દિલ્હીના કાલકાજી મંદિરમાં બી પ્રાકના જાગરણ કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, 1 મહિલાનું મોત અને 17 ઘાયલ

Delhi Kalkaji Temple Incident : દિલ્હીના કાલકાજી મંદિરમાં ગાયક બી પ્રાકના જાગરણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું. આ ગંભીર ઘટનામાં 1 મહિલાનું મોત અને 17 ઘાયલ થયા છે.

Delhi Kalkaji Temple Incident : દિલ્હીના કાલકાજી મંદિરમાં ગાયક બી પ્રાકના જાગરણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું. આ ગંભીર ઘટનામાં 1 મહિલાનું મોત અને 17 ઘાયલ થયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
b praak | b praak song | b praak Bhajan | delhi kalkaji temple incident | kalkaji temple stage broke | kalkaji temple mata jagran incident

દિલ્હીમાં કાલકાજી મંદિરમાં બી પ્રાકના ભજન કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટવાની ગંભીર ઘટના બની છે. (Photo - @bpraak / Social Media)

Delhi Kalkaji Temple Mata Jagran Incident : દિલ્હીમાં પ્રસિદ્ઘ કાલકાજી મંદિરમાં જાગરણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટવાની એક ગંભીર ઘટના બની છે. આ જાગરણ કાર્યક્રમ દરમિયાન મોડી રાત્રે સ્ટેજ તૂટી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને લગભગ 17 લોકો ઘાયલ થયા હતા. ઘટના સમયે દોઢ હજારથી વધુ લોકો ઘટના સ્થળે હાજર હતા. સ્ટેજ પર પ્રખ્યાત ગાયક બી પ્રાક પણ હાજર હતા, જો કે તેઓ સુરક્ષિત છે.

Advertisment

આ કાર્યક્રમમાં હાજર શ્રોતાઓ તેમની વધુ નજીક જવા માંગતા હતા. આ કારણે સ્ટેજ પર તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા અને તે તૂટી પડ્યુ. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે (27-28 જાન્યુઆરી 2024) થયો હતો.

દિલ્હીના કાલકાજી મંદિરમાં બી પ્રાકનો ભજન કાર્યક્રમ યોજાયો

દિલ્હીના કાલકાજી મંદિરના પરિસરમાં શનિવારે રાત્રે માતાજીના જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન લાકડા અને લોખંડની ફ્રેમ વડે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થયા બાદ મોડી રાત્રે સ્ટેજ અચાનક ધ્રૂજવા લાગ્યું અને થોડી જ સેકન્ડોમાં તે તૂટી ધારાશાયી થઇ ગયુ.

Advertisment

એવું માનવામાં આવે છે કે સ્ટેજ પર ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતા. આ કારણે સ્ટેજ તૂટ્યુ પડ્યુ. સ્ટેજ તૂટતાની સાથે જ તેના પર બેઠેલા તમામ લોકો એક બીજાની ઉપર પડવા લાગ્યા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

delhi kalkaji temple incident | kalkaji temple stage broke | kalkaji temple mata jagran incident
દિલ્હી કાલકાજી મંદિરમાં જાગરણ કાર્યક્રમમાં સ્ટેજ તૂટતા 1 મહિલાનું મોત થયું છે. (Photo - Social Media)

કાલકાજી મંદિર ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ

દિલ્હી પોલીસનું કહેવું છે કે આયોજકોએ આ કાર્યક્રમ માટે પરવાનગી લીધી ન હતી. આટલી મોટી ગંભીર ઘટના બની હોવાની કોઈ માહિતી આપી ન હતી. જેના કારણે સ્થળ પર સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. હાલ પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

,

આ પણ વાંચો | જ્ઞાનવાપી : શિવાજી બચીને નીકળી જતા ઔરંગઝેબ ગુસ્સે ભરાયો, હિંદુ મંદિરો તોડવાનો આદેશ કર્યો

કડકડતી ઠંડી વચ્ચે આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સમયે ત્યાં 1500 થી વધુ લોકો હાજર હતા. બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે તૈનાત પોલીસકર્મીઓ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. જેમાંથી ઘણાની હાલત નાજુક છે.

દિલ્હી ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત ધર્મ ભક્તિ