/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-india-israel.jpg)
નરેન્દ્ર મોદી ઈઝરાયેલના પીએમ સાથે. (એક્સપ્રેસ ફોટો)
શૈલેન્દ્ર ગૌતમ : નરેન્દ્ર મોદી જ્યારે 2017માં ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા, ત્યારે તે પ્રથમ વખત હતું, જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાને તેલ અવીવની મુલાકાત લીધી હતી. મોદીની આ મુલાકાત વૈશ્વિક સ્તરે હેડલાઇન્સ બની હતી. જો કે, ભારત હંમેશા ઇઝરાયલની આટલી નજીક રહ્યું નથી. પહેલાના સમયમાં ભારતની સહાનુભૂતિ પેલેસ્ટાઈન સાથે હતી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં ભારતે હંમેશા યાસર અરાફાતના દેશનું સમર્થન કર્યું હતું.
1947 માં ભારત આઝાદ થયું. પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ આઝાદીના 3 વર્ષ પછી એટલે કે 1950 માં ઈઝરાયેલને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. નેહરુ માનતા હતા કે, ધર્મના આધારે કોઈપણ દેશનું વિભાજન ખોટું છે. બાદમાં તેણે ઈઝરાયેલને વિલંબિત માન્યતા પાછળનું કારણ પણ સમજાવ્યું. નેહરુએ કહ્યું કે, તેઓ ઈઝરાયલને માન્યતા આપીને આરબ દેશોની સંવેદનશીલતાને ખલેલ પહોંચાડવા માંગતા નથી. આ પછી ભારતે વર્ષો સુધી ઈઝરાયેલથી અંતર જાળવી રાખ્યું. ભારતે યાસર અરાફાતના નેતૃત્વમાં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) ને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું. ઈન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ પણ આ જ લાઈનમાં કામ કર્યું અને ઈઝરાયેલથી અંતર જાળવી રાખ્યું.
ચીન અને પાકિસ્તાન સાથેની લડાઈમાં આરબ દેશોએ ભારત વિરોધી વલણ દર્શાવ્યું હતું
જો કે, 1962 માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન અને 1971 માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન આરબ દેશોએ ભારત વિરોધી વલણ અપનાવ્યું ત્યારે ભારતના આ વલણની તીવ્ર ટીકા થઈ હતી. પરંતુ તે પછી પણ ભારતે ન તો ઈઝરાયેલને કોઈ સમર્થન આપ્યું અને ન તો પેલેસ્ટાઈનથી અંતર રાખ્યું. ઈઝરાયેલ સાથે ભારતની નિકટતા વધારવા માટે બે પરિબળો જવાબદાર હતા. પહેલું હતું ઇરાક યુદ્ધ અને બીજું સોવિયેત સંઘનું વિઘટન.
આ પણ વાંચો - israel hamas News : એક હાથ, એક પગ અને એક આંખ નથી! જાણો કોણ છે ઈઝરાયેલ પર બોમ્બ ફેંકનાર હમાસના વડા મોહમ્મદ ડેઈફ?
1992માં ભારતમાં ઈઝરાયેલની એમ્બેસી ખોલવામાં આવી, કારગિલ યુદ્ધે મિત્રતા ગાઢ કરી
ત્યારથી ભારત ઈઝરાયેલને મિત્ર માનવા માંડ્યું. આ જ કારણ હતું કે, 1992માં ભારતમાં ઈઝરાયેલની એમ્બેસી ખોલવામાં આવી હતી. પરંતુ અટલ બિહારી વાજપેયીના સમયમાં ઈઝરાયેલ અને ભારતની મિત્રતા વધુ મજબૂત બની હતી. કારગિલ યુદ્ધ દરમિયાન જ્યારે ઈઝરાયેલે ભારતીય સેનાને હથિયારો આપ્યા ત્યારે બંને વચ્ચેના સંબંધોને નવી જીંદગી મળી. ત્યારથી ભારત અને ઈઝરાયેલ શ્રેષ્ઠ મિત્રો તરીકે ઉભરી આવ્યા છે. ધીમે ધીમે મિત્રતા વધતી રહી. ત્યારબાદ જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તેઓ 2017 માં તેલ અવીવ ગયા હતા. જ્યારે તેઓ બેન્જામિન નેતન્યાહુ સાથે ચાલતા જોવા મળ્યા ત્યારે આખી દુનિયાને આ મિત્રતાની ગૂંચવણો ખબર પડી. નેતન્યાહુ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવવાના છે. તે પછી સંબંધોને નવા આયામો મળવાની આશા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us