પ્રદુષણથી દિલ્હી-એનસીઆરની હાલત ખરાબ, AQI ખતરનાક સ્તરે પહોંચ્યો, આ પ્રતિબંધો લગાવ્યા

Delhi NCR AQI : દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા ખૂબ જ ઝેરી બની ગઇ છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આવનારા ઘણા દિવસો સુધી આ સ્મોગથી કોઈ રાહત મળવાની નથી

Written by Ashish Goyal
November 05, 2023 21:35 IST
પ્રદુષણથી દિલ્હી-એનસીઆરની હાલત ખરાબ, AQI ખતરનાક સ્તરે પહોંચ્યો, આ પ્રતિબંધો લગાવ્યા
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે (Express photo by Abhinav Saha

Delhi AQI : દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, સ્થિતિ એવી છે કે હવે જીઆરએપીનો ચોથો તબક્કો પણ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા ખૂબ જ ઝેરી બની ગઇ છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નિષ્ણાંતો પણ હવે લોકોને ઘરની બહાર નીકળવાનો ઇન્કાર કરી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આવનારા ઘણા દિવસો સુધી આ સ્મોગથી કોઈ રાહત મળવાની નથી.

જીઆરએપીના ચોથા તબક્કામાં શું થશે?

આમ જોવા જઈએ તો જીઆરએપીનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે, તેમાં ઘણા પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. હવે સીએનજી-ઇલેક્ટ્રિક ટ્રકને બાદ કરતાં દિલ્હીમાં અન્ય તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત રજિસ્ટર્ડ ડીઝલ વાહનો અને ભારે વાહનોના પ્રવેશ પર થોડા દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવનાર છે. પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળા ઉપરાંત ધોરણ 6થી ઉપરની શાળાઓ પણ બંધ રહેશે.

પરિસ્થિતિને જોતા હવે રાજ્ય સરકાર ખાનગી કચેરીઓમાં કર્મચારીઓની 50 ટકા હાજરીની જાહેરાત કરી શકે છે. વર્ક ફ્રોમ હોમ ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ એટલી વિસ્ફોટક બની ગઈ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હવે કટોકટીનાં પગલાં લેવાં પડે છે.

આ પણ વાંચો – ભારતમાં ભીષણ ગરમી પડશે, 2100 સુધીમાં તાપમાન 1.1 થી 5.1 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી – IIT ખડગપુર

આંકડા બતાવી રહ્યા છે હકીકત

નિષ્ણાતોનું માનવું છે કે આ વધતા પ્રદૂષણના ઘણા કારણો છે. એક તરફ પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાથી રાજધાનીમાં ધુમાડો તો થયો જ છે. સાથે સાથે દિલ્હીમાં સતત વધી રહેલા વાહનોના કારણે પણ સ્થિતિ વણસી છે. આ ઉપરાંત રાજધાનીમાં ચાલી રહેલા નિર્માણ કાર્યથી પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ગયા વર્ષે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ)નો એક અહેવાલ દર્શાવે છે કે રાજધાનીમાં જ્યારે પણ પીએમ 2.5નું સ્તર ઊંચું હોય છે ત્યારે વાહનો સૌથી વધુ પ્રદૂષણ નું કારણ બને છે. અહીં ટ્રાફિકની સ્થિતિ રહે છે તે પરિસ્થિતિને વધુ વિસ્ફોટક બનાવે છે.

એક આંકડો બતાવે છે કે દિલ્હીમાં 60 ટકા વાહનો એવા છે કે જેમની પાસે પ્રદૂષણનું પ્રમાણપત્ર પણ નથી. એટલે કે કોઈને ખ્યાલ નથી કે તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં. એવું માનવામાં આવે છે કે વધતા પ્રદૂષણ માટે આવા વાહનો પણ સંપૂર્ણપણે જવાબદાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ