દિલ્હી ડૂબી રહ્યું... પૂરનો ખતરો વધી રહ્યો, રેકોર્ડ તૂટી રહ્યા, ત્યારે નેતાઓ કરી રહ્યા... આક્ષેપ, પ્રતિઆક્ષેપ અને રાજકારણ

delhi floods : દિલ્હીમાં એક તરફ લોકો યમુના નદી (Yamuna River) ના જળસ્તરમાં રેકોર્ડ બ્રેક વધરો થતા પૂરથી પરેશાન છે, રોડ-રસ્તા, ઘર-દુકાનો ડૂબી રહી છે, ત્યારે નેતાઓ રાજકારણ (Politics) કરવામાં વ્યસ્ત છે.

delhi floods : દિલ્હીમાં એક તરફ લોકો યમુના નદી (Yamuna River) ના જળસ્તરમાં રેકોર્ડ બ્રેક વધરો થતા પૂરથી પરેશાન છે, રોડ-રસ્તા, ઘર-દુકાનો ડૂબી રહી છે, ત્યારે નેતાઓ રાજકારણ (Politics) કરવામાં વ્યસ્ત છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Delhi Floods Updates

દિલ્હી પૂર અપડેટ

Delhi Floods : દેશની રાજધાની દિલ્હી ઘણા વર્ષો પછી ફરી પૂરની ઝપેટમાં છે. ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે, શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે, ઘણા રસ્તાઓ બંધ છે અને જમીન પર સ્થિતિ વિસ્ફોટક છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કેન્દ્રને પત્રો લખી રહ્યા છે, ભાજપ AAP સરકાર પર આક્ષેપો કરી રહી છે અને સામાન્ય લોકો બૂમો પાડી રહ્યા છે. કેટલાકે ઘર ગુમાવ્યા, કેટલાકે નોકરી ગુમાવી, પરંતુ આ કુદરતી આફત સમયે રાજકારણ ચરમસીમાએ ચાલી રહ્યું છે.

Advertisment

લોકો પરેશાન, રાજકારણ પુર ઝડપે ચાલુ છે

મુશળધાર વરસાદને કારણે દિલ્હીમાં યમુનામાં પાણીનું સ્તર ગુરુવારે 208.48 મીટરે પહોંચી ગયું છે. લાલ કિલ્લા અને આઈટીઓ સહિત અનેક ઈમારતોમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, પહેલીવાર દિલ્હીની સડકો પર બોટ દોડી રહી છે. આ બધું હોવા છતાં લોકોને મદદ કરવાને બદલે આક્ષેપ-પ્રતિ-આરોપની રાજનીતિ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ બાજુ દિલ્હી સરકાર હરિયાણાની ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી છે, તો બીજી તરફ સીએમ ખટ્ટર પણ પોતાના રાજ્યને ભૂલીને અરવિંદ કેજરીવાલને અરીસો બતાવવાનું કામ કરી રહ્યા છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે દિલ્હીમાં પૂરની સ્થિતિને લઈને ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તે પત્રમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હથિનીકુંડમાંથી મર્યાદિત માત્રામાં પાણી છોડવામાં આવે, જેથી યમુનાનું જળસ્તર વધુ ન વધે. જી-20 સમિટ દિલ્હીમાં યોજાવાની છે, તેથી જો દિલ્હીમાં પૂર આવે તો તેનાથી વિશ્વને સારો સંદેશ નહીં જાય.

પાણીનો સંગ્રહ કરી શકે છે. મંત્રીએ ચોક્કસપણે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે 2 વાગ્યાથી યમુનાનું જળસ્તર નીચે આવવાનું શરૂ થઈ જશે, કારણ કે સવારે 10 વાગ્યા સુધી મહત્તમ પાણી છોડવામાં આવ્યું હતું. હવે કેન્દ્રીય મંત્રીના જવાબ બાદ બીજેપી નેતા અમિત માલવિયાએ AAP સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે, છેલ્લા આઠ વર્ષમાં કોઈ કામ થયું નથી. માલવિયાએ કહ્યું કે, આ સમયે દિલ્હીમાં જે પૂર આવ્યું છે, તેના માટે કેજરીવાલ સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે. આ સરકારે ન તો ગટર લાઇનની સફાઈ કરાવી અને ન તો યમુનાની સફાઈ પર ધ્યાન આપ્યું.

Advertisment

મદદના નામે આક્ષેપો

હવે પૂરની સ્થિતિને લઈને રાજકારણ થઈ રહ્યું છે, આ સિવાય રાહત શિબિરોમાં પણ રાજકારણ જોવા મળી રહ્યું છે. ભાજપનો આરોપ છે કે, આમ આદમી પાર્ટી હવે લોકોને મદદ કરતા પણ રોકી રહી છે. બીજેપી નેતા હરીશ ખુરાનાએ ટ્વીટ કરીને કહ્યું કે, રાજકારણ તેના નિમ્ન સ્તર પર છે. ભાજપના કાર્યકરો લોકોની સેવા કરી રહ્યા છે, પરંતુ કેજરીવાલની સરકાર તેમને રાહતમાં મદદ કરતા રોકી રહી છે

શાળા-કોલેજ બંધ, નોઈડા માટે પણ મોટો ઓર્ડર

જો કે, આગામી દિવસોમાં પણ દિલ્હીમાં પૂરથી કોઈ રાહત નથી. આ કારણે રવિવાર સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય પૂર જેવી સ્થિતિને જોતા નોઈડામાં શાળાઓને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જાહેર કર્યો છે કે, ગૌતમ બુદ્ધ નગરની ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ શુક્રવારે બંધ રહેશે. હાલમાં ડીડીએમએની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બિનજરૂરી કચેરીઓને પણ રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. તમામ ખાનગી ઓફિસોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ગુરુગ્રામમાં પણ ખાનગી કંપનીઓને ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ હિમાચલમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ