EWS Reservation: દેશમાં આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નિર્ણય માન્ય રાખ્યો

EWS Reservation: દેશમાં આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની પાંચ સભ્યોની બેન્ચે મોદી સરકાર (Modi Goverment) નો નિર્ણય માન્ય રાખ્યો. જોકે, મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત EWS ક્વોટા સાથે ચાલુ રાખવાના નિર્ણય સાથે અસંમત હતા.

EWS Reservation: દેશમાં આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની પાંચ સભ્યોની બેન્ચે મોદી સરકાર (Modi Goverment) નો નિર્ણય માન્ય રાખ્યો. જોકે, મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત EWS ક્વોટા સાથે ચાલુ રાખવાના નિર્ણય સાથે અસંમત હતા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

આર્થિક આધાર પર અનામતના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની મોહર

Supreme Court On EWS Quota News : દેશમાં EWS અનામત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેન્ચે આ મામલાની સુનાવણી કરતા 3-2 દ્વારા મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. CJI UU લલિતની આગેવાની હેઠળની બેંચે આર્થિક આધારો પર અનામત આપવાના મોદી સરકારના નિર્ણય પર મહોર મારી દીધી છે.

Advertisment

5 જજોની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. 5માંથી 3 ન્યાયાધીશોએ EWSની તરફેણમાં અભિપ્રાય આપ્યો છે. EWS આરક્ષણ પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે બંધારણના 103મા સુધારાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, આરક્ષણ આર્થિક આધાર પર ચાલુ રહેશે. જો કે, મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત EWS ક્વોટા સાથે ચાલુ રાખવાના નિર્ણય સાથે અસંમત હતા.

આ ન્યાયાધીશોએ સમર્થનમાં ચુકાદો આપ્યો હતો

પાંચ સભ્યોની બેન્ચમાંથી ત્રણ જજો EWS આરક્ષણ ચાલુ રાખવા માટે સંમત થયા છે. જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ અનામતને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, મોટો પ્રશ્ન એ હતો કે શું EWS આરક્ષણ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે અને શું SC, ST, OBCને તેમાંથી બાકાત રાખવા એ મૂળ ભાવનાની વિરુદ્ધ છે. ન્યાયાધીશે કહ્યું કે EWS ક્વોટા બંધારણનું ઉલ્લંઘન નથી અને તે યોગ્ય છે. સાથે જ જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, હું જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છું.

ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અસંમત

મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત અને ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ્ટ EWS અનામત ચાલુ રાખવા પર અસહમત. જસ્ટિસ ભટ્ટે કહ્યું કે, બંધારણ સામાજિક ન્યાય સાથે છેડછાડની મંજૂરી આપતું નથી. EWS આરક્ષણ બંધારણના મૂળભૂત માળખા હેઠળ યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે, આરક્ષણની આ મર્યાદાને વટાવવી એ મૂળભૂત માળખાની વિરુદ્ધ છે.

Advertisment

શું હતો સમગ્ર મામલો

વર્ષ 2019માં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં 30થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે 27 સપ્ટેમ્બરે સુનાવણી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

દેશ gujarat election 2022 PM Narendra Modi