Delhi-Meerut Expressway accident : ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 8 વર્ષનું બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયું છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, TUV-300 અને બસની ટક્કર થઈ હતી. આ ઘટના ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના માનવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર કાપી લાશો બહાર કાઢી હતી.
મળતી માહિતી મુજબ એક સ્કૂલ બસ ખોટી દિશામાંથી આવી રહી હતી. તો, મેરઠથી દિલ્હી તરફ જઈ રહેલા પરિવારની કારની આ બસ સાથે સીધી ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, લોકોના મૃતદેહ કારમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. આ અકસ્માતમાં એક બાળક ઘાયલ થયું છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવુંયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવાર ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યો હતો.
ગાઝિયાબાદના એડીસીપી (ટ્રાફિક) રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, આ દુર્ઘટના સવારે લગભગ 6 વાગે થઈ હતી. ગાઝીપુરથી સીએનજી ભરીને બસનો ડ્રાઈવર રોન્ગ સાઈડમાં જઈ રહ્યો હતો. કાર સવાર પરિવાર મેરઠથી ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો – ‘શિક્ષક બનતા જ બાળકોને છોડીને હેડમાસ્તર સાથે પત્ની ભાગી ગઈ’! પતિએ નોંધાવી FIR
સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
દિવંગત આત્માની શાંતિની કામના સાથે શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.





