શું ફારૂક અબ્દુલ્લા રાત્રે પીએમ મોદી, અમિત શાહને મળવાનો પ્રયાસ કરે છે? એનસી ચીફે કર્યો આ ખુલાસો

Farooq Abdullah : ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ફારુક અબ્દુલ્લા રાત્રે સંતાઇને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે સીક્રેટ મીટિંગ કરી રહ્યા છે.

Farooq Abdullah : ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ફારુક અબ્દુલ્લા રાત્રે સંતાઇને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે સીક્રેટ મીટિંગ કરી રહ્યા છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Farooq Abdullah, INDIA alliance

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા (ફાઇલ ફોટો, એક્સપ્રેસ)

Farooq Abdullah : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ફારુક અબ્દુલ્લા વિશે આપેલા નિવેદન બાદ જમ્મુ કાશ્મીરના રાજકારણમાં અટકળોનો એક નવો દોર શરૂ થઈ ગયો છે. ગુલામ નબી આઝાદે સોમવારે કહ્યું હતું કે તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે ફારૂક અબ્દુલ્લા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

Advertisment

તેમણે કહ્યું કે મેં દિલ્હીના સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે તેઓ રાત્રે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળવાનો પ્રયાસ કરે છે. મેં ક્યારેય કહ્યું ન હતું કે તેમણે મુલાકાત કરી કે તેમને એપોઇન્ટમેન્ટ મળી હતી.

ફારૂક અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપી

ગુલામ નબી આઝાદના આ નિવેદન પર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું આઝાદ સાહેબનો આદર કરું છું, પરંતુ જ્યારે હું આવી ટિપ્પણીઓ સાંભળું છું, ત્યારે હું દંગ રહી જાઉં છું. જો ફારુક અબ્દુલ્લાને પીએમ કે અમિત શાહને મળવાનું થશે તો હું તેમને દિવસમાં મળીશ. મારે રાત્રે શા માટે મળવું જોઈએ, કોના ડરથી રાત્રે મળ. મને અફસોસ એ વાતનો છે કે તે જોર શોરથી આ કહી રહ્યા છે.

Advertisment

આ પણ વાંચો - કલ્કી ધામ દ્વારા મુરાદાબાદ વિભાગમાં પકડ મજબૂત કરવાનો પ્લાન? 2019માં ભાજપને લાગ્યો હતો મોટો ઝટકો

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે એવું તે શું કારણ છે કે તેમને લાગ્યું કે ફારુક અબ્દુલ્લાને દરેક રીતે બદનામ કરવા પડશે. તેઓએ યાદ રાખવું જોઈએ કે તે ફારુક અબ્દુલ્લા જ હતા જ્યારે કોઈ ઇચ્છતું ન હતું કે રાજ્યસભાની બેઠક ગુલામ નબી આઝાદને મળે, જેમણે તેમને રાજ્યસભાની બેઠક આપી હતી.

મેં રાજ્યસભાની બેઠક ગુલામ નબી આઝાદને આપવા કહ્યું હતું - ફારુક અબ્દુલ્લા

એનસી ચીફે વધુમાં જણાવ્યું હતું કે 2014માં જ્યારે રાજ્યસભાની બેઠક ફરીથી ફાળવવાની હતી. ત્યારે સોનિયા ગાંધીએ ઉમરને કહ્યું કે અમે આ બેઠક ફારૂક અબ્દુલ્લા માટે રાખી છે. ત્યારે ઉમરે મને ફોન કર્યો હતો, હું સારવાર માટે વિદેશમાં હતો. મેં ઉમરને આ બેઠક ગુલામ નબી આઝાદને આપવા કહ્યું હતું. જે પરિસ્થિતિ માટે મેં ઘણું સાંભળ્યું છે તે જુઓ, તે આજે કહી રહ્યા છે કે હું રાત્રે મળ્યો. ગુલામ નબી સાહેબ તમારા ફેક્ટ્સને બરાબર જુઓ.

જમ્મુ અને કાશ્મીર નરેન્દ્ર મોદી અમિત શાહ દેશ PM Narendra Modi