ISRO Mission 2024 : 2024 માં પણ ISRO રચશે ઈતિહાસ, આ મોટું મિશન 1 જાન્યુઆરીએ લોન્ચ કરશે

ISRO 2024 XPoSAT Mission : ઈસરો 2024 XPoSAT મિશન લોન્ચ કરશે, ઈસરો દ્વારા તારીખ (launching date) ની જાહેરાત કરવામાં આવી, તમને જણાવી દઈએ કે, આ ભારતનું પ્રથમ (India first) એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ મિશન છે.

Written by Kiran Mehta
Updated : December 27, 2023 18:35 IST
ISRO Mission 2024 : 2024 માં પણ ISRO રચશે ઈતિહાસ, આ મોટું મિશન 1 જાન્યુઆરીએ લોન્ચ કરશે
ઈસરો એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ લોન્ચ કરશે

ISRO Mission 2024 : પહેલા ચંદ્રયાન અને પછી આદિત્ય L-1 લોન્ચ કર્યા બાદ ISRO 2024 માં પણ અજાયબીઓ કરવા જઈ રહ્યું છે. 1 જાન્યુઆરીના રોજ, ISRO અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના તીવ્ર ધ્રુવીકરણની તપાસ કરવા માટે તેનો પ્રથમ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (XPoSat) લોન્ચ કરશે. આ ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન હશે. અગાઉ 2021 માં, નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલેરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ કર્યું હતું. તે મિશન પછી, આ વિશ્વમાં આ પ્રકારનું બીજું મિશન છે. માત્ર ભારત જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વની નજર આ મિશન પર ટકેલી છે.

તે ક્યારે લોન્ચ થશે?

ઈસરોના જણાવ્યા અનુસાર, XPoSat મિશન 1 જાન્યુઆરીએ સવારે 9:10 વાગ્યે ઈસરોના વિશ્વસનીય પ્રક્ષેપણ વાહન PSLV થી લોન્ચ કરવામાં આવશે. આ મિશન સુપરનોવા વિસ્ફોટ જેવા બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યોને શોધી કાઢવામાં મદદ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકાશ અને ઊર્જાના સ્ત્રોતોને ઉકેલવાનો રહેશે. આ ઉપગ્રહને પૃથ્વીથી 650 કિમીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઇટ લગભગ 5 વર્ષ સુધી કામ કરશે. તેમાંના બે પેલોડ્સ બેંગલુરુ સ્થિત રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) અને ISROના UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) ખાતે વિકસાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોChandrayaan 4 mission | ચંદ્રયાન 4 મિશન : ISRO અને જાપાનની JAXA સાથે મળી ચંદ્ર મિશન કરશે, શું છે લક્ષ્ય? ક્યારે થશે લોન્ચ?

ઈસરોએ 2023માં ઈતિહાસ રચ્યો હતો

ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. 42 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન-3 નું લેન્ડર મોડ્યુલ વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત આમ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી. આ પછી ભારતે 2 સપ્ટેમ્બરે તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 લોન્ચ કર્યું. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ જ્યાં આદિત્ય એલ-1 અવકાશયાન જઈ રહ્યું છે. ત્યાં આસપાસ કોઈ ગ્રહ નથી. 15 લાખ કિલોમીટરના અંતરે હોવા છતાં આદિત્ય અવકાશયાન પૃથ્વીની નજીક જ રહેવાનું છે. તમને જણાવી દઈએ કે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ 15 કરોડ કિલોમીટર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ