Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે થયો? સમજીએ સરળ શબ્દોમાં

Odisha train accident : ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે સર્જાયો, તેનું નિરિક્ષણ કર્યા બાદ જે રિપોર્ટ આવ્યો તેના આધારે સમજવાની કોશિસ કરીએ કે, શું થયું હશે, અને કેવી સર્જાયો અકસ્માત?

Written by Kiran Mehta
Updated : June 03, 2023 23:21 IST
Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે થયો? સમજીએ સરળ શબ્દોમાં
ઓડિશા ટ્રેન અકસ્માત કેવી રીતે સર્જાયો? સમજીએ સરળ શબ્દોમાં

અવિશેક જી દસ્તીદાર : ઓડિશાના બહનાગા બજાર સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનાના 24 કલાક પછી પણ, હજુ એ સ્પષ્ટ નથી થયું કે, દુર્ઘટના કેવી રીતે બની. રેલ્વેએ બહુ ઓછી વિગતો સાથે એક સંક્ષિપ્ત સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જ્યારે 800 થી વધુ ઘાયલો સાથે મૃત્યુઆંક 288 પર પહોંચી ગયો હતો.

રેલ્વે સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, અત્યાર સુધી આ અકસ્માત વિશે જાણવા મળ્યું છે કે, આ ઘટનાની સત્તાવાર તપાસ બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. રેલવે તરફથી વધુ વિગતવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ક્યાં અને ક્યારે થયો અકસ્માત?

અકસ્માત સ્થળ ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાગા બજાર સ્ટેશનથી થોડે આગળ છે, જે દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર રેલવે ડિવિઝનનો ભાગ છે. અકસ્માતમાં ત્રણ ટ્રેન સામેલ હતી – બે પેસેન્જર ટ્રેનો વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, અને એક માલગાડી જે સ્થિર ઉભી હતી.

પ્રથમ ટ્રેન, 12841 કોરોમંડલ એક્સપ્રેસ, કોલકાતા/હાવરાના શાલીમાર સ્ટેશનથી ઉપડી હતી અને ચેન્નાઈ તરફ જઈ રહી હતી. ટ્રેને ખડગપુર અને બાલાસોર પાર કર્યું હતું, અને તેનું અગાઉનું સ્ટોપેજ હવે ભદ્રક હતું. ટ્રેન લગભગ સમયસર ચાલી રહી હતી, અને બહનાગા બજાર (નોન-સ્ટોપ) સાંજે 7.01 વાગ્યે પાર કર્યું હશે.

બહનાગા બજારમાં પાટા કેવી રીતે નાખવામાં આવેલા છે?

અપ મેઈન લાઈન (ચેન્નાઈ તરફ), ડાઉન મેઈન લાઈન (હાવડા તરફ) અને બંને બાજુ બે લૂપ લાઈન છે. લૂપનો હેતુ એક ટ્રેનને બાજુ પર પાર્ક કરવા માટેનો હોય છે, જેથી ઝડપી ચાલતી અથવા વધુ મહત્વપૂર્ણ ટ્રેન માટે મુખ્ય લાઇન ખાલી રહે.

જેવું કોરોમંડલે સંપર્ક કર્યો, ત્યારે લૂપ લાઇન પર એજ દિશામાં જતી માલગાડી ટ્રેન સ્ટોપ થઈ. કોરોમંડલ મુખ્ય લાઇનથી આગળ જવાની હતી.

તો અહીં શું ખોટું થયું?

રેલ્વે દ્વારા જાહેર કરાયેલા અકસ્માતના સંક્ષિપ્ત વર્ણન મુજબ, “અપ ટ્રેન નંબર 12841… અપ મેઈન લાઈનમાં પસાર થઈ રહી હતી… જે અપ લૂપ લાઈનમાં સ્થિર માલગાડી ટ્રેન સાથે અથડાઈ… ટ્રેન સ્ટેશન પર પૂરપાટ ઝડપે જઈ રહી હતી, કારણ કે તે સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન હતું.”

સંક્ષેપ્ત નિવેદનથી તે સ્પષ્ટ છે કે, કોરોમંડલ, મુખ્ય લાઇન પર માલગાડી ટ્રેનની નજીકથી જવાને બદલે, લૂપમાં પ્રવેશી અને પાછળથી માલસામાન ટ્રેન સાથે અથડાઈ. સ્થળ પરથી મળેલી તસવીરોમાં કોરોમંડલનું એન્જિન માલસામાન ટ્રેનની ઉપર બેઠેલું જોવા મળી રહ્યું છે.

પરંતુ આવું કેવી રીતે બની શકે?

ટ્રેન ડ્રાઇવરોને સિગ્નલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, ખાસ કરીને અંધારામાં, કારણ કે ટ્રેક અંધારામાં શું જોઈ શકાય. સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, પૂછતાછ બાદ વધારે જાણી શકાશે, હાલમાં તો રેલવે સિગ્નલિંગની ભૂલની શક્યતા જોઈ રહી છે.

સુપરવાઇઝરોના એક શિસ્ત સંયુક્ત નિરીક્ષણમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે કે, કોરોમંડલને નિયુક્ત મુખ્ય લાઇનથી પસાર થવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, અને પછી સિગ્નલ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રેન લૂપ લાઈનમાં ઘૂસી ગઈ અને માલગાડી સાથે અથડાઈ.

સંયુક્ત નિરીક્ષણ ટીમ દ્વારા તૈયાર કરાયેલી નોંધ કહે છે કે, “અમે … સાવધાનીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી, એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે, 12841 માટે અપ મુખ્ય લાઇન માટે સિગ્નલ આપવામાં આવ્યું હતું, અને પછી તેને દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ આ ટ્રેન તો પણ અપ લૂપ લાઇનમાં પ્રવેશી ગઈ હતી અને અપ લૂપ લાઇન પર માલગાડી ટ્રેન સાથે અથડાઈ હતી અને પાટા પરથી ઉતરી ગઈ.”

શું ડ્રાઈવર અકસ્માત અટકાવવા કંઈ કરી શકતો હતો?

એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે, રેલ્વે અધિકારીઓ સિગ્નલિંગની ભૂલ/નિષ્ફળતા સાથે ડ્રાઈવર સાથેની સમસ્યા-મુદ્દાની પણ તપાસ કરી રહ્યા છે – જેને રેલવેમાં “લોકો પાયલોટ” તરીકે ઓળખવામાં આવે છે.

ઓડિશાના બહાનાગા બજાર સ્ટેશન પર રેલવે અકસ્માતની તસવીર. (એક્સપ્રેસ ફોટો)

જો કે, એ ધ્યાન આપવું જોઇએ કે, ટ્રેનો સ્ટીલના મજબુત પતરાની બનેલી હોય છે, જેને પ્રચંડ શક્તિશાળી એન્જિન દ્વારા ખેંચવામાં આવે છે. રેલ્વેની સંક્ષિપ્ત તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોમંડલ “ફુલ સ્પીડ” પર જઈ રહી હતી, જે લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હોઈ શકે છે. આટલી ઝડપે ઈમરજન્સી બ્રેક લગાવ્યા પછી પણ કદાચ કોઈ ટ્રેન બે કિલોમીટર પહેલા ઉભી રહી શકતી નથી.

આ પણ વાંચોTrain Accident : ટ્રેન અકસ્માતો માટે જવાબદાર કોણ? કેમ પાટા પરથી ટ્રેન ઉતરી જાય છે? ‘કવચ’ સિસ્ટમ શું છે? તે ક્યારે કામ કરે છે?

તો હવે ત્રીજી ટ્રેન ચિત્રમાં ક્યાંથી આવે છે?

કોરોમંડલે માલગાડી ટ્રેનને તેવા સમયે જ ટક્કર મારી, જ્યારે ત્રીજી ટ્રેન, 12864 યશવંતપુર-હાવડા એક્સપ્રેસ, બાજુ પર આવેલી ડાઉન મેઈન લાઇન પર હાવડા તરફ જઈ રહી હતી. જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન માલગાડી ટ્રેન સાથે અથડાવવાના કારણે આ બંને ટ્રેનના ડબ્બા બાજુની લાઈન પર જતી હાવડા ટ્રેન સાથે અથડાયા હોવા જોઈએ, અથવા હાવડા એક્સપ્રેસ જે લાઈન પર જઈરહી હતી, તે લાઈન પર ડબ્બા પડેલા હોવાના કારણે ત્રીજી ટ્રેનનો અકસ્માત થયો હોઈ શકે છે. અથવા અકસ્માતની ધ્રુજારીના કારણે ત્રીજી ટ્રેનની લાઈન ઘટના સ્થળ પાસે ક્ષતીગ્રસ્ત થઈ હોય, તેજ સમયે ત્રીજી ટ્રેન પસાર થઈ અને અકસ્માતનો ભોગ બની હોઈ શકે છે.

ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ