/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/violence.jpg)
મણિપુર હિંસા.
છેલ્લા ત્રણ મહિનાથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં ચાલું વિરોધને ઓછો કરવા માટે કેન્દ્રએ બુધવારે મણિપુરના કુકી સમૂહોના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી હતી. આ સાથે જ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનાર એક આઇબી અધિકારીની મેતેઈ નાગરિક સમાજ સંગઠનના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત થઈ હતી.
સૂત્રોએ કહ્યું કે પૂર્વોત્તર માટે કેન્દ્રના પ્રભારી, ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર અક્ષય મિશ્રાએ સરકારની સાથે સસ્પેન્સ ઓફ ઓપરેશન કરાર અંતર્ગત કુકી આતંકવાદી સમૂહોના પ્રતિનિધિઓની સાથે બેઠક કરી હતી. કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનાર એક આઇબી અધિકારીની સાથે મણિપુર ઇન્ટીગ્રિટી માટે સમન્વ સમિતિના પ્રિનિધિયોની સાથે એક અલગ વાતચીત પણ થઈ હતી. COCOMI એક મેતેઇ નાગરિક સમાજ સંગઠન છે.
જ્યારે એસઓઓ સમૂહોની સાથે વાતચીત છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહી છે. મેમાં રાજ્યમાં અશાંતિ ફેલાયા પહેલા કુકી શાંતિ સમજૂતીએ લગભગ અંતિમ રૂપ આપી દીધું હતું. જોકે, મણિપુરમાં હિંસાની શરુઆત બાદ અનેક તબક્કાની વાતચીત થઈ હતી. સૂત્રોએ કહ્યું કે મેમાં થયેલી હિંસાથી પહેલા વાતચીત આદિવાસી મુદ્દાનું રાજકીય સમાધાન શોધવા પર કેન્દ્રિત હતું. પરંતુ આ દરમિયાન વાતચીત એક હદ સુધી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને ખતમ કરવાની રીતને શોધવા પર કેન્દ્રિત છે.
જ્યારે સીઓસીઓએમઆઇએ મંગળવારે એક નિવેદન રજૂ કર્યું હતું કે સરકારે એસઓઓ ગ્રૂપ સાથે વાતચીત કરવી ન જોઈએ કારણ કે તે રાજ્યમાં ચાલું હિંસા માટે જવાબદાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us