/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Independence-Day-PM-Modi-Speech.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કર્યો હતો (તસવીર - એએનઆઈ)
Independence Day PM Modi Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કર્યો હતો. તેમના ભાષણમાં 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયાર કરવામાં આવેલા રોડમેપની ઝલક સ્પષ્ટ જોઈ શકાતી હતી. મણિપુરથી લઈને ભ્રષ્ટાચાર સુધી પીએમે ભાષણમાં એવા મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો જે 2024ની સામાન્ય ચૂંટણીઓમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મણિપુર પર વાત, વિપક્ષને સીધો જવાબ
મણિપુર હિંસાને સંસદના ચોમાસુ સત્રના શરૂઆતનો દિવસોમાં વિપક્ષનો હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષ સતત માંગ કરી રહ્યું હતું કે પીએમ મોદી સદનમાં આવીને નિવેદન આપે. વિપક્ષે આ મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરી હતી. આ રીતે આ મુદ્દે સરકારને પૂરી રીતે ઘેરી લેવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ સદનમાં પીએમ મોદીએ આવીને મણિપુરનો ઉલ્લેખ કર્યો. વિપક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે વિપક્ષના દબાણમાં આવીને આ મુદ્દે વાત કરી હતી.
આજે જ્યારે પીએમે લાલ કિલ્લાથી પોતાના ભાષણની શરૂઆત કરી તો તેમણે સૌથી પહેલા મણિપુરના મુદ્દા પર વાત કરી અને કહ્યુ કે હવે રાજ્યમાં હિંસા ઓછી થઇ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે પીએમ મોદી અને સરકારે આ મુદ્દાને એવી રીતે સંબોધિત કર્યો કે વિપક્ષને કોઈ પણ રીતે પ્રશ્નો ઉઠાવવાની તક ન મળે. આ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ, કોંગ્રેસ અધ્યક્ષે આપ્યો આવો જવાબ
ભાઈઓ-બહેનોના બદલે 'પરિવારજન' કહ્યા
જો તમે આજે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું ભાષણ સાંભળ્યું હશે તો તમે જોયું હશે કે તેઓ વારંવાર સામાન્ય જનતાને 'પરિવારજન' કહીને સંબોધિત કરી રહ્યા હતા. આ વખતે તેમના ભાષણમાં એક અલગ અને ખાસ વાત હતી. આ દ્વારા તે દેશને એક પરિવારનો સંદેશ આપી રહ્યો હતો.
પરિવારવાદ પર પ્રહાર
પીએમ મોદી આજકાલ પોતાના ભાષણોમાં સતત પરિવારવાદનો ઉલ્લેખ કરી રહ્યા છે. આજે પણ પીએમે નેપોટિઝમનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ભાજપ સતત કોંગ્રેસ, સપા અને અન્ય રાજકીય પક્ષો પર પરિવારવાદનો આરોપ લગાવી રહી છે.
પીએમે આ ત્રણ મોટા મુદ્દા ઉપરાંત સુપ્રીમ કોર્ટ, મહિલા શક્તિ, આતંકવાદ, મોંઘવારી અને યુવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદનની આ રૂપરેખા સ્પષ્ટપણે 2024 માટેનો રોડમેપ સામે રાખે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us