.

ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

કોચિંગ સેન્ટરમાં આગ લાગી હોવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગડે સખત મહેનત બાદ કોચિંગ સેન્ટરમાંથી વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢ્યા. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મુખર્જી નગર ઘણી વસ્તી ધરાવતો વિસ્તાર છે.

Advertisment

સુરતના તક્ષશિલા કાંડના જખ્મો તાજા થઇ ગયા

દિલ્હીમાં આજે કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટનાથી સુરતની ગોઝારી તક્ષશિલા કાંડના જખ્મો તાજા થઇ ગયા છે. વર્ષ 2019માં 24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. આગ લાગતા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ઉંચી બિલ્ડિંથી રીતસરના કુદકા માર્યા હતા. આ ગોઝારી ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા હતા.

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ અરવિંદ કેજરીવાલ