scorecardresearch

EDનો દાવો, કાગળ પર 4 લાખના બંગલાની અસલી કિંમત રૂ. 150 કરોડ, દરોડામાંથી શું-શુ મિલકત મળી

ED Raid Lalu Yadav family : રેલવેમાં નોકરીને બદલે જમીનના ઘોટાળા (Land scam instead of job in railways) માં ઈડી (ED) એ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ના પરિવારની માલિકીના અનેક સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં ઈડીએ અનેક બાબતોનો ખૂલાસો પણ કર્યો છે.

EDનો દાવો, કાગળ પર 4 લાખના બંગલાની અસલી કિંમત રૂ. 150 કરોડ, દરોડામાંથી શું-શુ મિલકત મળી
ઈડીએ લાલુ પ્રસાદના પરિવાર સાથે જોડાયેલી અનેક કથિત મિલકતો પર દરોડા પાડ્યા (Express photos by Anil Sharma and Prem Nath Pandey)

દિપ્તીમાન તિવારી, સંતોષ સિંહ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે લાલુ પ્રસાદના પરિવાર સાથે જોડાયેલી અનેક કથિત મિલકતો પર દરોડા પાડ્યા હતા અને દાવો કર્યો હતો કે, દિલ્હીનો એક બંગલો જે કાગળ પર 4 લાખ રૂપિયામાં હસ્તગત કરવામાં આવ્યો છે, તેની અસલી કિંમત 150 કરોડ રૂપિયાથી વધુ હતી.

ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત બંગલામાં શુક્રવારે દરોડા દરમિયાન બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ હાજર હતા.

EDએ લાલુની પુત્રીઓ પૈકીની એક રાગિણી યાદવના ઘરેથી કરોડો રૂપિયાની જ્વેલરી અને રોકડ જપ્ત કરવાનો પણ દાવો કર્યો છે.

જમીન-નોકરીના કેસમાં સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે સમન્સ મેળવનાર તેજસ્વીએ શનિવારે તેમાં હાજરી આપી ન હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેજસ્વીએ તેની પત્ની, જે ગર્ભવતી છે, તેની તબિયત ખરાબ હોવાને કારણે તપાસમાં જોડાવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી.

આ મામલે પોતાનું મૌન તોડતા, બિહારના મુખ્યમંત્રી અને JDU સુપ્રીમો નીતીશ કુમારે શનિવારે પૂછ્યું કે, ED અને CBI લાલુ પ્રસાદ અને તેમના પરિવાર સામે શા માટે કાર્યવાહી કરી રહી છે, “પાંચ વર્ષના અંતરાલ પછી” અને તેમણે ભાજપ છોડ્યા પછી…

જેડી(યુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પરિસ્થિતિને “અઘોષિત કટોકટી” ગણાવી હતી

તેજસ્વીને સમન્સ વિશે બોલતા, સીબીઆઈના એક અધિકારીએ કહ્યું કે, તેઓએ અગાઉ તેને 4 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યું હતું. “જો કે, કેટલીક અંગત પ્રતિબદ્ધતાઓને લીધે, તેમણે વધુ સમય માંગ્યો હતો. તેમણે ફરીથી સમય માંગ્યો છે અને નવેસરથી સમન્સ જાહેર કરવામાં આવશે.”

EDએ શુક્રવારે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત ચાર માળના બંગલામાં 24 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે, મિલકત “મેસર્સ એબી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાયેલ છે, જે તેજશ્વી પ્રસાદ યાદવ અને પરિવારની માલિકીની અને નિયંત્રિત કંપની છે”. એજન્સીના જણાવ્યા અનુસાર, આ જ પ્રોપર્ટી મેસર્સ એકે ઈન્ફોસિસ્ટમ્સનું રજિસ્ટર્ડ સરનામું પણ છે, જેમાં તેજસ્વીની માતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ તેની બહેનો રાગિણી અને ચંદા ડિરેક્ટર્સ હતી.

ED અનુસાર, કથિત કૌભાંડના ભાગરૂપે, એકે ઇન્ફોસિસ્ટમને રેલવેમાં નોકરીની ઈચ્છા ધરાવતા વ્યક્તિ પાસેથી જમીન મળી હતી.

EDએ જણાવ્યું હતું કે, “જો કે મિલકતને મેસર્સ એબી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી (તેજશ્વી) પ્રસાદ યાદવ દ્વારા રહેણાંક સંકુલ તરીકે કરવામાં આવે છે.”

EDએ જણાવ્યું હતું કે, મિલકત માત્ર રૂ. 4 લાખની કિંમતે હસ્તગત કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂ. 150 કરોડ છે.

સૂત્રોએ દાવો કર્યો હતો કે, તેજસ્વીની બહેન રાગિણી યાદવના ઘરની તપાસમાં 54 લાખ રૂપિયા રોકડા અને 1.5 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા.

EDનુ સર્ચ ઓપરેશન દિલ્હી-NCR, મુંબઈ, પટના, રાંચી અને ફુલવારીશરીફમાં ફેલાયેલુ હતુ. પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાના સાથે કથિત રીતે ચંદા, રાગિણી, તેમની બહેન હેમાની મિલકતો સર્ચ કરવામાં આવી હતી.

EDએ જણાવ્યું હતું કે, “દરોડોના પરિણામે, આ સમયે લગભગ રૂ. 600 કરોડના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 350 કરોડની સ્થાવર મિલકતો અને રૂ. 250 કરોડના વ્યવહારોના સ્વરૂપમાં છે.”

એજન્સીના જણાવ્યા અનુસાર, આ પૈસાનો એક ભાગ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની બંગલો ખરીદવામાં ગયો, આ મુંબઈમાં રત્ન અને જ્વેલરીનો વેપાર કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

EDનો દાવો છે કે, “લાલુ યાદવના પરિવાર દ્વારા ગરીબ ગ્રુપ-ડી (રેલ્વે નોકરી)ના અરજદારો પાસેથી માત્ર 7.5 લાખ રૂપિયામાં ચાર પાર્સલ જમીન હસ્તગત કરવામાં આવી હતી, અને શ્રીમતી રાબડી દેવી દ્વારા RJDના પૂર્વ ધારાસભ્ય સૈયદ અબુ દોજાનાને” વેચવામાં આવી હતી. આ સાંઠગાંઠ સોદામાં રૂ. 3.5 કરોડનો જંગી નફા સાથે.

તેજશ્વીના ખાતામાં રકમનો મોટો હિસ્સો ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને, ED કહે છે: “તપાસમાં જાણવા મળ્યું છે કે આજ રીતે, ઘણા ગરીબ માતાપિતા અને ઉમેદવારો પાસેથી જમીન લેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, ઘણા રેલ્વે ઝોનમાં ભરતી કરાયેલા ઉમેદવારોમાં 50 ટકાથી વધુ ઉમેદવારો લાલુ યાદવ પરિવારના વિધાનસભા ક્ષેત્રના હતા. આ અંગે વધુ તપાસ ચાલુ છે.”

લાલુના પરિવારનો આરોપો હતો કે, ED એ તેજસ્વીની ગર્ભવતી પત્ની અને તેની બહેનના બાળકોને “પરેશાન” કર્યા હતા. જવાબમાં એજન્સીએ કહ્યું: “તપાસ કરતી વખતે, તમામ કાનૂની ઔપચારિકતાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું અને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય સૌજન્યનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

2016માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલ ઇડીનો કેસ, CBIની તપાસમાંથી ઉદ્દભવ્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, રેલવેમાં લોકોને રોજગાર આપવામાં આવ્યો હતો – જ્યારે લાલુ રેલવે મંત્રી હતા – જમીન પાર્સલ ભેટમાં આપવા અથવા સસ્તા ભાવે વેચવાના બદલામાં, યાદવ પરિવાર અથવા તેમના સાથીઓને.

જ્યારે JD(U) એ લાલુ અને તેમના પરિવાર વિરુદ્ધ તાજેતરની કાર્યવાહી પર નિવેદન બહાર પાડ્યું હતું, નીતિશે, જેમણે ભ્રષ્ટાચારના આરોપોના આધારે 2017 માં RJD સાથેનું જોડાણ તોડ્યું હતું, અત્યાર સુધી આ મુદ્દા પર બોલ્યા નથી.

શનિવારે એક કાર્યક્રમની બાજુમાં પત્રકારો સાથે વાત કરતા, બિહારના મુખ્યમંત્રીએ કહ્યું: “હું આવા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતો નથી. જો કે જેઓ (કેન્દ્રીય એજન્સીઓની) કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે તેઓ તેમના પોતાના બચાવમાં બોલી રહ્યા છે… (પરંતુ) મને આશ્ચર્ય છે કે, પાંચ વર્ષના અંતરાલ પછી આ દરોડા ફરીથી કેવી રીતે શરૂ થયા. આ સૌપ્રથમ ત્યારે શરૂ થયું, જ્યારે અમે 2017માં ગ્રાન્ડ એલાયન્સનો ભાગ હતા અને હવે જ્યારે હું ફરીથી મહાગઠબંધનમાં આવ્યો છું.

નીતિશે કહ્યું કે, 2017માં, લાલુના નિવાસસ્થાન પર સીબીઆઈના દરોડા અને નોકરી બદલ જમીનના કેસમાં તેજસ્વીનું નામ સામે આવ્યા પછી, તેમણે તેજસ્વીને “સમજાવવા” કહ્યું હતું.

કેન્દ્રીય એજન્સીઓના “દુરુપયોગ” પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત વિપક્ષના પત્ર પર હસ્તાક્ષર કરવાનો JD(U) ના તાજેતરમાં ઇનકાર વિશે પૂછવામાં આવતા, નીતિશે કહ્યું: “દરેક પક્ષ તેની રીતે કામ કરે છે. મારે દરેક જગ્યાએ રહેવાની જરૂર નથી. વિપક્ષી એકતા થાય તે માટે હું ગમે ત્યાં જવા તૈયાર છું. મારી કોઈ અંગત ઈચ્છા નથી. હું વ્યાપક વિપક્ષી એકતા માટે કામ કરવા માંગુ છું.

જેડી(યુ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ સિંહે કહ્યું: “નોકરી માટે જમીનના કેસમાં બે તપાસમાં (કેન્દ્રીય એજન્સીઓ દ્વારા) પુરાવા મળી શક્યા નથી. પરંતુ 9 ઓગસ્ટ, 2022 (જે દિવસે નીતીશે ભાજપ સાથે સંબંધો તોડ્યા અને આરજેડી સાથે સરકાર બનાવી) ત્યારથી તેમને નવા પુરાવા મળવા લાગ્યા છે. પરંતુ લાલુ પ્રસાદ અને તેમના પરિવારના સભ્યોના ઘરો પર જ્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે ત્યાંથી કંઈ મળ્યું નથી.

સિંહે કહ્યું, તેમણે વર્તમાન પરિસ્થિતિને “અઘોષિત કટોકટી” ગણાવી હતી અને કહ્યું હતું કે, સગર્ભા મહિલા અને બાળકો પર દરોડો “પ્રથમ વખત” થઈ રહ્યો છે. “જો કે તેઓ અમને દબાવી શકે છે, 2024 માં દેશ ભાજપ મુક્ત થશે.”

કિડની ટ્રાન્સપ્લાન્ટમાંથી સ્વસ્થ થઈ રહેલા લાલુએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, “હું વૈચારિક રીતે ભાજપ અને આરએસએસ સાથે અસંમત છું અને રહીશ.” હું ક્યારેય તેમની આગળ ઝૂક્યો નથી. મારી પાર્ટી અને પરિવારનો કોઈ સભ્ય ક્યારેય ભાજપ સામે ઝુકશે નહીં.

Web Title: Ed claims actual cost bungalow worth rs 4 lakh on paper is rs 150 crores what property found raid

Best of Express