જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો દિલ્હીની કમાન કોણ સંભાળશે? ધારાસભ્યોએ કરી આવી અપીલ

Delhi Liquor Scam : દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી

Written by Ashish Goyal
Updated : November 06, 2023 22:24 IST
જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો દિલ્હીની કમાન કોણ સંભાળશે? ધારાસભ્યોએ કરી આવી અપીલ
દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

Arvind Kejriwal : દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલાની તપાસ હવે આમ આદમી પાર્ટી (આપ)ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી આવી પહોંચી છે. ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સ બાદ પણ અરવિંદ કેજરીવાલ પૂછપરછમાં હાજર થયા ન હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. અહેવાલ છે કે આ બેઠકમાં આપના ધારાસભ્યોએ કેજરીવાલને આગ્રહ કર્યો હતો કે ઈડી તેમની ધરપકડ કરે તો પણ તેઓ સીએમ પદ ન છોડે.

ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને “રાજકીય રીતે પ્રેરિત” ગણાવીને અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. સોમવારે આપના ધારાસભ્યોની બેઠક બાદ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે બેઠકમાં હાજર તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો પણ તેઓ મુખ્યમંત્રી જ રહેશે. કારણ કે દિલ્હીની જનતાએ તેમને સરકાર ચલાવવાનો જનાદેશ આપ્યો છે.

સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે આ બધા ધારાસભ્યો સર્વાનુમતે અભિપ્રાય ધરાવતા હતા કે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલથી ડરે છે. ભાજપ જાણે છે કે તે કેજરીવાલને ચૂંટણી દ્વારા સત્તામાંથી બહાર ફેંકી શકે નહીં અને આ માત્ર કાવતરું કરીને જ કરી શકાય છે.

આ પણ વાંચો – કટ્ટર ઇમાનદારને જામીન પણ મળી રહ્યા નથી, સંબિત પાત્રાએ સીએમ કેજરીવાલ પર કર્યો પ્રહાર

તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી લાગે છે કે અમે પણ ટૂંક સમયમાં જેલમાં હોઈશું. તેથી શક્ય છે કે આતિશીને જેલ નંબર 2માં રાખવામાં આવે અને મને જેલ નંબર 1માં રાખવામાં આવે અને અમે જેલની અંદર જ કેબિનેટની બેઠકો યોજીશું. અમે એ સુનિશ્ચિત કરીશું કે દિલ્હીના લોકો માટે કરવામાં આવેલા કામને રોકવામાં ન આવે. “

કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે જો સીએમની ધરપકડ કરવામાં આવશે તો તેઓ જેલમાંથી જ સત્તાવાર કામ કરવાની મંજૂરી મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરશે.

એક અન્ય મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ તાજેતરમાં જ દિલ્હીના મંત્રી રાજ કુમાર આનંદના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ઇડીએ તાજેતરમાં પાર્ટીના સાંસદ સંજય સિંહની કથિત આબકારી નીતિ કૌભાંડના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને કલાકોના દરોડા પાડ્યા બાદ ધરપકડ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ