પતિની ક્રૂર કરતૂતઃ દિલ્હીમાં પત્નીએ ભોજન ન બનાવવા અને આળસથી કંટાળીને 28 વર્ષીય યુવકએ બીમાર પત્નીની કરી હત્યા

મહિલાના પરિવારનો આરોપ છે કે ત્રણ વર્ષ પહેલા પ્રીતિ સાથે લગ્ન કરનાર બજરંગી ગુપ્તા તેને નિયમિત રીતે મારતો હતો. મહિલાએ ત્રણ મહિના પહેલા પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.

Written by shivani chauhan
March 30, 2023 11:42 IST
પતિની ક્રૂર કરતૂતઃ દિલ્હીમાં પત્નીએ ભોજન ન બનાવવા અને આળસથી કંટાળીને 28 વર્ષીય યુવકએ બીમાર પત્નીની કરી હત્યા
પૂછપરછ દરમિયાન, આરોપીએ તેના ગુનાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની પત્નીથી ગુસ્સે હતો અને તેણે તેણીની હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું (પ્રતિનિધિત્વ/ફાઇલ ફોટો)

પોલીસે જણાવ્યું હતું કે,દિલ્હીના ભાલસ્વ ડેરી વિસ્તારમાં એક 28 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે દિલ્હીમાં તેની પત્નીને એ યુવક માટે રસોઈ ન બનાવવાના કારણે અને ઘરના કામકાજ ન કરવા બદલ હત્યા કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ બજરંગી ગુપ્તા છે, રવિવારે તેની 22 વર્ષીય બીમાર પત્ની પ્રીતિ પર લાકડી વડે હુમલો કર્યો હતો જેના કારણે યુવતીનું મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રીતિ એનિમિક અને શરીરમાં નબળી હતી અને તેણે તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો, અને તેથી તે ઘરના કામકાજ કરી શકતી ન હતી અથવા નિયમિતપણે ભોજન બનાવી શકતી ન હતી, પોલીસે ઉમેર્યું હતું કે આનાથી તેના પતિએ “ક્રોધિત” થઇને તેની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીને લાગ્યું કે તે ઘરનું કામ કરતી નથી અને તેના પર ઘરના કામ કરવામાં “આળસુ” અને “અરુચિ” હોવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો: Coronavirus updates: ભારતમાં 3,016 નવા કોવિડ-19 કેસ નોંધાયા, છેલ્લા છ મહિનામાં સૌથી વધારે કેસ

પોલીસને બજરંગી દ્વારા ઉપયોગમાં લેવાયેલી લાકડી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તે તેની પત્નીથી ગુસ્સે હતો અને તેણે તેની હત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ”રવિવારે રાત્રે બજરંગી કામ પરથી પાછો આવ્યો અને ટેબલ પર ખાવાનું ન જોઈને તેની પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ તંગ બની ગઈ અને તેણે લાકડી લઈને મહિલા પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાનું અંતે મૃત્યુ થયું હતું જ્યારે માણસ ઘર છોડીને ભાગી ગયો હતો,” આ ઉપરાંત પોલીસે કહ્યું કે પ્રીતિને તેના સંબંધીઓ હોસ્પિટલ લઈ ગયા હતા.

ડીસીપી (ઓટરનોર્થ) રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે બુરારી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા પ્રીતિને મૃત જાહેર કરવામાં આવી હતી. “તપાસ હાથ ધરવામાં આવી હતી. એસડીએમને જાણ કરવામાં આવી હતી. તેમણે પ્રીતિની માતા અહિલા દેવીનું નિવેદન નોંધ્યું હતું.”

આ પણ વાંચો: જયપુર વિસ્ફોટ 2008 : આતંકી હુમલામાં અગાઉ મૃત્યુદંડની સજા પામેલા 4 માણસોને કર્યા હતા નિર્દોષ જાહેર

મહિલાના પરિવારનો આરોપ છે કે ત્રણ વર્ષ પહેલા પ્રીતિ સાથે લગ્ન કરનાર બજરંગી ગુપ્તા તેને નિયમિત રીતે મારતો હતો. મહિલાએ ત્રણ મહિના પહેલા પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.

ડીસીપીએ જણાવ્યું હતું કે, “ઓટોપ્સી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા એનિમિયા અને શારીરિક રીતે નબળી હતી. તેણીને આંતરિક ઇજાઓ થઈ, લોહી નીકળ્યું અને મૃત્યુ પામ્યા હતા. તેનો પતિ તેના પર ગુસ્સે હતો કારણ કે તેણી તેના માટે દરરોજ ભોજન બનાવતી ન હતી. અમે ટીમ મોકલી અને બાતમીદારોને અમારી મદદ કરવા કહ્યું હતું. આરોપીને શોધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ