CAPF અને NDRFના સૈનિકોને મળશે શ્રી અન્નથી ભરપૂર પૌષ્ટિક ભોજન, ગૃહ મંત્રાલયનો નિર્ણય

CAPF NDRF shri anna millet meals : ગૃહ મંત્રાલયે તમામ સૈન્ય દળોને શ્રી અન્ન અને બાજરી આધારિત ફૂડ મેનૂ રજૂ કરવા જણાવ્યું છે.

CAPF NDRF shri anna millet meals : ગૃહ મંત્રાલયે તમામ સૈન્ય દળોને શ્રી અન્ન અને બાજરી આધારિત ફૂડ મેનૂ રજૂ કરવા જણાવ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
shri anna millet

શ્રી અન્ન કહેવાતા જાડા ધાન્યો કે બરછટ અનાજ આરોગ્યપ્રદ છે અને ખેડૂતો માટે ફાયદાકારક અને પર્યાવરણને અનુકૂળ પણ છે

ભારત સરકાર ભોજનમાં જાડા ધાન્યો એટલે કે શ્રીઅન્નના વપરાશ પર વધારે ભાર આપી રહી છે. હવે સરકારે સૈનિકોને ભોજનમાં પણ શ્રીઅન્ન આપવાનો નિર્ણય લીધો છે. હવે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ભોજનમાં 30 ટકા શ્રી અન્ન (મિલેટ) હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે આવો આદેશ જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આહ્વાનપર તમામ સૈન્ય દળો સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisment

ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ-2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પગલું મહત્વપૂર્ણ છે. ગૃહ મંત્રાલયે તમામ સૈન્ય દળોને બાજરી આધારિત ફૂડ મેનૂ રજૂ કરવા જણાવ્યું છે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, "સૈન્ય દળોએ જબરદસ્ત પ્રતિસાદ દર્શાવ્યો છે અને નિયમિત આહારમાં બાજરીનો સમાવેશ કરવા ઉત્સુક છે. સીએપીએફ અને એનડીઆરએફની વિવિધ કામગીરી અને કાર્યક્રમોમાં બાજરીનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર, કરિયાણાની દુકાનો અને પરિસરમાં રાશનની દુકાનો પર સમર્પિત કાઉન્ટર અને કોર્નર ગોઠવીને બાજરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

સૈન્ય દળો આ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ મારફતે બાજરીમાંથી વાનગીઓ તૈયાર કરવા માટે રસોઈયાઓની તાલીમનું આયોજન કરશે. જાડા ધાન્યોના ઉપયોગ માટે સૈનિકો અને તેના પરિવારના સભ્યોમાં જાગૃતિ ફેલાવવા માટે આહારશાસ્ત્રીઓ અને નિષ્ણાંત એજન્સીઓની સેવા લેવામાં આવશે. આ ઉપરાંત 'Know Your Millets' પર વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, સેમિનાર, વેબિનાર, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રે જાડા ધાન્યોના મહત્વને ઓળખીને ભારત સરકારના આહ્વાન પર લોકોને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે સ્થાનિક અને વૈશ્વિક માંગનું સર્જન કરવા હેતુ વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી નિવેદનમાં કહેવાયુ છે કે, શ્રી અન્નને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાથી દેશના કરોડો લોકોની પોષણ સંબંધિત જરૂરિયાત પૂરી થશે.

Advertisment

શ્રી અન્ન કહેવાતા જાડા ધાન્યો કે બરછટ અનાજ આરોગ્યપ્રદ છે અને ખેડૂતો માટે ફાયદાકારક અને પર્યાવરણને અનુકૂળ પણ છે. એક નિવેદનમાં જણાવાયું હતુ કે, બાજરી ઉર્જાથી ભરપૂર હોય છે, ઓછી પાણીની જરૂરિયાત સાથે દુષ્કાળ પ્રતિરોધક હોય છે અને સૂકી જમીન, ડુંગરાળ પ્રદેશો અને જંતુઓ માટે ઓછી સંવેદનશીલ જગ્યાઓ પર સરળતાથી ઉગાડી શકાય છે,

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Indian army india health tips અમિત શાહ દેશ