Ganesh Chaturthi: 45 વર્ષથી મસ્જિદમાં ગણેશ જીની સ્થાપના, વાંચો હિંદુ મુસ્લિમ સદભાવનાની અનોખી કહાણી

Ganesh Chaturthi 2025 : ગણેશ મહોત્સવની દેશભરમાં ઉજવણી થાય છે. મહારાષ્ટ્રનું એક ગણેશ મંડળ હિંદુ મુસ્લિમ સદભાવનાનું પ્રતિક છે, જ્યાં 45 વર્ષથી મસ્જિદમાં ગણેશ જીની મૂર્તિની સ્થાપના થાય છે. મુસ્લમાન લોકો પ્રસાદ બનાવવામાં અને પૂજા કરવામાં મદદ કરે છે.

Written by Ajay Saroya
September 01, 2025 14:47 IST
Ganesh Chaturthi: 45 વર્ષથી મસ્જિદમાં ગણેશ જીની સ્થાપના, વાંચો હિંદુ મુસ્લિમ સદભાવનાની અનોખી કહાણી
Ganesh Chaturthi 2025 : વર્ષ 1980 થી મસ્જિદમાં ગણેશ જીની મૂર્તિની સ્થાપના થાય છે.

Ganesh Chaturthi 2025 : ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે. મહારાષ્ટ્રના એક ગામમાં ચાર દાયકાથી પણ વધુ સમયથી અનોખો ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં એક મસ્જિદમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનિક ગણેશ મંડળના સ્થાપક અશોક પાટીલે જણાવ્યું હતું કે, સાંગલી જિલ્લાના ગોતાખીંડી ગામના રહેવાસીઓને અન્ય સ્થળોએ થતી ધાર્મિક તંગદિલીની ક્યારેય અસર થઈ નથી. આ ગામની વસ્તી આશરે 15,000 છે, જેમાં મુસ્લિમ સમુદાયના 100 પરિવારોનો સમાવેશ થાય છે.

45 વર્ષથી મસ્જિદમાં ગણેશજીની સ્થાપના

60 વર્ષીય અશોક પાટીલ જણાવે છે કે, મુસ્લિમો પણ આ મંડળના સભ્ય છે. તેઓ ‘પ્રસાદ’ બનાવવામાં, પૂજા અર્ચના કરવામાં અને તહેવારની તૈયારીમાં મદદ કરે છે. આ પરંપરા 1980માં શરૂ થઈ હતી જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના સભ્યોએ ભારે વરસાદને કારણે સાંગલી જિલ્લાના ગોતાખીંડી ગામમાં એક મસ્જિદની અંદર ભગવાન ગણેશની મૂર્તિ ખસેડવાનો નિર્ણય કર્યો હતો.

તેઓ ઉમેરે છે કે, “ત્યારથી આ ધાર્મિક વિધિઓ શાંતિપૂર્ણ રીતે ચાલુ રહી છે અને તેમાં મુસ્લિમ સમુદાયની સક્રિય ભાગીદારી છે.” ‘નવા ગણેશ તરુણ મંડળ’ની સ્થાપના 1980માં ગામના ઝુનઝાર ચોક ખાતે કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિને મસ્જિદમાં 10 દિવસના તહેવાર માટે રાખવામાં આવે છે અને ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે તહેવારોના સમાપન સમયે સ્થાનિક જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે.

મુસ્લિમોએ એક વર્ષ બકરી ઈદ પર કુરબાની ન આપી

અશોક પાટિલે જણાવ્યું હતું કે, બકરી ઈદ અને ગણેશ ચતુર્થીનો તહેવાર એક સાથે આવતા મુસ્લિમોએ કુરબાની ન આપી અને માત્ર નમાઝ અદા કરીને જ પોતાનો તહેવાર ઉજવ્યો હતો. તેમણે કહ્યું, “તેઓ હિન્દુ તહેવારો દરમિયાન પણ નોનવેજ ખાવાનું ટાળે છે.”

વડાપ્રધાને કહ્યું હતું કે, “સમગ્ર દેશે અહીંના સામાજિક અને ધાર્મિક સંવાદિતાનાં વાતાવરણમાંથી પ્રેરણા લેવી જોઈએ. પાટીલે જણાવ્યું હતું કે, દર વર્ષે સ્થાનિક પોલીસ અને તહેસિલદારને ગણેશ મૂર્તિના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે આમંત્રિત કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ