/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Israel-Ambassy-blast.jpg)
ઇઝરાયેલ એમ્બેસી બહાર બ્લાસ્ટ - Photo - ANI
Delhi Israel Embassy Blast News Latest Updates : નવી દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી પાસે થયેલા બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર વિસ્ફોટમાં કોઈના ઘાયલ થયા હોવાની કોઈ પુષ્ટિ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં લગાવેલા સીસીટીવીમાં બે શંકાસ્પદ દેખાઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટના થોડા સમય પહેલા ઘટના સ્થળની નજીક બે યુવકોને રસ્તા પર ચાલતા જોઈ શકાય છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારી દીધી છે અને પેટ્રોલિંગ વધારી દીધું છે. નવીનતમ માહિતી અનુસાર, NIA અને NSGની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, પોલીસ 1000 CCTVની તપાસ કરી રહી છે.
હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેમને પકડવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી પણ ચેક કરી રહી છે. રિપોર્ટ અનુસાર, વિસ્ફોટ સ્થળની નજીકથી ઈઝરાયેલ એમ્બેસીના રાજદૂતને સંબોધિત એક ટાઈપ કરેલો પત્ર મળ્યો છે. તે પત્ર ઇઝરાયેલના ધ્વજમાં લપેટાયેલો હતો.
સૂત્રોએ જણાવ્યું કે અંગ્રેજીમાં લખેલા પત્રમાં ઈઝરાયેલની કાર્યવાહીની વાત કરવામાં આવી હતી અને બદલો લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ‘સર અલ્લાહ રેઝિસ્ટન્સ’ જૂથે લીધી હોવાની માહિતી પણ સામે આવી છે. વિસ્ફોટ બાદ વિસ્તારને થોડા સમય માટે કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. હાલ દિલ્હી પોલીસે વિસ્ફોટની તપાસ શરૂ કરી છે.
#WATCH | Central Agency officials including NIA officials reach the Israel Embassy and start the investigation.
As per the Israel Embassy, there was a blast near the embassy at around 5:10 pm yesterday pic.twitter.com/HkhF9HCafZ— ANI (@ANI) December 27, 2023
ઈઝરાયેલ ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરે છે
ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ઈઝરાયેલે આશંકા વ્યક્ત કરી છે કે ઈઝરાયેલના દૂતાવાસ પાસે થયેલો વિસ્ફોટ પણ આતંકવાદી હુમલો હોઈ શકે છે. વાસ્તવમાં, મંગળવારે સાંજે દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયેલી દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો અને ઘટના સ્થળની નજીક ઇઝરાયેલના રાજદૂતને એક પત્ર મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિસ્ફોટ અંગે ઈઝરાયેલ દૂતાવાસના પ્રવક્તા ગાય નીરે કહ્યું, "અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે લગભગ સાંજે 5:48 વાગ્યે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો." દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.
ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)એ આ ઘટનાને ધ્યાનમાં રાખીને એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ઇઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળો (મોલ અથવા બજારો) પર જવાનું ટાળવા અને એવા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે જે કોઈપણ રીતે યહૂદીઓ અથવા ઇઝરાયેલીઓ સાથે સંકળાયેલા હોય. એડવાઈઝરીમાં ઈઝરાયેલના પ્રતીકો દર્શાવવાનું ટાળવું, મોટા પાયે ઈવેન્ટમાં ભાગ લેવાનું ટાળવું અને સોશિયલ મીડિયા પર કોઈપણ મુસાફરી વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us