ઇન્ડિયન નેવી એન્ટી પાયરસી ઓપરેશન સફળ, સોમાલિયન ચાંચિયાઓથી 19 પાકિસ્તાનીને બચાવ્યા

Indian Navy Anti Piracy Operation: ભારતીય નૌસેના જવાનોએ ફરી કમાલ કરી બતાવી છે. ઇન્ડિયન નેવીએ સોમાલિયાના ચાંચિયાઓની ચુંગાલમાંથી પાકિસ્તાનના 19 નાગરિકોના જીવ બચાવ્યા છે. સોમાલિયન ચાંચિયાઓએ જહાજ લૂંટવા પ્રયાસ કર્યો હતો જે ભારતીય નૌસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

Indian Navy Anti Piracy Operation: ભારતીય નૌસેના જવાનોએ ફરી કમાલ કરી બતાવી છે. ઇન્ડિયન નેવીએ સોમાલિયાના ચાંચિયાઓની ચુંગાલમાંથી પાકિસ્તાનના 19 નાગરિકોના જીવ બચાવ્યા છે. સોમાલિયન ચાંચિયાઓએ જહાજ લૂંટવા પ્રયાસ કર્યો હતો જે ભારતીય નૌસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Indian navy operation, ઇન્ડિયન નેવી ઓપરેશન, indian navy drones, Indian Navy rescue, Anti-piracy Operation,

ભારતીય નૌ સેનાનું એન્ટી પાઈરેસી ઓપરેશન - Photo - ANI

Indian navy Anti-piracy Operation, ઇન્ડિયન નેવી ઓપરેશન : ભારતીય નૌસેનાએ 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હવે ઇન્ડિયન નેવીએ સોમાલિયાના 11 ચાંચિયાઓના ચુંગાલમાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેના જહાજ સુમિત્રાન એફવી નૈમી (માછીમારી જહાજ) પર લૂંટનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે.

Advertisment
Indian navy operation, ઇન્ડિયન નેવી ઓપરેશન, indian navy drones, Indian Navy rescue
ભારતીય નૌ સેનાનું ઓપરેશન - Photo - ANI

ઇન્ડિયન નેવીના જાબાજોએ અહીં એન્ટી પાઈરેસી ઓપરેશન ઇસ્ટ કોસ્ટ ઓફ સોમાલિયાને અંજામ આપ્યું હતું. આ અગાઉ ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ભારતીય નૌસેનાએ પાક નાગરિકોને બચાવ્યા.

INS સુમિત્રા અદનની ખાડીમાં તૈનાત છે

INS સુમિત્રા અદનની ખાડીમાં અને સોમાલિયાના પૂર્વમાં ચાંચિયાગીરી અને દરિયાઈ સુરક્ષાની કાર્યવાહી માટે તૈનાત છે. સોમવારે, તેણે એફવી ઈમાનને ચાંચિયાઓથી મુક્ત કર્યું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળે ફરી એકવાર તમામ દરિયાઈ ખતરા સામે પગલાં લેવા પ્રદેશમાં તેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે જેથી સમુદ્રમાં તમામ ખલાસીઓ અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

Advertisment
બ્રેકિંગ ન્યૂઝ Indian army દેશ