ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી છે. સરકારે આગલી સૂચના સુધી સેવાઓ સ્થગિત કરી છે.
આ મહત્વની માહિતી આપતાં, ભારતીય મિશનએ માહિતી આપી કે ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડા કહે છે, “ઓપરેશનલ કારણોને લીધે, ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બર, 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે કૃપા કરીને BLS વેબસાઈટની મુલાકાત લેતા રહો.”
ભારતે ગુરુવારે કેનેડીયન નાગરિકો માટે પોતાના વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી સ્થગિત કરી દીધી છે. જૂનમાં ખાલિસ્તાનની અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિરજ્જની હત્યામાં ભારતીય એજન્ટોની સંભાવિત સંલિપ્તતાના કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે રાજનયિક સંબંધોમાં તણાવ ઉભો થયો છે.
કેનેડાઇ નાગરિકોના વિઝા આવેદનોની પ્રારંભિત કપાનું કામ કરનારી ખાનગી એજન્સીએ પોતાની વેબસાઇપર સૂચના રજૂ કરી છે કે ભારતીય વિઝા સેવાઓ આગામી નોટિસ સુધી સ્થિગિત કરવામાં આવી છે.
ભારત-કેનેડા વિવાદ
ઉલ્લેખનીય છે કે ટ્રૂડોએ હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કેનેડાની ધરી પર કેનેડીયન નાગરિકની હત્યામાં કોઈ પણ વિદેશી સરકારની ભાગીદારી અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જે અસ્વીકાર્ય છે.ત્યારબાદ ભારે ટ્રૂડોના આરોપોને પાયા વિહોણા અને ખાનગી હિતોથી પ્રેરિત કરાર આપીને નાકરી દીધા હતા. આ મામલામાં કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને સસ્પેન્ડ નિષ્કાસિત કરવાના જવાબમાં ભારતના એક વરિષ્ઠ કેનેડિયન રાજદૂતને પણ હાંકી કાઢ્યા હતા.





