/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Rave-Party-Noida-1.jpg)
યુટ્યુબર એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો (તસવીર - એલ્વિસ યાદવ ઇન્સ્ટાગ્રામ)
Elvish Yadav Rave Party: નોઈડા રેવ પાર્ટીમાં સાપ અને ઝેરનો ઉપયોગ કરવા બદલ પોલીસ બિગ બોસ વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે તપાસ કરી રહી છે. આરોપ છે કે આ પાર્ટીઓમાં નશા માટે ઝેરી સાપનો ઉપયોગ કરવામાં આવતો હતો. એલ્વિશ યાદવ પર આ પાર્ટીઓ માટે સાપના ઝેરની વ્યવસ્થા કરવાનો આરોપ છે. તે આવી ગેંગ સાથે સંકળાયેલો છે. જોકે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. આ રેવ પાર્ટીનો ખુલાસો પોલીસે સ્ટિંગ ઓપરેશન બાદ કર્યો હતો. મેનકા ગાંધીના સંગઠન PFAના એક અધિકારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ, વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ 3 નવેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સામાન્ય લોકોના મનમાં સવાલ ઉઠે તે સ્વાભાવિક છે કે રેવ પાર્ટીમાં સાપનો શું ઉપયોગ? સાપનો નશો કેવી રીતે થઈ શકે? તો પછી નશા માટે સાપના ઝેરનો ઉપયોગ કેવી રીતે થાય છે? દરેક વ્યક્તિ જાણે છે કે સાપ કરડવાથી વ્યક્તિનું મોત થઇ શકે છે કારણ કે ઝેરી હોય છે. આ લેખમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યા છીએ કે નશા માટે સાપનો ઉપયોગ કેવી રીતે થાય છે? વાસ્તવમાં તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો છે.
- સાપનો ઉપયોગ નશા માટે થાય છે.
- છેવટે, સાપનું ઝેર કેટલું શક્તિશાળી છે.
- આની પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે?
સાપના ઝેરનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં પાંચ કોબ્રા સહિત નવ સાપને બચાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા પાંચ લોકોના કબજામાંથી લગભગ 20 મિલી સાપનું ઝેર મળી આવ્યું છે. સાપનું ઝેર કેટલું શક્તિશાળી છે? નશા માટે દારૂને બદલે સાપનો ઉપયોગ કેવી રીતે થાય છે? સમગ્ર વિશ્વમાં નશા માટે સાપનો ઉપયોગ કેવી રીતે થાય છે?
આ પણ વાંચો - રેવ પાર્ટી, જીવતા કોબ્રા સાપ, અજગર અને વિદેશી છોકરીઓ… એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાઈ
વૈજ્ઞાનિકોના મતે સાપના ઝેરથી દારૂની જેમ નશો થતો નથી, પરંતુ તેની નર્વસ સિસ્ટમ પર એટલી અસર થાય છે કે શરીરની અંદર અનેક પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે, જેને નશો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની અસર 6-7 દિવસ સુધી ચાલે છે. સંશોધકોના મતે આ ઝેરમાં હાજર ન્યુરોટોક્સિનને કારણે છે જે ન્યુરોટ્રાન્સમિશનને અસર કરી શકે છે. સંશોધન મુજબ જ્યારે સાપનું ઝેર તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે ત્યારે તે સેરોટોનિન, બ્રેડીકીનિન અને અન્ય પદાર્થો જેવા રસાયણોને મુક્ત કરે છે. શરીર પર તેની ધીમે ધીમે અસર થાય છે. આમાંના કેટલાક રસાયણો તમારા મગજને અસર કરી શકે છે. જેના કારણે તમે નિંદ્રા અથવા શાંતિ અનુભવી શકો છો.
કેવી રીતે લેશે સાપનું ઝેર
રિપોર્ટ અનુસાર ઝેરનો નશો કરતા પહેલા સાપને કેમિકલનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ પછી નશો કરનાર પોતાને હોઠ અને જીભ પર સાપ કરવાડે છે. આવું કરવાથી તેને કિક મળે છે. આ પછી, ઝેરમાં હાજર ન્યુરોટોક્સિન નર્વસ સિસ્ટમને અસર કરે છે. જેની શરીર અને મન પર ઊંડી અસર પડે છે.
કોબ્રાની છે ડિમાન્ડ
ઈન્ડિયન જર્નલ ઑફ ફિઝિયોલોજી એન્ડ ફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલ 2021નો અભ્યાસ જણાવે છે કે સર્પદંશના તમામ કેસોમાંથી લગભગ 60% શુષ્ક હોય છે. જ્યારે કોબ્રાનું ઝેર મોર્ફિનના નશા જેવું જ છે (તે એક એલ્કેલોઇડ છે). રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં સાપના ઝેરનો ઉપયોગ વધ્યો છે. નશા માટે કોબ્રા, ક્રેટ, બે માથાવાળા સાપ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us