/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Government-not-responseible-to-compensate-for-deaths-due-to-Covid-vaccine-Centre-tells-Suprem-court.png)
કોરોના વેક્સિનથી થયેલા મૃત્યુની જવાબદારીઓ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કર્યુ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, કોવિડ વેક્સિનથી થયેલી મૃત્યુ માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.
કેન્દ્ર સરકારનો આ જવાબ એક અરજી પર હતો જેમાં કોરોના રસી લીધા પછી બે છોકરીઓનું મૃત્યુ થયું હતું. કેન્દ્ર સરકારે તેના જવાબમાં કહ્યું કે રસીકરણ કાર્યક્રમ હેઠળ મૂકવામાં આવી રહેલી કોરોના વેક્સીન એ થર્ડ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમારા સિવાય અન્ય દેશોએ પણ કોરોના વેક્સીનની રેગ્યુલેટરી સમીક્ષા કરી છે.
સરકારે તેના સોગંદનામાંમાં એવું જણાવ્યુ કે, એક કે બે મૃત્યુ માટે તેને જવાબદાર ઠેરવવી કાયદેસર રીતે માન્ય નથી. આવા મૃત્યુ માટે સરકાર જવાબદાર છે તે સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજો નથી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું છે કે, રસી લેવી એ કોઈ કાયદાકીય ફરજ નથી. વેક્સીન લેવી કે નહી એ વ્યક્તિની મરજીની વાત છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Government-not-responseible-to-compensate-for-deaths-due-to-Covid-vaccine-Centre-tells-Suprem-court-2.png)
કેન્દ્રએ મંગળવારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે કોવિડ-19 વાયરસના સંક્રમણ વિરોધી રસી મૂકાયા બાદ થતી આડઅસરો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં અને કોર્ટમાં દાવો દાખલ કરીને રસીના કારણે થયેલા મૃત્યુ માટે વળતરની માંગણી કરી શકાય નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલું આ એફિડેવિટ એ હકીકતને ધ્યાનમાં રાખતા ઘણું મહત્વપૂર્ણ છે, જેમાં સરકાર મહામારી સામે લડવા માટે કોવિડ -19 રસીકરણ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહી છે અને તાજેતરના અહેવાલો મુજબ 219 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
રસી મુકાયા બાદ બે પુત્રીના મોત થતા મામલો અદાલતમાં પહોંચ્યો
કોવિશિલ્ડ વેક્સિનની પ્રતિકૂળ અસરોને કારણે શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલી બે છોકરીઓના માતાપિતા દ્વારા કરવામાં આવેલી અરજીના પ્રત્યુત્તરમાં સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યુ છે. અરજદારોની પુત્રીઓની ઉંમર 19 અને 20 વર્ષની હતી અને કોરોના વેક્સિન મૂકાયા બાદ તેની મોત થઇ હતી.
કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો છે કે, થર્ડ પાર્ટી દ્વારા બનાવામાં આવેલી આ કોરોના વેક્સીન સફળતાપૂર્વક નિયમનકારી સમીક્ષામાંથી પસાર થાય છે, અને વળતર આપવા માટે સરકારને સીધી જ જવાબદાર ઠેરવવી કદાચ કાયદેસર રીતે યોગ્ય ન હોઈ શકે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Government-not-responseible-to-compensate-for-deaths-due-to-Covid-vaccine-Centre-tells-Suprem-court-1.png)
સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં જણાવ્યુ છે કે, "જો કોઈ વ્યક્તિ AEFI (પ્રતિકૂળ ઘટનાઓ પછીની ઇમ્યુનાઇઝેશન) ને કારણે શારીરિક ઇજા અથવા મૃત્યુનો ભોગ બને છે, તો કાયદામાં યોગ્ય પગલાંઓ રસીના લાભાર્થી અથવા તેમના પરિવાર માટે ખુલ્લા છે, જેમાં બેદરકારી, ગેરરીતિ અથવા ગેરરીતિ માટે નુકસાન/વળતરના દાવા માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરવો શામેલ છે. આવા દાવા યોગ્ય ફોરમમાં કેસ-ટુ-કેસ આધારે નક્કી કરી શકાય છે. રાજ્યને દુ:ખદ ઘટના માટે કડક જવાબદારી સાથે કેવી રીતે બાંધી શકાય તે સૂચવવા માટે કોઈ પુરાવાઓ નથી."
એફિડેવિટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્તરના કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ લોકો માટે રસી મૂકાવવી 'સ્વૈચ્છિક' છે.
તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જારી કરાયેલી ઓપરેશનલ માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે રસીકરણ સ્વૈચ્છિક છે. રસી જેવી દવાના સ્વૈચ્છિક ઉપયોગ માટે સંમતિ લાગુ પડતી નથી. જ્યારે ભારત સરકાર તમામ લાયક વ્યક્તિઓને જાહેર હિતમાં રસીકરણ હાથ ધરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરે છે, તેના માટે કોઈ કાયદાકીય જવાબદારી નથી.
“AEFI તપાસ અને કારણ મૂલ્યાંકનની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક પ્રક્રિયા છે. AEFI ની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે અને પરિણામો શક્ય તેટલી વહેલી તકે જાહેરમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. AEFIની દેખરેખ, તપાસ અને મૂલ્યાંકન માટે પ્રવર્તમાન યંત્રણાઓ પર્યાપ્ત, અસરકારક અને પારદર્શક છે," એવું એફિડેવિટમાં જણાવાયું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us