સંયુક્ત કિસાન મોરચા શુક્રવારે દેશભરમાં બ્લેક ડે મનાવશે, યુવકના મોત પર 1 કરોડ સહાયની માંગ

Farmer Protest : સંયુક્ત કિસાન મોરચા 14 માર્ચે રામલીલા મેદાન દિલ્હી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરશે, 26 ફેબ્રુઆરીએ તેમના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કરશે

Farmer Protest : સંયુક્ત કિસાન મોરચા 14 માર્ચે રામલીલા મેદાન દિલ્હી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરશે, 26 ફેબ્રુઆરીએ તેમના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Farmer Protest, Samyukt Kisan Morcha

એમએસપી પર કાયદો બનાવવા સહિતની અનેક માંગણીઓ સાથે દિલ્હીની સરહદો પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે (તસવીર - એક્સપ્રેસ)

Farmer Protest : એમએસપી પર કાયદો બનાવવા સહિતની અનેક માંગણીઓ સાથે દિલ્હીની સરહદો પર ઉભેલા ખેડૂતોએ બુધવારે એક યુવાનના મોત બાદ તેમની 'દિલ્હી ચલો માર્ચ' હાલ પૂરતી બંધ કરી દીધી છે. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આ અંગે 23 ફેબ્રુઆરીએ નિર્ણય લેવામાં આવશે. દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ મોટી જાહેરાત કરી છે. એસકેએમએ કહ્યું કે તે આવતીકાલે દેશભરમાં 'બ્લેક ડે' મનાવશે. આ સાથે તેઓ 14 માર્ચે રામલીલા મેદાનમાં પ્રદર્શન કરશે.

Advertisment

14 માર્ચે રામલીલા મેદાન દિલ્હી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન

એસકેએમ 14 માર્ચે રામલીલા મેદાન દિલ્હી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરશે, 26 ફેબ્રુઆરીએ તેમના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કરશે. કિસાન મોરચાએ કહ્યું કે યુવાનના મોતની ન્યાયિક તપાસ થવી જોઈએ. એસકેએમએ માંગ કરી હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન યુવકના મોત માટે 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે એસકેએમ 26 ફેબ્રુઆરીએ દેશોના હાઇવે પર ટ્રેક્ટર માર્ચ કાઢશે.

ખેડૂતના મોત માટે જવાબદાર લોકો સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ

આ પહેલા ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે ગુરુવારે પંજાબ-હરિયાણાના ખાનૌરી બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતના મોત માટે જવાબદાર લોકો સામે હત્યાનો કેસ નોંધવાની માંગ કરી હતી. પંઢેરે જણાવ્યું હતું કે પંજાબ સરકારે હરિયાણાના અર્ધસૈનિક દળોના જવાનો સામે પણ રાજ્યમાં પ્રવેશ્યા બાદ ખેડૂતોની 25-30 ટ્રેક્ટર-ટ્રોલીઓને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો - રાકેશ ટિકૈતે અન્નદાતાને શાંત કરવાની રીત જણાવી, કહ્યું – ખેડૂત હારીને ક્યારેય પાછો જતો નથી

Advertisment

ખનૌરી સરહદ પર થયેલી ઝડપમાં એક આંદોલનકારીનું મોત થયા અને લગભગ 12 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા બાદ ખેડૂત નેતાઓએ બુધવારે તેમની 'દિલ્હી ચલો માર્ચ' બે દિવસ માટે બંધ કરી દીધી હતી. પંઢેરે પટિયાલામાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે પંજાબ સરકાર આ ઘટનાના સંદર્ભમાં આઈપીસી કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધે.

ઘરો અને વાહનો પર કાળા ઝંડા લગાવવાની હાકલ

ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે માંગણી કરી હતી કે પંજાબ સરકાર શુભકરણને શહીદનો દરજ્જો આપે. દલ્લેવાલે એવી પણ માંગણી કરી હતી કે પંજાબ સરકાર હરિયાણાના સુરક્ષા જવાનો દ્વારા પંજાબના વિસ્તારમાં 25-30 ટ્રેક્ટર-ટ્રોલીને થયેલા નુકસાનની નોંધ લે. ખેડૂત નેતાઓએ ખાનૌરી સરહદ પર ખેડૂતના મોત સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે ઘરો અને વાહનો પર કાળા ઝંડા ફરકાવવાની હાકલ પણ કરી હતી.

પંજાબ દિલ્હી ખેડૂત ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ