/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-50.jpg)
આપ પાર્ટીને નેતા રાઘવ ચઢ્ઢા (ફાઇલ ફોટો)
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગને લઇને રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર વિધેયક 2023 રાજ્ય સભામાંથી પણ પાસ થઈ ગયું હતું. રાઘવ ચઢ્ઢા તરફથી રજૂ કરવામાં આવેલા એક પ્રસ્તાવને લઇને મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ શકે છે.
શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે આ બિલ પર ચર્ચા અને વોટિંગ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ બિલની સિલેક્ટ કમિટીને પ્રસ્તાવ મોકલી દીધો હતો. જેને લઇને તેમણે અનેક સાંસદોનું સમર્થનની વાત કરી હતી. જોકે, જ્યારે સાંસદોનું નામ લીધું તો તેમનામાંથી કેટલાકે આ વાતને લઇને ઇન્કાર કર્યો કે તણે સહમતી લીધી છે. તેમણે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ માટે ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે જો પ્રસ્તાવ પર સાંસદોના હસ્તાક્ષર નકલી મળે તો રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહે પણ ઉઠાવ્યો સવાલ
ચર્ચા દરમિયાન અમિત શાહે સાંસદોનો ઉલ્લેખ કરતા કહ્યું કે માન્યવર આ બંને સમ્માનીય સભ્ય કહી રહ્યા છે કે તેમણે મોશન કો સાઇન કર્યા નથી. હવે એ તપાસનો વિષય છે કે મોશન કેવી રીતે સાઇન થયું. રાઘવ ચઢ્ઢા જીએ આના ઉપર સાઇન કર્યું છે. તેમના હસ્તાક્ષર કોણે કર્યા એ તપાસનો વિષય છે. આવું ન ચાલે.
માન્યવર આ મામલો હવે માત્ર દિલ્હી સરકારમાં છેતરપિંડીનો નહીં પરંતુ સદનની અંદર છેતરપિંડીનો મામલો છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાપતિને કહ્યું કે મારું તમને નિવેદન છે કે આ બંને સભ્યોનું સ્ટેટમેન્ટ રેકોર્ડ પર અત્યારે રેકોર્ડ કરવામાં આવે જેથી કરીને પછી તેની તપાસ કરવા માટે કે આવું કેવી રીતે થયું. ત્યારબાદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ વિશેષાધિાર હનનનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને રાઘવે કહ્યું કે તેઓ નોટિસનો જવાબ આવશે.
કયા સાંસદોએ ઉઠાવ્યો વાંધો
ઉલ્લેખનીય છે કે બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સસ્મિત પાત્રાએ કહ્યું કે જ્યારે પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો હતો. મેં સાંભળ્યું કે મારા નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તો હું તરત આસન પોઇન્ટ ઓફ ઓર્ડર અંતર્ગત નિયમ 72 (2) થકી મેં કહ્યું કે મારું નામ સંજ્ઞાન માટે લેવાયું છે. મને ખબર નથી કે મારું નામ કેવી રીતે આવ્યું. બીઆરએસના રાજ્યસભા સાંસદ કેશવ રાવે કહ્યું કે નિયમ પ્રમાણે જ્યારે આપણે કોઈનું નામ સામેલ કરીએ છે તો તેની સહમતિ લઇએ છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us