શું ખેડૂતોનું આંદોલન અટકશે? ગુરુવારે કેન્દ્ર સરકાર સાથે મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Farmers Protest : ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો તેમની માંગણીઓને લઈને તેમની સાથે વાતચીત માટે કેન્દ્ર પાસે આવતા કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરશે

Farmers Protest : ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો તેમની માંગણીઓને લઈને તેમની સાથે વાતચીત માટે કેન્દ્ર પાસે આવતા કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Delhi farmers march, Farmers Protest

ખેડૂતોની કુલ 12 માંગણી છે જેમને લઇને તેમનું આંદોલન ચાલી રહ્યું છે (એક્સપ્રેસ તસવીર)

Farmers Protest Updates : સ્વામીનાથન કમિશનના રિપોર્ટનો અમલ, એમએસપીની કાનૂની ગેરંટી સહિતની અનેક માંગણીઓને લઇને ખેડૂતોના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. હજારો ખેડૂતો દિલ્હીની અનેક સરહદો પર ઉભા છે. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો તેમની માંગણીઓને લઈને તેમની સાથે વાતચીત માટે કેન્દ્ર પાસે આવતા કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરશે, પરંતુ વાતચીત માટે સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી આવતીકાલે ખેડૂત નેતાઓ સાથે વાત કરી શકે છે.

Advertisment

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય આવતીકાલે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે વાતચીત કરશે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે ચંદીગઢમાં ત્રીજા રાઉન્ડની વાતચીત થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. આ પહેલા ત્રણેય મંત્રીઓએ ચંદીગઢમાં ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે બે તબક્કાની બેઠક કરી હતી પરંતુ વાતચીત અનિર્ણિત રહી હતી અને મંગળવારે ખેડૂતોએ પોતાનો વિરોધ શરૂ કરી દીધો હતો. ખેડૂતોની એક મુખ્ય માંગ વિવિધ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) નક્કી કરવાની છે.

રાજનાથ સિંહે અર્જુન મુંડા સાથે મુલાકાત કરી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા સહિત કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓએ બુધવારે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને હલ કરવાના માર્ગો અને તેને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલી બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી અને હરિયાણા તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા પંજાબના ખેડૂતોને રોકવા માટે પોલીસે કૂચ શંભુ બોર્ડર પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

આ પણ વાંચો - સ્વામીનાથન કમિશનના જે રિપોર્ટ પર થઇ રહી છે બબાલ, કોંગ્રેસે 2010માં તેને ફગાવી દીધો હતો

Advertisment

ખેડૂતોના વિરોધનો બીજો દિવસ

હજારો ખેડૂતો બુધવારે સવારે ફરી એક વાર 'દિલ્હી ચલો' કૂચ શરૂ કરવા માટે પંજાબ અને હરિયાણાના બે સરહદ પર એકઠા થયા હતા. આ સાથે જ હરિયાણા પોલીસે અંબાલા નજીક શંભુ બોર્ડર પર પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણાના જીંદ જિલ્લામાં દાતા સિંઘવાલા-ખાનૌરી બોર્ડર પર પણ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

પોલીસે ખેડૂતોના ટ્રેકટરને રોકવા માટે મોટી સંખ્યામાં બેરિકેડ લગાવી દીધા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજનાથ સિંહે અર્જુન મુંડા સાથે ખેડુતોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ખેડૂત જૂથો સાથે ચર્ચા કરનારા પ્રધાનોમાં અર્જુન મુંડાનો પણ સમાવેશ થાય છે.

પંજાબ દિલ્હી ખેડૂત દેશ